Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિક માસના લીધે જેઠ મહિનો 59 દિવસનો:જાણો પુરુષોત્તમ માસ સાથે સંકળાયેલી માન્યતાઓ, જળદાનનું મહત્ત્વ અને પૂજા-વિધિ

    2 days ago

    આ વર્ષે ગુજરાતી પંચાંગનો અધિક માસ જેઠમાં રહેશે, તેથી આ વર્ષે જેઠ મહિનો 59 દિવસનો છે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. 17 મેથી અધિક માસ શરૂ થશે, જે 15 જૂન સુધી ચાલશે. ત્યારબાદ ત્યારબાદ જેઠ શુક્લ પક્ષ શરૂ થશે, જે 14 જુલાઈ સુધી રહેશે. અધિક માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, જનોઈ સંસ્કાર જેવા માંગલિક કાર્યો માટે મુહૂર્ત હોતા નથી. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, જેઠ માસ અને અધિક માસમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા ખાસ કરીને કરવી જોઈએ. અધિક માસને ભગવાન વિષ્ણુના એક નામ ‘પુરુષોત્તમ’ને કારણે પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. જેઠ અને અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજામાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ... આ દિવસોમાં મંત્ર જાપ કરવાનું વિશેષ મહત્વ છે. પોતાના ઇષ્ટદેવના મંત્રોનો જાપ કરો. જેમ કે- વિષ્ણુ પૂજામાં શુદ્ધતા, શ્રદ્ધા અને નિષ્કામ ભાવ સૌથી જરૂરી છે. માત્ર બાહ્ય વિધિ જ નહીં, પરંતુ મનની પવિત્રતા જ પૂજાને સફળ બનાવે છે. મનના નકારાત્મક વિચારો દૂર કરો. સકારાત્મક અને નિઃસ્વાર્થ ભાવથી પૂજા કરો. આ દિવસોમાં દાન-પુણ્ય પણ નિઃસ્વાર્થ ભાવથી જ કરો. જેઠ મહિનામાં જળદાનને સર્વોચ્ચ દાન કહેવામાં આવ્યું છે. વટેમાર્ગુઓ, પશુ-પક્ષીઓ અને જરૂરિયાતમંદોને ઠંડું પાણી આપવું એ વિષ્ણુ કૃપાનું માધ્યમ માનવામાં આવ્યું છે. આ સમયે તામસિક ભોજનથી બચવાનો પ્રયાસ કરો. હળવો, સાત્વિક આહાર લેવાથી હવામાન સંબંધિત અનેક રોગોથી બચી શકાય છે. આનાથી શરીરમાં સંતુલન જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણના મંદિરોમાં કરો દર્શન-પૂજન જેઠ મહિનામાં શ્રીકૃષ્ણની ભક્તિનું સ્વરૂપ મોટાભાગે પ્રેમ અને સ્મરણ પર આધારિત હોય છે. તેમના બાળ સ્વરૂપ, મુરલીધર રૂપ અને ગીતા ઉપદેશક સ્વરૂપ, ત્રણેયનું ધ્યાન કરો. આ દિવસોમાં મથુરા, બદ્રીનાથ, જગન્નાથ પુરી જેવા તીર્થ ક્ષેત્રોની યાત્રા અને દર્શન કરી શકો છો. આ ત્રણેય તીર્થ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે. ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન પણ કરવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 77,450 પર ટ્રેડિંગ:નિફ્ટી 130 પોઈન્ટ નીચે 24,200 પર આવ્યો; ઓટો અને બેંક શેરોમાં વેચવાલી
    Next Article
    સુવેન્દુ PA હત્યાકાંડ; ચંદ્રનાથને સુપારી કિલર્સ દ્વારા મરાવ્યા હોવાનો દાવો:13 વર્ષમાં 3 નજીકના લોકોને ગુમાવી ચૂક્યા છે સુવેન્દુ; હુમલાખોરોની બીજી બાઇક મળી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment