Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ અભયમે વિખેરાતો સંસાર બચાવ્યો:સાસુ-પતિએ કાઢી મૂકેલી પરણિતાને દીકરી પરત અપાવી, સિદ્ધપુરમાં જેઠાણી સહિત પરિવારજનોએ પરિણીતાને 5 લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી

    10 hours ago

    પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક કૌટુંબિક કલેશનો મામલો સામે આવ્યો હતો, જ્યાં સાસરીયાઓએ એક પરણિતાને તેની દીકરીથી અલગ કરી ઘરની બહાર કાઢી મૂકી હતી. જોકે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની સમયસર દરમિયાનગીરી અને સમજાવટથી આ પરિવાર ફરી એક થયો છે. પાટણ જિલ્લાના એક ગામડામાં રહેતી પરણિતાએ ગભરાયેલી હાલતમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી. તેણે જણાવ્યું હતું કે તેના પતિ અને સાસુએ તેની સાથે ઝઘડો કરીને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી છે અને તેને ઘરમાંથી કાઢી મૂકી છે. પરણિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે અભયમની મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ પાટણ અભયમની ટીમ તાત્કાલિક પરણિતા પાસે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ પરણિતાનું કાઉન્સેલિંગ કરીને તેને સાંત્વના આપી. ત્યારબાદ, પરણિતાને સાથે રાખીને ટીમ તેની સાસરીમાં પહોંચી અને તેના પતિ તથા સાસુ સાથે વાતચીત કરી. શરૂઆતમાં સાસરી પક્ષનો મિજાજ ગરમ હતો, પરંતુ અભયમની ટીમે ધીરજપૂર્વક કાયદાકીય અને સામાજિક પાસાઓ સમજાવ્યા. ટીમે તેમને બાળક માટે માતાની મમતાનું મહત્વ અને કૌટુંબિક ઝઘડામાં માસૂમ બાળકની કોઈ ભૂલ ન હોવાનું સમજાવ્યું. આ સમજાવટથી સાસુ અને પતિ પોતાની ભૂલ સમજી ગયા અને પરણિતાને સ્વીકારવા તેમજ દીકરી પરત સોંપવા તૈયાર થયા. પરણિતા પણ પોતાના સંસારને ફરી એક તક આપવા સાસરીમાં રહેવા સંમત થઈ. અભયમની ટીમની મધ્યસ્થીથી એક પરિવાર તૂટતા બચી ગયો. પરણિતાને તેની દીકરી પરત મળતા તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી. અંતે, પતિ-પત્ની અને સાસુએ હળીમળીને રહેવાની ખાતરી આપી અને મુશ્કેલ સમયમાં મદદરૂપ થયેલી ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો. પરિણીતાને 5 લાખની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી સિદ્ધપુરમાં દહેજની માંગણી અને શારીરિક ત્રાસનો એક કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીતાને તેના પતિ અને સાસરિયાઓએ જમવા જેવી નજીવી બાબતે માર મારી, પાંચ લાખ રૂપિયાની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે પતિ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. મૂળ સિદ્ધપુરના ભીલવાસની રહેવાસી પિન્કીબેન પ્રહલાદભાઈ ભીલના લગ્ન 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ પાટણના સૂર્યનગર ભીલવાસના ગણપતજી ભીખાજી ભીલ સાથે થયા હતા. લગ્નના શરૂઆતના સમયમાં બધું બરાબર હતું, પરંતુ સમય જતાં સાસુ ભીખીબેન અને જેઠાણી કલ્પનાબેન દ્વારા નાની નાની વાતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા. સાસરિયાઓ પિયરમાંથી ઓછો કરિયાવર લાવ્યા હોવાના મેણાં-ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ઘટનાની વિગતો મુજબ, 19 માર્ચ, 2026 ના રોજ રાત્રે આશરે 9 વાગ્યે પતિ ગણપતજી કામેથી ઘરે પરત ફર્યા હતા. તેમણે જમવાનું કેમ નથી બનાવ્યું તેમ કહી પિન્કીબેન સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે સાસુ અને જેઠાણીએ પણ ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને જણાવ્યું હતું કે, "જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારા ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લઈને આવજે." ત્યારબાદ આરોપીઓએ પિન્કીબેનને તેમના 2 વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી અને ફરીથી અહીં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પિન્કીબેને સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. પોલીસે પતિ ગણપતજી ભીખાજી ભીલ, સાસુ ભીખીબેન ભીખાજી ભીલ અને જેઠાણી કલ્પનાબેન રાહુલભાઈ ભીલ વિરુદ્ધ BNS ની કલમ 85, 115(2), 296(b), 351(3), 54 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ હરૂભા ચાવડા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વિશ્વકર્મા મહિલા મંડળે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી:સમાજના 185 સભ્યોએ ભાગ લીધો, ઝાલાવાડ 11 વિજેતા બન્યું
    Next Article
    ટ્રાયલ રૂમમાં યુવતી કપડાં બદલવા ગઈને દરવાજો લોક થઈ ગયો:ગભરામણથી ફસડાઈ પડીને રડવા લાગી, સુરતના સુમેરુ સીટી મોલમાં ફાયર બ્રિગેડે દરવાજો તોડી બચાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment