Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકચારી ઉના કાંડમાં આજે કોર્ટ સંભળાવશે સજા:દોષિત 5 આરોપી પર વેરાવળ કોર્ટનો કડક વલણ શક્ય

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત ઉના કાંડમાં આજે મહત્વપૂર્ણ તબક્કો છે. વેરાવળ અદાલતે ગઈકાલે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે મંગળવારે તેમને સજા સંભળાવશે. વર્ષ 2016માં બનેલી આ ઘટનાની સજાને લઈને રાજ્યભરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી સામે આજે સજાની જાહેરાત થશે. આ પાંચેય આરોપીઓ પર દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર અને પૂર્વનિયોજિત હુમલો કરવાનો ગુનો સાબિત થયો છે. આ જ કેસમાં 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચાર પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, સજા અંગેનો આજનો નિર્ણય સમગ્ર કેસની દિશા અને સમાજમાં તેના પ્રભાવને નક્કી કરનાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામે આ ઘટના બની હતી. દલિત યુવાનોને જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના વીડિયો વાયરલ થતાં દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સમરસતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. ઉના કાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. લગભગ દસ વર્ષ બાદ આ કેસ અંતિમ તબક્કે પહોંચ્યો છે. આજે સજાની જાહેરાત માત્ર દોષિતોને સજા આપવાનો નહીં, પરંતુ પીડિતોને ન્યાય અને સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો પણ પ્રશ્ન છે. આ નિર્ણય ભવિષ્યમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ આપશે કે નહીં તે મહત્વનું રહેશે. દોષિત ઠરેલા આરોપીઓની યાદી 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છુટકારો અપાયો છે, જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે. સમગ્ર દેશના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાને હચમચાવી દેનારા ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત 'ઉના કાંડ'માં આજે વેરાવળ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં લાંબી કાયદાકીય લડત બાદ અદાલતે મુખ્ય 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. અદાલત આજે મંગળવારે દોષિતોને સજાની જાહેરાત કરશે. કોને દોષિત ઠેરવવામાં આવ્યા? વેરાવળ કોર્ટે આ કેસના મુખ્ય સૂત્રધારો અને હુમલામાં સીધી રીતે સંકળાયેલા નીચેના પાંચ શખ્સોને તકસીરવાન ઠેરવ્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ પર અત્યાચાર ગુજારવા અને કાવતરું ઘડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો સાબિત થયો છે. પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓ નિર્દોષ આ કેસમાં કુલ 42 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 37ને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે ચાર પોલીસકર્મીઓ સામે તપાસ થઇ હતી તેમને પણ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે. નિર્દોષ પોલીસકર્મીઓમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશનભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું નિધન થઇ ચૂક્યું છે)નો સમાવેશ થાય છે. કુલ આરોપીઓમાંથી બે આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે. હવે જાણો આખો બનાવ શું હતો… 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના એક અનુસૂચિત જાતિ પરિવારના સાત સભ્યો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષક હોવાનો દાવો કરનારા કેટલાક શખસે આવીને આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને ગૌહત્યાનો પાયાવિહોણો આરોપ લગાવી પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં ચાર યુવકોને ઉના શહેરમાં લાવી જાહેરમાં અર્ધનગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને ‘દલિત અસ્મિતા યાત્રા’ વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' યોજાઈ હતી. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉના ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત સફાઈ તથા મરેલા પશુઓના નિકાલના કામનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાનૂની કાર્યવાહીની ટાઈમ લાઈન ધરપકડ: સીઆઈડી (ક્રાઈમ) દ્વારા 4 પૂર્વ પોલીસ અધિકારીઓ સહિત કુલ 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટ: ડિસેમ્બર 2016માં હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ અને અત્યાચાર વિરોધી કાયદા (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ટ્રાયલ: ઓગસ્ટ 2018થી આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે, જોકે મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મુક્ત હતા. પીડિતોની મુલાકાતે જનસૈલાબ ઉમટ્યો હતો મોટા સમઢીયાળા ગામે જ્યારે આ અમાનવીય ઘટના બની ત્યારે પીડિત પરિવારોને સાંત્વના આપવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી સામાજિક કાર્યકરો, દલિત સંગઠનો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને પીડિતોના ઘરની આસપાસ સતત લોકોની અવરજવર રહેતી હતી. આ મુલાકાતો માત્ર સહાનુભૂતિ પુરતી મર્યાદિત ન રહેતા એક મોટા જનઆંદોલનમાં પરિવર્તિત થઈ હતી, જેમાં 'ચલો ઉના' જેવા નારાઓ સાથે હજારો લોકોએ પદયાત્રામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી પણ ઉના પહોંચ્યા હતા આ ઘટનાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ પીડિતોને મળવા ઉનાના મોટા સમઢીયાળા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી જેવા નેતાઓએ પીડિતોની મુલાકાત લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તત્કાલિન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પીડિતોના ઘરે જઈને ન્યાયની ખાતરી આપી હતી. આ રાજકીય મુલાકાતોને કારણે આ મુદ્દો સંસદ સુધી ગાજ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આંદોલનો થયા હતા. એકલા ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો નોંધાયા હતા. આ હિંસામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. આ કેસને કારણે ગુજરાતના તત્કાલીન રાજકારણમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિમાચલના મનાલીમાં 2" ફ્રેશ સ્નોફોલ:રસ્તાઓ પર મુસાફરી જોખમી, બરફનો આનંદ માણતા સ્થાનિકો, આજે 4 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ
    Next Article
    Amid ICC Suspension Threat, BCB Makes Big Request To Bangladesh Government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment