Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોત:AMCની બેદરકારીના કારણે સ્થિતિ સર્જાઈ; સ્થાનિકોમાં રોષ; અગાઉ સાબરમતી નદીમાં બની હતી આ ઘટના

    10 hours ago

    શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં અસંખ્ય માછલીઓના મોતનો બનાવ સામે આવ્યો છે. તળાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓના મોતની આશંકા મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તળાવમાં ઓક્સિજન જાળવી રાખવા માટે આશરે 6 ઓક્સિજન મશીનો ઉપલબ્ધ હોવા છતાં એક પણ મશીન ચાલુ ન હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ ઓક્સિજન મશીનો માટે AMC દ્વારા કોન્ટ્રાક્ટરને ભાડું પણ ચૂકવવામાં આવે છે છતાં મશીનો કાર્યરત કેમ ન હતા તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ અગાઉ પણ સાબરમતી નદીમાં ઓક્સિજનની અછત અને પાણીની સ્થિતિને કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટના સામે આવી હતી. ત્યારે પણ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. હાલ વસ્ત્રાલ તળાવ ગાર્ડનની ઘટનાને લઈને સ્થાનિકો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને તળાવની યોગ્ય દેખરેખની માંગ કરી રહ્યા છે. વસ્ત્રાલ તળાવમાં માછલીઓના મોત બાદ AMCની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ઓક્સિજન મશીનો બંધ હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ગટરના પાણીના કારણે મૃત્યુ થયા: ડો. દક્ષા મૈત્રક વસ્ત્રાલ તળાવમાં માછલીઓના મોત મામલે પૂર્વ ઝોનના એડિશનલ સિટી ઇજનેર રાખીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગટરના પાણી વસ્ત્રાલ તળાવમાં આવ્યા નથી. પાણીના શુદ્ધ કરવા માટેના એરેટર બંધ હોય તેના કારણે માછલીઓ મરી ગઈ હોવાની શક્યતા છે, જ્યારે પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષાબેન મૈત્રકે કહ્યું હતું કે અમારા તમામ એરેટર ચાલુ છે અને સ્ટાફ તેમજ કોન્ટ્રાક્ટર પણ ત્યાં હાજર છે. ગટરના પાણીના કારણે મૃત્યુ થયા હોવાનું જણાઈ આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નવા બનતા બ્રિજનો નમેલો ગર્ડર તોડી પડાયો:રેલવે અધિકારીનો ખુલાસો, કહ્યું- વીડિયો દોઢ મહિના જૂનો; સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે બેન્ડ થયો હતો, નવો નખાશે
    Next Article
    પ્રજાના કરોડો રૂપિયા ધૂળધાણી, ફૂડ લેબ બની માત્ર શો-પીસ:​5 કરોડના ખર્ચે વસાવાયેલી આધુનિક મશીનરી બંધ બારણે ધૂળ ખાય છે,સેમ્પલિંગ માટે આજે પણ છેક વડોદરા પર નિર્ભરતા,ખોરાકને બદલે માત્ર પાણીના સેમ્પલ લેવાય લેબમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment