Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીમાં રોહીદાસ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા:ખારાપાટ રોહિત સમાજ અને 54 ગામ નાત દ્વારા મહોત્સવ યોજાયો

    11 hours ago

    પાટડી ખાતે ખારાપાટ રોહિત વિકાસ સંઘ અને ખારાપાટ રોહિત સમાજ 54 ગામ નાત દ્વારા સંત શિરોમણી રોહીદાસ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પૂજ્ય મગનદાસ બાપુના અધ્યક્ષ સ્થાને રોહિત સમાજની વાડીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મહોત્સવમાં અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જોધલપીર વંશજ કેશરડીના પૂજ્ય લાલદાસ બાપુ, ભીમ સાહેબની જગ્યા આમરણના પૂજ્ય બાબુરામ બાપુ, દસાડાના પૂજ્ય ભાણદાસ બાપુ, ઝીંઝુવાડાના પૂજ્ય દયારામબાપુ, રામદેવરા ડાળીબાઈ વંશજ મોતીરામબાપુ અને તરણેતરના પૂજ્ય કનુબાપુનો સમાવેશ થાય છે. ઉપસ્થિત સંતો અને ભૂદેવોએ આ પ્રસંગે આશીર્વચનો પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર વતી તેમના ભાઈ નાગરભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા, મનહરલાલ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય નાનજીભાઈ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ એન.કે. રાઠોડ અને પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુવીર ખાંભલા સહિત અનેક આગેવાનો તથા સમાજ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નવા ગેટનું લોકાર્પણ, મહાઆરતી અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. યજ્ઞ દાતાઓએ સજોડે પાટલે બેસી યજ્ઞમાં આહુતિ આપી હતી. ખારાપાટ રોહિત સમાજ 54 ગામના આગેવાનો, વડીલો તેમજ ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના પ્રમુખ રામજીભાઈ ચાવડા, નાત પ્રમુખ બેચરભાઈ ચૌહાણ, મહામંત્રી ધનાભાઈ ચાવડા, ખજાનચી પાલજીભાઈ મકવાણા અને સહમંત્રી જેઠાલાલ સોમેશ્વરાએ આ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નર્સ પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર ઝડપાયો:ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ પ્રેમસંબંધ કેળવ્યો, મોટી ટાંકી ચોક પાસેની હોટલમાં કુકર્મ આચર્યું
    Next Article
    ગરમીનો પારો વધીને 41.6 ડિગ્રી પહોંચ્યો:સતત બીજા દિવસે તાપમાનનો પારો ઊંચકાઈને 41.6 પહોંચતા લોકો ગરમી માં અકળાયા, 32 કિલોમીટર ઝડપે ગરમ લું ફેંકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment