Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમૂહ વિવાહ સમારોહ યોજાયો:ગોડાદરામાં દ્વિતીય સમુહ વિવાહ સમારોહ યોજાયો, 51 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

    11 hours ago

    ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિ દ્વારા દ્વિતીય સમુહ વિવાહ સમારોહનુ આયોજન 14 માર્ચ શનિવાર સાંજે મહર્ષિ આસ્તિક વિદ્યાલય ગોડાદરા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સવારે 9:30 કલાકે મંડપ પ્રવેશ અને 10:30 કલાકે લગ્નનો પ્રારંભ થયો હતો. સમૂહ વિવાહ સમારોહ કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલલે કન્યાઓને સુભાષિશ આપવાની સાથે આવતા વર્ષે 14 માર્ચ 2027ના રોજ થનાર ત્રીજા સમૂહ લગ્ન સમારોહનું. ઉદ્ઘાટન કર્યું હતું. માથે દેવું કરીને વિવાહ કરવા પડે નહીં તે માટે સુરતમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના મધ્યમ વર્ગીય પરિવારોની દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાય તે માટે ઉત્તર ભારતીય સમુહ વિવાહ સમિતિના અગ્રણી અમરસિંહ રાજપુત, અમિત સિંહ રાજપુત, વિજય પ્રકાશ રાજપુત, અનુજ રાજપુત, ધર્માત્મા ત્રિપાઠી, કપિસ રાજપુત, અનુપ રાજપુત, ગીરીશ શ્રીવાત્સવ,રાજુ પાસવાન અને રાહુલ તિવારી સહિતના આગેવાનોની ટીમ દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક દીકરીઓને કરિયાવર સ્વરૂપે 35 જેટલી ચીજ વસ્તુઓ ભેટમાં અપાઇ હતી. અતિથિ વિશેષ સંત વિજયનંદપુરીજી મહારાજ પંચાવતી મહાનિર્વાણી અખાડા દક્ષિણામૂર્તિ શનિ હનુમાન મંદિરના આશીર્વાદ અને ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતા પાટીલ અને કિશોર બિન્દલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે પોલીસ વડા:સુરત ડાયમંડ બુર્સની રાજ્યના પોલીસ વડાએ મુલાકાત લીધી
    Next Article
    4 હજાર મહેમાનોની હાજરીમાં યોજાયા સમૂહલગ્ન:101 દીકરીઓના સમૂહલગ્ન સંપન્ન, તમામને સર્વાઈકલ કેન્સરની રસી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment