Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા શ્રાવણીયા સોમવારે સાબરકાંઠાના શિવ મંદિરોમાં અદભૂત સજાવટ:રાજેન્દ્રનગરના સોમનાથ મહાદેવને 51 કિલો ચોખા, બીલીપત્રો અને વિવિધ ફૂલોની પાંદડીઓનોથ શણગાર

    23 hours ago

    બીજા શ્રાવણીયા સોમવારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સાંજે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને શિવ ભક્તોએ દાદાને અદભૂત રીતે સજાવ્યા હતા. હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે 51 કિલો ચોખા, બીલીપત્રો અને વિવિધ ફૂલોની પાંદડીઓ વડે દાદાનો ભવ્ય શણગાર કરાયો હતો. આ શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત, હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે વૈજનાથ યુવક મંડળ દ્વારા 100 કિલો વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને દાદાને શણગારવામાં આવ્યા હતા. આ અનોખો શણગાર જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરે ફૂલોની પાંદડીઓ વડે 'ૐ' નો શણગાર કરાયો હતો. મહેતાપુરામાં આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિરે ગુલાબ, ગલગોટા સહિતના વિવિધ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ઇડર તાલુકાના જાદર ગામે આવેલા મુઘણેશ્વર મહાદેવ મંદિરે પણ ફૂલો અને પાંદડીઓ વડે દાદાને સજાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રશિયન રાષ્ટ્રપતિ પુતિન સપ્ટેમ્બરમાં ભારત આવી શકે છે:કહ્યું- મોદી સાથે મુલાકાત ટૂંક સમયમાં; જયશંકરે રશિયા પહોંચીને બ્રિક્સનું આમંત્રણ આપ્યું
    Next Article
    RSS કાર્યાલયથી તમામ મંત્રીઓને તેડું:મણિનગરમાં 5 કલાક ચિંતન-મંથન, PM મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણી પર પણ ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment