Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક મહાકુંભ:વેમાલી ગ્રાઉન્ડમાં 5000 થી વધુ દીવડાઓ સાથે ઉમિયા માતાજીની ભવ્ય આરાધના થશે

    14 hours ago

    વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી અશાંતિ અને તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ભારત દેશમાં શાંતિ જળવાઈ રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવા ઉમદા હેતુ સાથે વડોદરામાં એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, પાટીદાર દ્વારા 22 માર્ચ, રવિવારના રોજ વડોદરાના વેમાલી ગરબા ગ્રાઉન્ડ ખાતે માતાજીની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ભક્તિમય કાર્યક્રમોની રૂપરેખા વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલા વેમાલી ગરબા ગ્રાઉન્ડમાં સાંજે 5:00 થી 9:00 કલાક દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની શરૂઆત બપોરે 3:00 વાગ્યાથી ભજન મંડળ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યા સુધી બહુચર માતાજીનો આનંદનો ગરબો ગવાશે. ભક્તોમાં ઉત્સાહ જગાડવા માટે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ અને ત્યારબાદ સાંજે 6:45 થી 7:15 કલાક દરમિયાન હજારો દીવડાઓ સાથે માં ઉમિયાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે રાત્રે 7:45 સુધી માતાજીના ગરબાની રમઝટ જામશે. સંગઠનની મજબૂત તૈયારીઓ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટનું ઉમિયાધામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે વડોદરા જિલ્લાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. આ કાર્યક્રમની સફળતા માટે ફાઉન્ડેશનના પ્રણેતા આર પી પટેલ, યુવા સંગઠનના ચેરમેન ચિરાગભાઈ પટેલ, સામાજિક સંગઠનના ચેરમેન પિનાકિનભાઈ પટેલ અને જિલ્લા કન્વીનર દિપકભાઈ પટેલ સહિતની ટીમે વડોદરા કાર્યાલય ખાતે બેઠક યોજીને આખરી ઓપ આપ્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિ આ પ્રસંગે માર્ગદર્શક તરીકે આર પી પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે યુવા સંગઠનના ચેરમેન જીતુભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ પટેલ, યુવા સંગઠનના મહામંત્રી સુરેશભાઈ કે પટેલ, કિસાન મોરચાના મહામંત્રી મિહિરભાઈ પટેલ અને યુવા મોરચાના મહામંત્રી રોનકભાઈ પટેલ હાજરી આપી ભક્તોનો ઉત્સાહ વધારશે.
    Click here to Read More
    Previous Article
    ફાર્મ હાઉસની રખેવાળી કરતા ચોકીદારનું જ ઘર અસુરક્ષિત:કલોલમાં પિતા પુત્રની બોર્ડની પરીક્ષા અપાવવા ગયા ને તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું, 2.80 લાખના દાગીના ચોરાયા
    Next Article
    ગીર સોમનાથમાં 117 ગામો તમાકુમુક્ત જાહેર:કલેક્ટરની અધ્યક્ષતામાં 'કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ' કાર્યશિબિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment