Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 500 ગામો બનશે ‘પ્રાકૃતિક ગ્રામ’:ક્લસ્ટર અભિગમથી ખેડૂતોને મળશે સીધું બજાર, પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં થશે મોટો ઘટાડો

    11 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે એક ક્રાંતિકારી જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હવે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ‘ક્લસ્ટર બેઝ્ડ’ અભિગમ અપનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના 500 ગામોને પસંદ કરી તેમને ‘પ્રાકૃતિક કૃષિ ગ્રામ’ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તાલીમથી લઈને ટેકનિકલ સહાય સુધીનું આયોજન પસંદ કરવામાં આવેલા 500 ગામોમાં જ્યાં પ્રાકૃતિક ખેતીની મહત્તમ શક્યતાઓ છે, ત્યાં તબક્કાવાર સમગ્ર વિસ્તારને રસાયણમુક્ત ખેતી હેઠળ આવરી લેવાશે. આ ગામોના ખેડૂતોને માત્ર મૌખિક સલાહ જ નહીં, પરંતુ પાયાના સ્તરે જઈને વિશેષ તાલીમ, માર્ગદર્શન અને જરૂરી ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો છે. સર્ટિફિકેશન અને બજાર વ્યવસ્થા પર ભાર ખેડૂતો દ્વારા ઉત્પાદિત પાકને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ મળે તે માટે સર્ટિફિકેશનની પ્રક્રિયાને અત્યંત સરળ અને સુલભ બનાવવામાં આવશે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ ક્લસ્ટરોને સીધા જ બજાર સાથે સાંકળવામાં આવશે. જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઘટશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. સામૂહિક ખેતીથી ખર્ચમાં ઘટાડો અને નફામાં વૃદ્ધિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે ખેડૂતો વ્યક્તિગત રીતે ખેતી કરવાને બદલે ક્લસ્ટર એટલે કે જૂથમાં પ્રાકૃતિક ખેતી અપનાવશે, ત્યારે પરિવહન, પેકેજિંગ અને વેચાણના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. સામૂહિક શક્તિના કારણે ખેડૂતો બજારમાં વધુ સારી રીતે રજૂઆત કરી શકશે અને વધુ નફો મેળવી શકશે. આ નિર્ણયથી પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોને શુદ્ધ આહાર પણ પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે મગરનું રેસ્ક્યૂ:ફાયર વિભાગના જવાનોએ જીવ જોખમમાં મૂકી સાડા ચાર ફૂટના મગરને બહાર કાઢ્યો
    Next Article
    પંચમહાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કેસોની સમીક્ષા:કલેક્ટર અજય દહિયાએ કમિટી સભ્યો સાથે બેઠક યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment