Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી વાલઝર પુલ પાસે યુવકે લગાવી મોતની છલાંગ:કરોડોના ખર્ચે બનેલો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ, 50 હજાર લોકો પ્રભાવિત; ગણદેવીમમાં 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

    15 hours ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મોટી વાલઝર પુલ પરથી વિકેશ કાંતિલાલ પટેલ નામના યુવકે કાવેરી નદીના ધસમસતા પ્રવાહને જોઈને નદીમાં મોતની છલાંગ લગાવી ઝંપલાવ્યું હતું, જેની જાણ થતાં જ વાંસદા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ નદીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી અને અડચણ ઊભી થઈ રહી છે. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પૂરના પાણીએ શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા મહત્વપૂર્ણ ઓવરબ્રિજને પણ અસર કરી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજનો પશ્ચિમ તરફનો ઢાળ (જાલાલપોર તરફ ઉતરતો રસ્તો) સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર માટે બ્રિજ બિનઉપયોગી બન્યો છે. નવસારી અને જલાલપોરને શહેર સાથે જોડતો આ ઓવરબ્રિજ અને નીચે આવેલું ગરનાળું શહેરની મુખ્ય લાઇફલાઇન સમાન છે. દરરોજ 50,000થી વધુ નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચે અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. જોકે, બ્રિજના ઢાળમાં અને ગરનાળામાં કમરબૂડ પાણી ભરાઈ જવાથી બંને તરફનો સંપર્ક કપાઈ ગયો છે, જેના કારણે હજારો વાહનો અને નાગરિકો અટવાઈ પડ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાના જાહેર ભંડોળનો ઉપયોગ કરીને આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જેથી ચોમાસામાં પૂર કે પાણી ભરાવાની સ્થિતિમાં વાહનવ્યવહાર બંધ ન થાય. પરંતુ ઓછા વરસાદ અને નદીના પૂરના પાણીમાં ઢાળ ડૂબી જતાં આ પ્રોજેક્ટની ડિઝાઇન અને કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઓવરબ્રિજનો ઢાળ જળમગ્ન થતાં જ તત્કાલીન નગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓની અણઆવડત અને નબળું આયોજન ખુલ્લું પડ્યું છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે બ્રિજના નિર્માણ સમયે યોગ્ય ટેકનિકલ સર્વે અને પૂરના સ્તરનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું, જેના પરિણામે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ પૂરના પાણી ઓસરવાની રાહ જોવા સિવાય સ્થાનિક પ્રશાસન કે નાગરિકો પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારી દ્વારા વેપારી-ઉદ્યોગકાર શિબિર:તણાવમુક્ત જીવન અને સકારાત્મક નેતૃત્વ પર માર્ગદર્શન અપાયું
    Next Article
    વેરાવળના પાર્શ્વ શાહે બનાવ્યું રિમોટ વગરનું ડ્રોન:આફતમાં મદદરૂપ થશે; મારવાડી યુનિવર્સિટી ખાતે NCC કેડેટ્સ અને આર્મી અધિકારી સમક્ષ લાઈવ ડેમો આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment