Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી’:ઊર્જા મંત્રીએ કહ્યું- ગેસ પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો, ઉદ્યોગોમાં વપરાતા ગેસ પર 50 ટકા સુધીનો કાપ મુકાયો

    1 day ago

    રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ‘ઉદ્યોગોમાં વપરાતા ગેસ પર 50 ટકા સુધીનો કાપ’ ઊર્જા મંત્રીના જણાવ્યા મુજબ હાલ ઉદ્યોગોમાં વપરાતા ગેસ પર 50 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે, જ્યારે ફર્ટિલાઈઝર ક્ષેત્રમાં 40 ટકા સુધી ગેસ સપ્લાય ઘટાડવામાં આવ્યો છે. તેમ છતાં ઘરગથ્થુ ઉપયોગ માટેના ગેસના પુરવઠા પર કોઈ અસર ન પડે તે સરકારની પ્રાથમિકતા છે. પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારનું મુખ્ય ધ્યાન એ વાત પર છે કે રાજ્યના દરેક ઘરમાં ચૂલો સળગતો રહે અને લોકોને રાંધણ ગેસ માટે કોઈ મુશ્કેલી ન પડે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે કોમર્શિયલ ગેસ પર ખાસ કોઈ કાપ મૂકાયો નથી અને પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Today News Headlines for School Assembly, March 10, 2026: Home ministry bars NCW, NHRC, NCPCR, NCLT from seeking issuance of Look Out Circulars
    Next Article
    ભરૂચમાં હિન્દુ એકતા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-6 યોજાઈ:એસ.એન. ઇલેવન ભુવા ચેમ્પિયન, શિવાર્થ ઇલેવન રનર-અપ રહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment