Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં હાલારી પાઘડી પહેરી પીએમ મોદીએ સંબોધન કર્યું:બંગાળ ચૂંટણીના પરિણામની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ, 50 વર્ષનો ખાડો પૂરી દોડતું કરવાનું કામ ભાજપ કરશે

    21 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુકાલતે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જામનગર અને સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. PMના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને લઈને ત્રણેય શહેરમાં ભક્તિ, રાષ્ટ્રવાદ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાના સ્થળે પહોંચ્યા હતા. જનસભા સ્થળે ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળ સહિત દેશના અન્ય રાજ્યોના લોકો વડાપ્રધાનશ્રીને આવકારવા મોટી સંખ્યામાં લાલ બંગલો સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું શાલ-ખેસ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું હતું. હાલારી પાઘડીમાં સજ્જ વડાપ્રધાને જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં વડાપ્રધાને ગુજરાતમાં ભારતીય જનતાપાર્ટીને લાંબા સમયથી મળી રહેલું જનસમર્થન, સોમનાથ સ્વાભિમાન પર્વ અને તાજેતરમાં બંગાળમાં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતાપાર્ટીના ભવ્ય વિજયનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે બંગાળ ચૂંટણીના પરિણામની ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ ઉજવણી થઈ. આવી ચૂંટણી મેં અત્યાર સુધી જોઈ નથી. જનસભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી રાત્રિરોકાણ માટે સર્કિટ હાઉસ રવાના થયા હતા. આવતીકાલે 11 મેના રોજ સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં પીએમ મોદી ભાગ લેશે અને ત્યાર બાદ વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ એક વિશાળ જાહેર સભાને સંબોધશે. સોમનાથ: અમૃત પર્વ પર આકાશમાં ‘સૂર્યકિરણ’ની ગર્જના અને રોશનીનો ઝળહળાટ બીજા દિવસે 11મી મેએ PM મોદી સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં સહભાગી થશે. જેને લઈ સોમનાથમાં દિવાળી જેવો માહોલ છે. વડોદરા: પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન અને રોડ-શોની તૈયારી 11મી મેએ 'સોમનાથ અમૃત મહોત્સવ’માં સહભાગી થયા બાદ પીએમ મોદી વડોદરામાં ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે. અહીં તેમનો દોઢ કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો યોજાશે. સુરક્ષા અને તૈયારીઓનો આખરી ઓપ રાજ્યની સુરક્ષા એજન્સીઓ, SPG અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ત્રણેય શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી સર્વેલન્સ, થ્રી-લેયર બેરિકેડિંગ અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આ પ્રવાસથી ગુજરાતમાં ફરી એકવાર વિકાસ અને ભક્તિનો ઉત્સવ છવાઈ જશે.
    Click here to Read More
    Previous Article
    RCB vs MI IPL 2026 LIVE Score: Krunal’s brave knock ends, Bengaluru (149/7) vs Mumbai at Raipur
    Next Article
    RCB vs MI IPL 2026 LIVE Score: Krunal Pandya slams 73 as Royal Challengers Bengaluru defeat Mumbai Indians by 2 wickets in thriller

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment