Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હંસરાજ નગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પરિવારના 5 સભ્યો દાઝ્યા:ધડાકો એટલો પ્રચંડ હતો કે ઘરના પતરાં હવામાં ઉડ્યા; કારણ જાણવા FSLની મદદ લેવાઈ

    2 days ago

    રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેના હંસરાજ નગરમાં ગતરાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મકાનની ઓરડી પર રહેલા પતરાં કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા. ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો, જેને પગલે આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોની વિગત (તમામ મૂળ ઉત્તર પ્રદેશના અને અહીં ભાડાની ઓરડીમાં રહેતા હતાં) નવો સિલિન્ડર લીકેજ હોવાનું અનુમાન પોલીસની પ્રાથમીક તપાસમા પરવેઝ અને વિશાલ બંને સગા ભાઈઓ હોવાનુ અને કોઠરીયા રોડ ઉપર હંસરાજ નગરમાં ભાડાની ઓરડીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાત્રે ગેસનો બાટલો ખાલી થઈ જતાં નવો બાટલો ચડાવવામાં આવ્યો હતો, જે નવો બાટલો લીકેજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે નવો બાટલો લગાવી ગેસ ચાલુ કરવામાં આવ્યો ત્યારે તરત જ આગ ભભુકી ઉઠી હતી. બે વ્યક્તિની હાલત ગંભીર બનાવ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પિંકીબેન ચૌહાણએ જણાવ્યું કે, ગતરાત્રે 9:30 આસપાસ ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જેમાં પરિવારના પાંચ લોકો દાઝી જતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પૈકી બે વ્યક્તિની હાલત ગંભીર છે. બાકીનાને પણ દાઝી જવાથી સારી એવી ઇજા પહોંચી છે. હાલ ડૉક્ટર્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તમામની સારવાર કરી ઝડપથી સ્વસ્થ કરવામાં આવે તે અમારી માંગ છે. આ દુર્ઘટના કેમ બની તે અંગે પોતે પણ અજાણ હોવાનું તેમણે જણાવ્યું હતું. FSL દ્વારા તપાસ શરૂ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસ સ્થળ પર પહોંચી હતી. દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા FSL (Forensic Science Laboratory)ની મદદ લેવામાં આવી છે. ગેસ સિલિન્ડરની ગુણવત્તા અને કનેક્શનમાં કોઈ ખામી હતી કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે રાજ્યસભામાં નોટિસ:તેના પર 73 સાંસદોની સહી, માર્ચમાં બંને ગૃહોમાં પ્રસ્તાવ રદ થઈ ચૂક્યો છે
    Next Article
    જૂનાગઢમાં પોલીસના એમટી વિભાગમાં ભીષણ આગ::પોલીસના MT વિભાગમાં 18 થી વધુ જપ્ત કરેલા વાહનો રહસ્યમય આગ: 15 બાઈક, 2 રિક્ષા અને કાર સહિતનો મુદ્દામાલ ખાખ, 15 હજાર લિટર પાણીનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment