Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવાયા:5 કિલો ચંદન 7 દિવસ ઘસીને તૈયાર કરાયા

    14 hours ago

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૧૯ એપ્રિલ, રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા મળે તે હેતુથી આ શણગાર કરવામાં આવ્યા હતા. આ શણગાર માટે પાંચ કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત દિવસથી કિશોરો અને યુવાનો દ્વારા પથ્થર પર ચંદન ઘસીને આ વાઘા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ તેમાંથી ગોટીઓ બનાવવામાં આવે છે. આ ગોટીઓનો ઉપયોગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો અને હરિભક્તો કપાળમાં તિલક કરવા માટે કરે છે. વૈશાખ માસમાં સખત ગરમી પડતી હોય છે, ત્યારે ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ સેવાઓ કરે છે. આધુનિક સમયમાં લોકો ગરમીથી બચવા પંખા, એરકુલર કે એરકન્ડીશનરનો ઉપયોગ કરે છે અને મંદિરોમાં પણ ભગવાનને ઠંડક આપવા માટે એ.સી. અને પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. જોકે, જ્યારે આ સાધનો ઉપલબ્ધ ન હતા, ત્યારે ભક્તો હાથથી પંખો નાખીને અને ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને તેનો લેપ તૈયાર કરી ભગવાનના શણગાર કરતા હતા, જેને ચંદનના શણગાર કહેવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩મા વચનામૃતમાં ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાનો આદેશ આપ્યો છે. આ પરંપરાને અનુસરીને કુમકુમ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી ચંદન વાઘાના શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત, અખાત્રીજના દિવસનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જગન્નાથપુરી અને અમદાવાદમાં યોજાતી રથયાત્રાના રથોના નિર્માણ કાર્યનો પ્રારંભ થાય છે. ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ પણ આ જ દિવસથી થાય છે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા ગામે દરજી પરિવાર દ્વારા બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવાયો:બહારગામથી આવેલા પરિવારોએ યજ્ઞ દર્શન અને પ્રસાદનો લાભ લીધો
    Next Article
    સુરતમાં 423 વર્ષિતપ પારણા મહોત્સવ યોજાયો:શ્રી ઉમરા શ્વે.મૂ.પૂ. જૈન સંઘે પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment