Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશનમાં ઓર્ડર કરનારી મોટી માછલીઓને બચાવવા કારસો?:સ્થળ પર હાજર સુરત મનપાના રામજીવાલા સહિત 5 એન્જિનિયર સસ્પેન્ડ, પાંચેય સામે હાઇકોર્ટમાં અરજી

    19 hours ago

    સુરતના નાસીરનગર ડિમોલિશનમાં કોર્પોરેશનના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાંચેય સામે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કામગીરી અંગે ઊભા થયેલા વિવાદ બાદ એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્પક્ષ તપાસ બાદ પાંચ અધિકારીઓને કરાયા ફરજમોકૂફ આ સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આકરા પગલાં લેવાયા છે. જેમાં કામગીરી સાથે જોડાયેલા કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તથા જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી (સસ્પેન્ડ) હેઠળ મૂકવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જયંગ રામજીવાલા ઘટનાસ્થળે હાજર હતા નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક એન્જિનિયર 8 જૂન સવારથી અચાનક એક સપ્તાહ માટે રજા પર ઉતરી ગયા હતા. માથા પર રૂમાલ બાંધીને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે હાજર રહેલા જયાંગ જીવન રામજીવાલાએ વિવાદ વકરતાં પોતાને બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયામાં ડિમોલિશન કામગીરી દરમિયાન તેમના વીડિયો વાઇરલ થતાં તેઓની હાલત કફોડી બની હતી. સુજલ પ્રજાપતિનો શું રોલ? હાઇકોર્ટે 29 જૂને પોલીસ કમિશનરનો ઉધડો લીધો હતો સુરત નાસીરનગર ડિમોલિશન મામલે 29 જૂને હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ફરી એકવાર સુરત પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસની હાજરી હોવા છતાં ત્યાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે 16 દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા?. આ સાથે જ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે ડીમાર્કેશનની કામગીરીમાં DCP કક્ષાના અધિકારીઓ જાય?. આ સમગ્ર વિવાદમાં હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરીને સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. આ સમગ્ર મામલે આગળની સુનાવણી 2 જુલાઈના રોજ યોજાશે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) નાસીરનગરની બાજુમાં આકાર લેતા ₹30 કરોડના ખાનગી પ્રોજેક્ટ સાથે શું છે કનેક્શન? કતારગામ-વેડ રોડ પર આવેલા નાસીરનગરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કડક કાર્યવાહી પાછળ માત્ર વહીવટી પ્રક્રિયા જ નહીં, પરંતુ એક મોટું આર્થિક અને બિલ્ડર લોબીનું હિત છુપાયેલું હોવાની ચર્ચા છે. આધારભૂત દસ્તાવેજો અને ગુજરેરાના સત્તાવાર રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરતા સામે આવ્યું છે કે, જે જગ્યા પર વર્ષો જૂના ગરીબોના આશિયાના તોડી પાડવામાં આવ્યા, તેની બિલકુલ બાજુમાં જ અંદાજે ₹30.58 કરોડ ( ₹30,58,30,855) ના માતબર ખર્ચે એક મોટો ખાનગી આવાસ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે, જેનું નામ 'પાલિયા લાઇફસ્ટાઇલ 1' છે. આ ડિમોલિશન અને બાજુમાં બની રહેલા પ્રોજેક્ટના ટાઈમિંગને લઈને હવે સ્થાનિક સ્તરે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ‘273 રેસિડેન્શિયલ યુનિટ્સ ધરાવતો 'E' બ્લોક બની રહ્યો છે’ વેડ દરવાજા અને ચંદ્રશેખર આઝાદ બ્રિજની બિલકુલ નજીક વોર્ડ નંબર 7માં આવેલી આ કિંમતી જમીન પર ભાગીદારી પેઢી 'સેતુબંધ ઇન્ફ્રા' દ્વારા 273 રેસિડેન્શિયલ યુનિટ્સ ધરાવતો એક મોટો બ્લોક 'E' બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ સત્તાવાર રીતે 24 ડિસેમ્બર 2025ના રોજ શરૂ થયો છે. શૈલેષ મનજીભાઈ કાછડીયા અને સંજયભાઈ જી. લાખાણી પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારો આ ઇન્વેસ્ટિગેશનમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આટલા મોટા પ્રોજેક્ટ માટે ડેવલપર્સ દ્વારા કોઈ પણ બેંક પાસેથી લોન લેવામાં આવી નથી (0% Loan Liability). પ્રોજેક્ટના દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે ₹30.58 કરોડનું આ આખું સામ્રાજ્ય બિલ્ડર્સ પોતાની મૂડી અથવા આંતરિક નાણાકીય સોર્સથી ઊભું કરી રહ્યા છે. જ્યારે રિયલ એસ્ટેટ માર્કેટમાં આટલું મોટું રોકાણ લોન વગર થતું હોય, ત્યારે તંત્ર પર દબાણ લાવીને આસપાસની જમીનો ખાલી કરાવવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. આ પ્રોજેક્ટના મુખ્ય ભાગીદારોમાં શૈલેષ મનજીભાઈ કાછડીયા અને સંજયભાઈ જી. લાખાણીના નામો ચર્ચામાં છે. આ પણ વાંચો.. બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV આ પણ વાંચો: ભાજપ નેતા ઝાકિર શાહ અને પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, CCTVમાં ઘટસ્ફોટ આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ આ પણ વાંચો: આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં ડિમોલિશન કર્યું આ પણ વાંચો: અચ્છા...એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા આ પણ વાંચો.. 10 જૂનના રોજ દિવ્ય ભાસ્કરે આ ભૂતિયા ડિમોલિશનને લઈ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું શું છે ભૂતિયા ડિમોલિશન વિવાદ? સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનનો અસલી 'વિલન' કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત-નવસારીમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં વરસાદ ભુક્કા બોલાવશે:5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ગુજરાતનો દરિયો તોફાની બની શકે; જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું
    Next Article
    સોમનાથમાં GST વિભાગના દરોડા:ચારથી વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરની વિવિધ હોટલ-ગેસ્ટહાઉસોમાં ચેકિંગ હાથ ધર્યું, ટેક્સચોરીની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment