Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દલિત યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:રાજકોટ ક્રાઈમ બ્રાંચે હમીર જોગરાણાને અંકલેશ્વરથી ઝડપ્યો, મૃતક અને આરોપી એક જ યુવતીના હતા સંપર્કમાં; 5 લાખની માંગણી કરતા થઈ હતી માથાકૂટ

    2 days ago

    રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16 માર્ચ, 2026ના દિવસે દલિત યુવકની ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ કરી છે. આરોપી હમીર અને મૃતક ભાવેશ એક યુવતીના પરિચયમાં હતા. જેથી વારંવાર બોલાચાલી થતી અને મૃતક ભાવેશ દ્વારા છેલ્લે આરોપી પાસે રૂપિયા 5 લાખની માંગણી પણ કરવામાં આવતી હતી. જેના કારણે રોષે ભરાયેલા ભરવાડ બંધુઓએ સમાધાન માટે બોલાવી બાદમાં અપહરણ કરી માર મારી હત્યા નિપજાવી હતી. આ કેસમાં અગાઉ 3 આરોપીની ધરપકડ બાદ આજે વધુ એક મુખ્ય આરોપીને ઝડપી પાડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે હમીરને અંકલેશ્વરથી દબોચ્યો શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, 16 માર્ચ, 2026ના રોજ રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર ગેઇટ નજીક ભાવેશ વણવી નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં આરોપીઓએ સમાધાન માટે બોલાવી બાદમાં અપહરણ કરી માર મારી ભરવાડ બંધુઓએ ભાવેશની હત્યા નિપજાવી હતી. આ કેસમાં પોલીસે તાત્કાલિક પ્રથમ ત્રણ આરોપી રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણાની ધરપકડ કરી હતી. આ પછી 3 એપ્રિલ સુધી મુખ્ય આરોપી હમીર જોગરાણા નાસ્તો ફરતો હતો. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચે હમીરને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો. DySP SC-ST સેલને તપાસ સોંપાય શકે શહેર એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી હમીર અને મૃતક ભાવેશ બંન્ને એક યુવતીના સંપર્કમાં હતા.આ યુવતીના કારણે બંન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા અને બોલાચાલી થતી હતી આ પછી મૃતક ભાવેશ દ્વારા રૂપિયા 5 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ માટે DYSP SC ST સેલને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ બે ફરિયાદ નોંધાયેલી પોલીસ તપાસ દરમિયાન આરોપી હમીર જોગરાણા વિરુદ્ધ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટ હેઠળ એક ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને રાજકોટના ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. જ્યારે મૃતક ભાવેશ વિરુધ્ધ પણ અગાઉ 7 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. એક વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો છે. પાસાથી છુટયાના 15 દિવસ બાદ જ ભાવેશને આરોપીઓ સાથે બોલાચાલી થતા આરોપીઓ દ્વારા માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
    Click here to Read More
    Previous Article
    'હવે આ મામલામાં ન પડતો નહીંતર જાનથી મારી નાખીશું':મિત્રની પત્ની સાથેના આડા સંબંધની જાણ કરવાની આશંકામાં યુવક પર પાઈપથી હુમલો, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
    Next Article
    Saurashtra Heavy Rainfall LIVE | સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતમાં ભારે વરસાદ | Farmers | Weather | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment