Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ચાંપાનેર-બાકરોલ વચ્ચેનું રેલવે ક્રોસિંગ 5 દિવસ બંધ રહેશે:રેલવે પ્રશાસને સમારકામ શરૂ કર્યું, વૈકલ્પિક માર્ગ સૂચવાયો

    2 days ago

    દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે રૂટ પર ચાંપાનેર અને બાકરોલ રેલવે સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નંબર 22 સમારકામના કારણે આગામી પાંચ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા લેવામાં આવ્યો છે. આ ક્રોસિંગ 11 જૂન 2026, ગુરુવારથી લઈને 15 જૂન 2026, સોમવાર સુધી તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. આ માર્ગ પર ભારે રોડ ટ્રાફિકના કારણે લેવલ ક્રોસિંગની રોડ સપાટી ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેનું તાત્કાલિક મેન્ટેનન્સ કરવું અનિવાર્ય બન્યું છે. રેલવે પ્રશાસન દ્વારા રોડ રિપેરિંગની આ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ સૂચવવામાં આવી છે. આ પાંચ દિવસના રિપેરિંગ સમયગાળા દરમિયાન, રોડનો ઉપયોગ કરનારા તમામ વાહનચાલકો સમલાયા રોડ ઓવર બ્રિજ (ROB) પરથી ડાયવર્ઝન લઈને અવરજવર કરી શકશે. મુસાફરોને આ સમય અને વૈકલ્પિક રસ્તાની ખાસ નોંધ લેવા વિનંતી છે.
    Click here to Read More
    Previous Article
    છૂટીછવાઈ માહિતીમાંથી આઇટી કંપનીઓ નવી તકો શોધી રહી છે:કોગ્નિઝન્ટે કર્મચારીઓના ઈમેલ-ચેટમાંથી 1,900 કરોડનો બિઝનેસ મેળવ્યો; AIએ મદદ કરી
    Next Article
    ચીખલીમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આક્રમક:MLA અનંત પટેલ સહિતનાઓએ બળદગાડામાં બેસી રેલી યોજી, વિવિધ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું, મામલતદારને આવેદનપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment