Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરનો હાથમતી વિયર 5 કલાકમાં ભરાયો:40 ક્યુસેક પાણી નદીમાં, મહેતાપુરા કોઝવે પર બંદોબસ્ત

    10 hours ago

    હિંમતનગરમાં હાથમતી નદી પરનો વિયર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં રાત્રી દરમિયાન વરસેલા વરસાદને કારણે હાથમતી વિયર 8 ફૂટ ભરાઈ ગયો હતો, જેના પરિણામે રવિવારે સવારે 4 વાગ્યે ખાલી રહેલો વિયર પાંચ કલાકમાં સંપૂર્ણ ભરાઈ ગયો અને ઓવરફ્લો થયો. હાલમાં વિયરમાંથી હાથમતી નદીમાં 40 ક્યુસેક પાણી વહી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેતાપુરા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક યુવાનો કોઝવે પર વહેતા પાણીમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા, જોકે પોલીસ આવતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. હિંમતનગરમાં પણ ફરી વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠા જિલ્લાના અન્ય જળાશયોની સ્થિતિ જોઈએ તો, ગુહાઈમાં 2038 ક્યુસેક, હાથમતીમાં 1190 ક્યુસેક અને ખેડવામાં 20 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જવાનપુરા બેરેજમાં 50 ક્યુસેક પાણીની આવક સામે 50 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે. સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પોશીનામાં સૌથી વધુ 16 મિમી, ખેડબ્રહ્મામાં 04 મિમી, વિજયનગરમાં 03 મિમી, વડાલીમાં 02 મિમી અને ઇડરમાં 01 મિમી વરસાદ પડ્યો છે. સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં પાણીની સતત આવક વધતા, તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે બપોરે 2 થી 3 વાગ્યાની આસપાસ બેરેજમાંથી જરૂરિયાત મુજબ પાણી છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે. આ ચેતવણીના પગલે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા, ગણેશપુરા, જુનાસંઘપુર અને ધનપુરા ગામો તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ, સરોલી, ગેડ અને વાગપુર ગામોના રહેવાસીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. આ તમામ આઠ ગામોના રહીશો અને ખેડૂતોને નદીના પટમાં કે કિનારાના વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. સંબંધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીઓને પણ જરૂરી કાર્યવાહી કરવા અને ગ્રામ્ય સ્તરે સંકલન સાધવા પત્ર પાઠવી તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પૂરના પાણી ઓસરતાં જ સફાઈ કામગીરી શરૂ:23 બંધ રસ્તાઓ વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ, લિંબાયતમાં મેડિકલ કેમ્પ અને નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારમાં પણ SMCની મદદ
    Next Article
    'હું મારી લાઈફ પૂરી કરું છું, આત્મહત્યા કરવા જાવ છું':મહેસાણા SP કચેરીના મેઈલ ID પર યુવકે મેઈલ કરતા દોડધામ મચી, પોલીસ લોકેશનના આધારે યુવક સુધી પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment