Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી નજીક ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:નિરમા ગ્રુપના સંચાલકના પૌત્ર સહિત 5 લોકો સવાર હતા, પાયલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

    16 hours ago

    નવસારી શહેરને અડીને આવેલા મરોલી પાસેના ભાઠા ગામે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. હવામાં ઉડી રહેલા એક હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગામની ખુલ્લી જગ્યામાં તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ હેલિકોપ્ટરમાં નિરમા કંપનીના સ્થાપક કરસનભાઈ પટેલના પૌત્ર ધ્રુમિલ પટેલ સહિત 5 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, નિરમા ગ્રુપના સંચાલકના પૌત્ર ધ્રુમિલ પટેલ કોઈ અંગત કામ અર્થે સુરત આવ્યા હતા. સુરતથી મુંબઈ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હવામાં હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. ખામીની જાણ થતા જ પાયલટે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. પાયલટની સમયસૂચકતાએ જીવ બચાવ્યા હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગભરાટ ફેલાયો હતો, પરંતુ કો-પાયલટ જતીન કુમારે અત્યંત ધીરજ અને સમયસૂચકતા દાખવી હતી. તેમણે પ્લેનને રહેણાંક વિસ્તાર કે જોખમી જગ્યાએ લઈ જવાને બદલે મરોલીના ભાઠા ગામ પાસે આવેલી એક સુરક્ષિત અને ખુલ્લી જગ્યા પસંદ કરી હતી. પાયલટે કુશળતાપૂર્વક પ્લેનનું ત્યાં લેન્ડિંગ કરાવ્યું હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્લેનમાં સવાર ધ્રુમિલ પટેલ સહિતના તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો રોડ માર્ગે મુંબઈ જવા રવાના થયા હતા. બીજી તરફ, ખેતરમાં ઉતારવામાં આવેલા હેલિકોપ્ટરને રિપેર કરવા માટે એન્જિનિયરોની ટીમ બોલાવવામાં આવી છે. ટેકનિકલ તપાસ બાદ જ હેલિકોપ્ટરમાં કયા કારણોસર ખામી સર્જાઈ હતી તે સ્પષ્ટ થશે. હાલમાં હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વડાલી પોલીસે હિટ એન્ડ રન કેસ ઉકેલ્યો:પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ફરાર ઈકો ગાડીના ચાલકને ઝડપ્યો
    Next Article
    'વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, ગુજરાત સરકાર એક્શન મોડમાં:ખાનગી કંપનીઓ એસોસિયેશનો સાથે બેઠક યોજીશું, મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment