Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં 5 વર્ષીય બાળકીની જાતીય છેડછાડનો કેસ:ચિલ્ડ્રન કોર્ટે ત્રણેય શિક્ષકોને નિર્દોષ ઠેરાવ્યા, કહ્યું- પોલીસે સીસીટીવી ચેક ન કર્યા કે કબજે કરાયા નથી

    6 days ago

    અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સિનિયર કે.જી.માં ભણતી પાંચ વર્ષની સગીર બાળકી સાથે જાતીય છેડછાડ અને તેને ટોયલેટમાં બંધ કરી મારવાના ચકચારીભર્યા કેસમાં ચિલ્ડ્રન કોર્ટના સ્પેશિયલ જજ એમ.પી. પુરોહિત ત્રણેય આરોપી શિક્ષકો નીલ બકુલેશ ભટ્ટ, હીરલ રિચર્ડ વાઝા અને મૌલી સુનિલ ડી સાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. પોલીસે ના સીસીટીવી ચેક કર્યા કે ના કબજે કર્યા કોર્ટે સમગ્ર કેસમાં પોલીસ તપાસની ખામીની પણ ટીકા કરતા જણાવ્યું હતું કે, તપાસમાં શાળાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા નથી કે કબજે પણ કરાયા નથી. આમ તપાસ કરનારના પુરાવા પરથી પણ આરોપીઓની નિશંકપણે ગુનામાં સંડોવણી પુરવાર થતી નથી. શું છે સમગ્ર મામલો? શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સંગીત ટીચર નીલ બકુલેશ ભટ્ટે સિનિયર કે.જી.માં ભણતી પાંચ વર્ષીય બાળકીને પગના સાથળના ભાગે બે હાથેથી પકડી જોરથી દબાવતાં તેને પગમાં બહુ દુ:ખાવો થયો હતો. જેને લઈને બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવી હતી. બાળકીને ડોક્ટર પાસે લઈ જવતા વધુ ખરાઈ માટે બાળકીનું કાઉન્સેલિંગ કરાયું હતું અને તેમાં બાળકીએ સંગીત ટીચર દ્વારા જાતીય અડપલાં કરાયાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ મામલે વાલી તરફથી સ્કૂલને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. ઉલ્ટાનું અન્ય બે શિક્ષિકાઓએ બાળકીને માતા-પિતાએ ફરિયાદ કરી તેની અદાવત રાખી માર માર્યો હતો અને તેને ટોયલેટમાં પૂરી દીધી હતી. આખરે સમગ્ર મામલે માતા-પિતાએ ત્રણેય આરોપી શિક્ષકો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શિક્ષકોને ગુનામાં સંડોવતા કોઈપણ પુરાવા રેકોર્ડ પર આવ્યા નથી શિક્ષકો તરફથી બચાવ પક્ષે એડવોકેટ હરમેશ કે. ભટ્ટે એવી રજૂઆત કરી હતી કે, સમગ્ર કેસમાં ખોટી રીતે અને પાયાવિહોણા આક્ષેપો સાથેની ફરિયાદ કરાઈ અને તે પણ મોડેથી કરી હતી. વળી ત્રણેય શિક્ષકોને ગુનામાં સંડોવતા કોઈપણ પુરાવા કે મટીરીયલ્સ કેસની તપાસ દરમિયાન કે ટ્રાયલ દરમિયાન કોર્ટના રેકોર્ડ પર આવ્યા નથી. તેથી આરોપીઓ વિરૂદ્ધનો કેસ નિશંકપણે પુરવાર કરવામાં ફરિયાદીપક્ષ નિષ્ફળ રહ્યો છે. બંને પક્ષોની રજૂઆત, પોલીસ કાગળો તથા સાક્ષીઓની જુબાની વગેરે ધ્યાનમાં લઈને કોર્ટે ત્રણેય શિક્ષકોને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    માછીમારોને મોંઘું ડીઝલ, BPCL પર ટેન્ડર ભંગનો આરોપ:GFCCA કરાર છતાં ભાવ વધારો, રાજ્ય સરકારના હસ્તક્ષેપની માંગ
    Next Article
    મેટ્રોની કામગીરીને પગલે સાઉથ-વેસ્ટ ઝોનમાં બે દિવસ પાણીકાપ:અલથાણ, ભીમરાડ અને ન્યૂ સીટી લાઈટના રહીશોને 23 અને 24 માર્ચના રોજ નહીં મળે પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment