Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંજપરમાં હડકાયા શ્વાનનો આંતક:શ્વાને 5થી વધુ બાળકોને બચકા ભર્યા, તમામ બાળકોને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા; 3 બાળકની હાલત ગંભીર

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મુંજપર ગામમાં એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામની મુખ્ય શેરીમાં રમી રહેલા 5 થી 15 વર્ષની વયના પાંચથી વધુ બાળકોને શ્વાને બચકા ભર્યા હતા. આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્વાને બાળકોને હાથ અને પગના ભાગે ગંભીર રીતે બચકા ભર્યા હતા. તેમને હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની ટીમો સારવાર માટે તૈનાત હતી. એકસાથે પાંચથી વધુ બાળકોને શ્વાન કરડતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. તમામ ભોગ બનેલા બાળકોને હડકવા વિરોધી સારવાર અને રેબિઝની રસી આપવામાં આવી છે. જોકે, તે પૈકી ત્રણ બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને દાખલ રાખી સઘન સારવાર અપાઈ રહી છે. ગામમાં હડકાયા શ્વાનને પકડવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ગ્રામજનોમાં ચિંતા અને ભય વ્યાપી ગયો છે. હાલ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે, પરંતુ ગામમાં હડકાયા શ્વાનના આતંકને કારણે ભયનો માહોલ યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના વડીયામાં 4 શ્વાને બાળકને ફાડી ખાંધો:છેલ્લા 25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થતાં ગામમાં ફફડાટ; સ્થાનિકોએ કહ્યું- 'અમને સિંહથી નહીં પણ શ્વાનથી ડર લાગે છે'
    Next Article
    કાળમુખી થારનો ચાલક બે અકસ્માત સર્જી ભાગ્યો:​ભવનાથમાં બેફામ સ્પીડે દોડતી થાર કારે રાહદારી અને બાઇક સવાર માસૂમ પરિવારને ઉડાવ્યો, રાત્રિના સમયે જ આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment