Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડા ગામની 5 વર્ષીય બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પણ પોઝિટિવ:ચાંદીપુરાથી કાંકરેજના ચાંગાના 3 વર્ષીય બાળકનું ધારપુર હોસ્પિટલમાં મોત થયું

    16 hours ago

    બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચોંગા ગામના ત્રણ વર્ષના બાળકનું ચાંદીપુરાથી પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે વડા ગામની પાંચ વર્ષે બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેને સારવાર અપાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે, કાંકરેજ તાલુકાના ચાંગા ગામના ૩ વર્ષીય બાળકની તબિયત લથડતાં ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે વડા ગામની 5 વર્ષીય બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં સારવાર માટે દાખલ કરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની ગંભીરતાથી સમીક્ષા કરાઈ રહી છે અને સંક્રમિત વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. સારવાર હેઠળ રહેલી બાળકી મામાના ઘરે આવી હતી 5 વર્ષની બાળકીનું મૂળ વતન પાટણ છે અને પરિવાર અમદાવાદ ખાતે રહે છે. બાળકી વડા ખાતે મામાના ઘરે આવી હતી ત્યારે બીમાર પડી હતી. તેને ધારપુર હોસ્પિટલમાં દાખલ કરાતાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેની તબિયતમાં સુધારો છે.
    Click here to Read More
    Previous Article
    જળસંગ્રહમાં વધારો:દાંતીવાડા ડેમમાં 24 કલાકમાં 1.694 MCM પાણીની આવક થતાં જળસંગ્રહ 26 ટકા થયો
    Next Article
    ફરિયાદ નોંધાઈ:દહેજ ભૂખ્યા સાસરિયાંનો ત્રાસથી પરિણીતાએ ફિનાઇલ પીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment