Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ખાડીપૂરના ત્રાસ સામે કેન્દ્ર સરકારની લાલ આંખ:5 ઉચ્ચ અધિકારીઓની હાઈ-લેવલ કમિટીએ મીઠી ખાડીનું કર્યું નિરીક્ષણ, 25 તારીખે કેન્દ્રને અપાશે રિપોર્ટ

    9 घंटे पहले

    સુરત શહેરમાં ખાડીપૂરની સમસ્યા છેલ્લા એક દાયકાથી દર ચોમાસે કાયમી આપત્તિ સમાન બની ગઈ છે. ગત માસ દરમિયાન માત્ર 25 દિવસના ટૂંકા ગાળામાં જ 3-3 વખત ખાડીપૂરની વિકટ સ્થિતિ સર્જાતાં નાગરિકો અને વેપારીઓનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ ભયાનક પૂરના કારણે સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ભારે જનઆક્રોશ ફેલાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા અને નાગરિકોના ઉગ્ર વિરોધને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ માટે 5 ઉચ્ચ અધિકારીઓની હાઈલેવલ કમિટીને સુરત મોકલી આપી છે. NDMA, CWC અને NDRF સહિત 5 સંસ્થાઓના નિષ્ણાતોએ પૂરગ્રસ્ત વિસ્તારો ખૂંદ્યા સુરત આવી પહોંચેલી આ કેન્દ્રીય સંયુક્ત કમિટીમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ના મુકુલ મોહન, સેન્ટ્રલ વોટર કમિશન (CWC) ના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર યોકી વિજય, ભારતીય હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિક ડૉ. અશોકકુમાર દાસ, એનડીઆરએફ (NDRF) ના સેકન્ડ-ઈન-કમાન્ડ વિકાસ સિંહ તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) ના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ધવલ પંડ્યા સામેલ છે. આ ઉચ્ચસ્તરીય ટીમે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મીઠી ખાડી સહિતની તમામ સંવેદનશીલ ખાડીઓ અને પૂરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ટીમે વાસ્તવિક સ્થિતિના મૂલ્યાંકન માટે પાલિકા તંત્ર પાસેથી ખાડીના ઐતિહાસિક ડેટા, ડ્રેનેજ નકશાઓ અને અગાઉના અહેવાલો મેળવીને અભ્યાસ શરૂ કર્યો છે. દબાણો અને નબળા ટાઉન પ્લાનિંગથી ખાડીઓ સાંકડી બની સુરતમાં ખાડીઓના કિનારે થયેલા ગેરકાયદે ઝૂંપડપટ્ટી સહિતના દબાણો તેમજ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ફાળવાયેલા પ્લોટોમાં થયેલા પાકા બાંધકામોના લીધે કુદરતી જળપ્રવાહના વહેણ અત્યંત સાંકડા થઈ ગયા છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ પાણીનો ઝડપી નિકાલ થતો નથી અને ખાડીઓ છલકાઈને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે. વર્ષોથી માત્ર કમિટીઓ અને બેઠકો પૂરતી કામગીરી સીમિત રહેતી હોવાથી સુરતીઓમાં મોટો સવાલ ઊઠી રહ્યો છે કે શું આ વખતે પણ માત્ર કાગળ પર જ સર્વે થશે કે પછી ગેરકાયદે દબાણો દૂર કરીને કડક નિર્ણયો લેવાશે. આ કેન્દ્રીય ટીમ સમગ્ર સ્થિતિનું તલસ્પર્શી ઈન્વેસ્ટિગેશન પૂર્ણ કરી આગામી 25 તારીખ સુધીમાં પોતાનો વિગતવાર રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપરત કરશે, જેના આધારે સુરતને ખાડીપૂરથી મુક્તિ અપાવવા આગામી બ્લૂપ્રિન્ટ તૈયાર થશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં બહેનો માટે કુરિયર સેવા:પરિવારથી દૂર રહેતી તાલીમાર્થી બહેનોની રાખડી વિનામૂલ્યે ભાઈઓ સુધી પહોંચાડાશે
    Next Article
    રાજકોટમાં શ્રાવણીયો જુગાર જામ્યો:શહેરમાં ત્રણ દરોડામાં જુગાર રમતા 17 મહિલા સહિત 24 અને જિલ્લામાં 10 દરોડામાં 55 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment