Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર જૈનતીર્થમાં સંવત્સરી પ્રતિક્રમણ યોજાયું:મિચ્છામિદુક્કડમ સાથે મહાપર્વની ઉજવણી, 5 જૈનાચાર્ય અને 200 સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા

    6 hours ago

    ભારતભરના ત્રીજા મોટા જૈનતીર્થ શંખેશ્વર ખાતે પર્યુષણ મહાપર્વની આઠ દિવસની આરાધના બાદ સંવત્સરી પ્રતિક્રમણ યોજાયું હતું. આ પ્રસંગે પાંચ જૈનાચાર્ય અને 200 જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં 1500 આરાધકોએ ચાતુર્માસ કર્યું હતું. આ પ્રતિક્રમણમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ ભવ્ય પર્યુષણ મહોત્સવ પ્રવચન શ્રુતતીર્થમાં સિદ્ધહસ્ત લેખક પૂર્ણચંદ્રસૂરીશ્વરી મહારાજા અને પ્રવચનકાર તેમજ શ્રુતરક્ષા પ્રેરક યુગચંદ્રસૂરીશ્વરી મહારાજાની નિશ્રામાં યોજાયો હતો. સંવત્સરીના દિવસે સોનાની શાહીથી લખાયેલા પવિત્ર ગ્રંથ બારસાસૂત્રનું વાંચન કરવામાં આવ્યું. ત્યારબાદ જીવદયાની બોલી પણ થઈ હતી. શંખેશ્વર ખાતે કલાપૂર્ણસૂરી સ્મારક મંદિર, આગમ મંદિર, નવકાર મંદિર અને પાર્શ્વ પદ્માવતી 1008 પાર્શ્વનાથ જિનાલય સહિતની જગ્યાઓએ 1500 જેટલા આરાધકોએ પર્યુષણ મહાપર્વની આરાધના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ‘તું દુકાન કેમ ચલાવે છે, હું જોઈ લઈશ’:વડોદરામાં ગણપતિના ફાળાની રૂપિયા 21 હજારની ઉઘરાણી મુદ્દે થયેલી બબાલમાં 8 આરોપીની ધરપકડ, રકમ નહીં આપતાં મંડળના સભ્યોએ મારામારી કરી હતી
    Next Article
    મોરબીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં AAP પ્રમુખનું રાજીનામું:અન્ય રાજકીય આગેવાનોને ખેડૂતોના સમર્થનમાં આવવા આહ્વાન; ખાનગી વીજ કંપની સામે 4 મહિનાથી ખેડૂત આંદોલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment