Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના ખેતરોમાં હાઈટેન્શન વીજ લાઈનોના પ્રોજેક્ટ સામે AAPનો વિરોધ:ઈસુદાન ગઢવીએ વળતર અને ખેડૂતોના હકો અંગે ઉઠાવ્યા સવાલો

    9 hours ago

    ગુજરાતમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનોમાંથી પસાર થનારી હાઈટેન્શન વીજ લાઈનોના મુદ્દે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને કંપનીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક કંપનીઓ અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ છે, જેમાં સમગ્ર ગુજરાતમાં વીજ ટાવરો અને હાઈટેન્શન લાઈનોનું વિશાળ નેટવર્ક ઉભું કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રતિ કિલોમીટરે સરેરાશ 77 વીઘા જમીન અસરગ્રસ્ત બનશે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, રાજ્યના 26 જિલ્લાઓની ફળદ્રુપ ખેતીની જમીનોમાંથી અંદાજે 100 હાઈટેન્શન લાઈનો પસાર કરવાની યોજના છે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતોના ખેતરોમાં આશરે 1 લાખ 50 હજાર થાંભલાઓ નાંખવામાં આવશે, જેના કારણે પ્રતિ કિલોમીટરે સરેરાશ 77 વીઘા જમીન અસરગ્રસ્ત બનશે. તેમણે દાવો કર્યો કે, આ પ્રોજેક્ટના કારણે ખેડૂતો અને ખેતી મજૂરો સહિત અંદાજે 30થી 40 લાખ લોકોની આજીવિકા પર અસર પડી શકે છે. વળતર નક્કી કરતી વખતે આગામી 25 વર્ષ પછીની જમીનની સંભવિત કિંમતને ધ્યાનમાં લેવી આ સંદર્ભમાં તેમણે રાજ્ય સરકારને રાજ્યસ્તરીય વળતર કમિટીની રચના કરવાની માંગ કરી. આ સાથે જ કમિટીમાં માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતોને પણ સ્થાન આપવાની માંગણી કરી. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, વળતર નક્કી કરતી વખતે આગામી 25 વર્ષ પછીની જમીનની સંભવિત કિંમતને ધ્યાનમાં લેવી જોઈએ. તેમણે ખેડૂતો માટે યોગ્ય વળતર, માસિક ભાડું અથવા કંપનીના નફામાં ભાગીદારી જેવા વિકલ્પો પર પણ વિચાર કરવાની માંગ કરી. સરકાર તથા કંપનીઓ મળીને ખેડૂતો પર અન્યાય કરી રહી છે આ મુદ્દે ખેડૂતોને એકત્રિત કરવા માટે 27મી તારીખે સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”નું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું. ઉપરાંત, આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ખેડૂતોના હકો માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજશે તેવી જાહેરાત પણ કરી. ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર કંપનીઓના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે સરકાર તથા કંપનીઓ મળીને ખેડૂતો પર અન્યાય કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જેતપુરમાં ખેડૂતો છેલ્લા આઠ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને રાજ્યના મંત્રી તથા મુખ્યમંત્રીએ તાત્કાલિક ખેડૂતો સાથે મુલાકાત કરીને તેમની માંગણીઓનો ઉકેલ લાવવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મોબાઇલ હેક કરતી APK ફાઇલ બનાવતી ઝારખંડની ગેંગના સાગરીતો ઝડપાયા:ઓછું ભણેલા ભેજાબાજો દેશભરના કોલ સેન્ટરોને ફાઇલો વેચી મહિને રૂ.50 લાખ કમાતા; 400 ફાઇલ વેચી દીધી
    Next Article
    પ્રોપર્ટી 8-10% મોંઘી થશે:ભરૂચમાં બિલ્ડર એસોસિયેશને ભાવવધારાનો ઠરાવ પસાર કર્યો: 10 જુલાઈ, 2026થી નવા ભાવ લાગુ પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment