Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 લાખથી વધુ લોકો માટે સુવિધા:પેન્શનરોને પોસ્ટમેન ઘરેબેઠાં હયાતીની ખરાઇનું પ્રમાણપત્ર બનાવીને આપશે

    6 days ago

    ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાકસેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અપાશે. ગુજરાતના 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અપાશે , જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી અપાશે . ગયા વર્ષે ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના 62 હજારથી વધુ પેન્શનધારકો હતા. આવી પ્રક્રિયા રહેશે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર SMS દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaa n. gov.in/ ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    આજે મહેસાણાના પાંચ, કડીના એક સેન્ટરમાં 2031 વિદ્યાર્થી નીટ આપશે‎:ગરમીને લઈ નીટના છ પરીક્ષા કેન્દ્રો પર ORS, ગ્લુકોઝ ને ઠંડા પાણીની સુવિધા
    Next Article
    જમીન ચકાસણી રિપોર્ટથી ખાતરનો ખર્ચ ઘટશે:આગામી ચોમાસું સિઝનને લઇ પિલવાઈ પ્રયોગશાળામાં‎ ચકાસણી શરૂ, માત્ર રૂ. 15માં માટી અને પાણીનું પૃથ્થકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment