Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમવાનું બનાવવામાં મોડું થતા પતિએ ધમકી આપી‎:સિદ્ધપુરમાં પરિણીતાને સાસરિયાંએ રૂ. 5 લાખની માંગણી કરી ઘરેથી કાઢી મૂકી

    10 hours ago

    સિદ્ધપુર શહેરમાં સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપી, પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવવા દબાણ કરી બાળક સાથે કાઢી મૂકવાની ઘટના સામે આવી છે.સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, સાસરિયાંએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ખૂલ્યું છે. સિદ્ધપુરના ભીલવાસની રહેવાસી પિન્કીબેનના લગ્ન 13 ફેબ્રુઆરી 2020ના રોજ પાટણના સૂર્યનગર ભીલવાસ ખાતે રહેતા ગણપતજી ભિખાજી ભીલ સાથે થયા હતા. લગ્ન સમયે પિતાએ શક્તિ મુજબ 3 લાખનું કરિયાવર આપ્યુ હતુ. સાસુ ભીખીબેન અને જેઠાણી કલ્પનાબેને પતિ ગણપતજીને ચઢામણી શરૂ કરી હતી અને તારા બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી મેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. ગત 19 માર્ચ 2026ના રોજ રાત્રે 9 વાગ્યે પતિ ગણપતજી કામેથી ઘરે આવ્યા બાદ જમવાનું કેમ હજુ સુધી બનાવ્યું નથી તેમ કહી પિન્કીબેન સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ પરિણીતાને ધમકી આપી હતી કે જો આ ઘરમાં રહેવું હોય તો ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવજે, નહિતર પાછી આવીશ તો જાનથી મારી નાખીશું ગભરાયેલી પરિણીતા પોતાના 2 વર્ષના પુત્ર ધિયાનને લઈને પિયર સિદ્ધપુર આવી ગઈ હતી અને સમગ્ર આપવીતી પરિવારને જણાવી હતી. આખરે 4 મે 2026ના રોજ પિન્કીબેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ ગણપતજી ભિખાજી ભીલ, સાસુ ભીખીબેન અને જેઠાણી કલ્પનાબેન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    12મે સુધી પ્રવેશ લઇ લેવો‎:આરટીઇ: સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 1044 છાત્રોને પ્રવેશ અપાયો
    Next Article
    વૈકલ્પિક વ્યવસ્થા કરો‎:નર્મદા નહેરમાં રિપેરિંગને લઈ 21 મે સુધી પાણી બંધ કરાતા રાધનપુર-સાંતલપુરના 121 ગામોમાં પાણીનું સંકટ સર્જાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment