Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના માણાવાવમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો:ખેતમજૂર પરિવાર મજૂરી કરતો હતો અને માનવભક્ષીએ કર્યો હુમલો, ગણતરીના કલાકોમાં ફોરેસ્ટની ટીમે પાંજરે પૂરી

    1 day ago

    અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગે માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા માટે 3 અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન શરૂ કર્યું હતું. ગણતરીની કલાકમાં વનવિભાગની ટીમને સૌથી મોટી સફળતા મળી હતી. ગણતરીના કલાકમાં વનવિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરી દીધો હતો. RFO મિનેષ પટેલની ટીમ દ્વારા સિંહણને પાંજરે પૂરી દેવાઈ હતી. સમગ્ર ઘટનાક્રમ માણાવાવ ગામમાં આવેલી અનક લખુ વાળાની વાડીમાં મૂળ મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન ખેતરમાં હાજર 5 વર્ષના બાળક ધવલ ઈશ્વરભાઈ કટારા પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. સિંહણે બાળકને મોઢામાં દબાવીને દૂર સુધી ઢસડી ગયો હતો. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા અને પાછળ દોડતા સિંહણે બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. બાળકને ચલાલા હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક ચલાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને સ્થાનિક આગેવાનો મદદ માટે દોડી ગયા હતા. વન વિભાગની કાર્યવાહી: 3 ટીમો અને પાંજરા તૈનાત ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે તાત્કાલિક અસરથી પગલાં લેવા સૂચના આપી હતી. વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન, પાંજરા ગોઠવા સહિતના પગલાં લેવાયા હતા: સર્ચ ઓપરેશન: સરસિયા રેન્જની મદદથી વન વિભાગની 3 અલગ-અલગ ટીમો બનાવવામાં આવ્યા હતા. પાંજરા: સિંહણને પકડવા માટે વાડી વિસ્તારમાં 3થી વધુ પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. લોક જાગૃતિ: વન વિભાગે સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને વન્યપ્રાણી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી હતી. વધતા હુમલાઓ ચિંતાનો વિષય સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાની વધતી સંખ્યા સામે માનવ મૃત્યુના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. DCF વિકાસ યાદવે જણાવ્યું હતું કે, "અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વન્યપ્રાણીને ઝડપથી પકડવા માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે." કેરીના બગીચામાં રમતી બાળકીને સિંહણ ઉઠાવી ગઈ ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાનું છેવાડાનું શાણાવાંકિયા ગામમાં આજે બપોરના સમયે આંબાના બગીચામાં માતા સાથે કેરી વીણતી 8 વર્ષની બાળકીને સિંહણ ઉઠાવી ગઈ હતી. જેથી બાળકીની માતાએ હાથમાં પથ્થર લઈ પાછળ દોટ મૂકી હતી. તેમજ બૂમાબૂમ કરતા સિંહણે માસૂમને છોડી દીધી હતી. જોકે, બાળકીને ગંભીરઈજા પહોંચતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. માતાની નજર સામેથી પુત્રીને સિંહણ ઉપાડી ગઈ આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર શાણાવાંકિયામાં ભૂતડાદાદા ધજા વિસ્તારમાં આવેલા આંબાના બગીચામાં જ વર્ષની રીવા મહેશ રામાણી આજે બપોરના સમયે તેની માતા મનીષાબેન સાથે આંબાના બગીચામાં રમતી હતી અને કેરી વીણતી હતી. એ વખતે બગીચામાં સિંહબાળ સાથે વસવાટ કરતી સિંહણ અચાનક આવી પહોંચી અને માતાની નજર સામેથી તેમની પુત્રી રીવાને સિંહણ ઉપાડી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    Kyle Walker calls time on England career four caps short of century
    Next Article
    Gujarat Heat Alert | સાવધાન... આ વખતે ગરમી ભૂક્કા બોલાવશે | Summer 2026 | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment