Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ચોખાના શંકાસ્પદ 46 કટ્ટા ઝડપાયા:પુરવઠા વિભાગે વઢવાણ-લખતર રોડ પર વાહન સીઝ કર્યું; લાખોનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગે વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરની ટીમે 46 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને એક વાહન સીઝ કર્યું છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ સતત મોનિટરિંગ અને તપાસ કરી રહ્યું છે. આના ભાગરૂપે જ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે માહિતી આપતા જણાવ્યું કે, પુરવઠા વિભાગની ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી હતી. યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસેથી પસાર થઈ રહેલી GJ-03-BW-7406 નંબરની લેલન પીકઅપ ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. વાહનચાલકની પૂછપરછ કરતા તે અનાજના જથ્થાના વહન અંગે કોઈ સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. ઝીણવટભરી તપાસમાં જાણવા મળ્યું કે ગાડીમાં કુલ 46 કટ્ટા ચોખા, એટલે કે અંદાજે 2311.550 કિલોગ્રામ જથ્થો, કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગે અંદાજે રૂ. 62,411.85ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. 4,00,000ની કિંમતનું વાહન મળી કુલ રૂ. 4,62,311.85નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કર્યો છે. હાલ વિભાગ દ્વારા આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. તંત્રએ ભવિષ્યમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી નદી 1 એપ્રિલથી ખાલી થશે:અઢી મહિનામાં બ્રિજના સ્પાન તોડી નખાશે; ભાસ્કર પાસે સિંચાઈ વિભાગનો પત્ર
    Next Article
    Lataa Saberwal’s fitness decrets: Why she started at 23 and the routine that keeps her confident at 50

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment