Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી પર સિંગર જિગરદાન ગઢવીનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીને 'રામ રામ'!:જીગરાએ પોસ્ટ શેર કરી કહ્યું- 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ જાહેર કરું છું

    1 day ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત પ્રેમીઓ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ગુજરાતી ગાયક જિગરદાન ગઢવી ઉર્ફે જીગરા એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ અને મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ રામ નવમીના પવિત્ર અવસરે જીગરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે- હું અહીં આ માધ્યમથી જાહેર કરું છું કે હવે પછી હું ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ/યુટ્યુબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટ્સમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. 10 વર્ષની યાદગાર સફરનો અંત પોતાની આ પોસ્ટમાં જીગરાએ વિતેલા દાયકાને યાદ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષનો આ સફર અદ્ભુત રહ્યો છે. તેમણે અત્યાર સુધી મળેલા પ્રેમ અને સપોર્ટ બદલ ચાહકોનો દિલથી આભાર માન્યો હતો. ચાહકો અને કલાકારોમાં આશ્ચર્ય આ અચાનક આવેલી જાહેરાતથી જીગરાના ચાહકો આઘાતમાં છે. પોસ્ટની નીચે આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. ઘણા ચાહકો કોમેન્ટ સેક્શનમાં દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક આ નિર્ણય પાછળનું કારણ જાણવા ઉત્સુક છે. . નિવૃતિનું ચોક્કસ કારણ તો હજુ સિંગરે નથી જણાવ્યું, પણ છ દિવસ પહેલાની પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે બોલિવૂડમાં ડગ ભરવા માટે તેને ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો ત્યાગ આપ્યો છે. અગાઉ જીગરાએ પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે- મને વારંવાર પૂછવામાં આવે છે કે હું બોલિવૂડમાં કેમ ગાતો નથી. હકીકત એ છે કે, મને હિન્દી ફિલ્મો માટે ગાવાની અને કંપોઝ કરવાની ઘણી તકો મળી છે. પરંતુ દરેક વખતે, એક શરત હતી: લાંબા ગાળાનો કોન્ટ્રાકટ, બે આંકડાના વર્ષો સુધી લંબાતા, નવીકરણની શરતો સાથે જે ખરેખર મારા નિયંત્રણમાં ક્યારેય નહોતા. તે સહયોગ જેવું લાગ્યું નહીં - તે મારી કલાની માલિકી છોડી દેવા જેવું લાગ્યું. આજના ઘણા મોટા નામો પ્રસિદ્ધિ મેળવે તે પહેલાં જ, મને એક મહત્વપૂર્ણ વાત સમજાઈ ગઈ, મોટી કોર્પોરેટ સિસ્ટમો હંમેશા કલાકારને પ્રાથમિકતા આપતી નથી તે ઉત્પાદનને પ્રાથમિકતા આપે છે અને હું ક્યારેય એવો બનવા તૈયાર નહોતો. વધુ ઉમેરતાં લખ્યું કે- ‘એ અનુભૂતિ જ મને ગુજરાતમાં પાછો લાવ્યો - મારા મૂળમાં પાછો, જ્યાં મારો અવાજ અને દ્રષ્ટિકોણ મારો પોતાનો જ રહી શકે. બાળપણથી જ સંગીત મારું જીવન રહ્યું છે. મેં 7મા ધોરણમાં સંગીત લખવાનું શરૂ કર્યું હતું, અને આજે મારી ક્રિએટિવિટીમાં 3000થી વધુ ગીતો છે. મારા માટે, સંગીત ફક્ત એક વ્યવસાય નથી - તે જીવનભરની સાધના છે. હવે, મને લાગે છે કે હિન્દી અને મલ્ટીપલ લેન્ગવેજના વિવિધ, પ્રતિભાશાળી કલાકારો સાથે ક્લોબ્રેશન કરવાનો આ યોગ્ય સમય છે. તે હંમેશા સ્વપ્ન હતું: મુક્તપણે સર્જન કરવું, સીમાઓ પાર કરીને જોડાવું અને સંગીતને મર્યાદાઓ વિના ઢાળ આપવો.’ ‘ભૂતકાળમાં, જ્યારે પણ મેં સર્જનાત્મક નિયંત્રણ ખોટા લોકોને સોંપ્યું, ત્યારે સમાધાન થયું જેનાથી મારી કલાનો અનાદર થયો. આ જ કારણ છે કે મેં ગુજરાતી ફિલ્મો માટે કંપોઝ કરવાનું પણ છોડી દીધું. પરંતુ આજે, હું મારા સંગીતને બનાવવા, ક્લોબ્રેશન કરવા અને વિશ્વ સાથે શેર કરવા માટે પહેલા કરતાં વધુ સ્પષ્ટતા સાથે ઉભો છું અને સાથે સાથે હું જે છું તેના પ્રત્યે સાચો રહીશ.’
    Click here to Read More
    Previous Article
    RBSE Rajasthan Board Class 10th Result 2026 Highlights: Download scorecards from rajeduboard.rajasthan.gov.in
    Next Article
    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- ઈરાને સુપ્રીમ લીડર બનવાનો પ્રસ્તાવ આપ્યો:મેં ના પાડી, મને ઈરાનના નેતા બનવામાં કોઈ રસ નથી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment