Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજન્સી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ:છેવાડાના ખડીર વિસ્તારમાં પાઈપલાઇન મારફતે પાણી પહોંચાડવાની 450 કરોડની યોજનાનું કામ ટેન્ડર તબક્કે

    1 week ago

    છેવાડાના અને દુર્ગમ ગણાતા ખડીર વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવા ગત ઓક્ટોબરમાં જાહેરાત કરીને સેદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી જે બાદ એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો અને હવે ટેન્ડર બહાર પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. નર્મદાના પૂરના વધારાના પાણીથી ખડીરના નાના-મોટા 194 તળાવો અને 6 સિંચાઈ યોજના ભરવા 451.67 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા વર્ષોથી પાણીની સમસ્યા વેઠતા ખડીર પંથકના નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે વિકાસના નવા દ્વાર ખુલશે.આયોજન મુજબ કચ્છ બ્રાંચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી લાવવામાં આવશે અને ત્યાંથી પમ્પિંગ સ્ટેશન મારફતે પાઇપલાઇન દ્વારા ખડીરના 194 તળાવો અને 6 નાની સિંચાઈ યોજનાઓ જીવંત કરવામાં આવશે. અગાઉ ભૌગોલિક વિષમતાને કારણે આ પ્રોજેક્ટ મુશ્કેલ જણાતો હતો, પરંતુ એકલ-બાંભણકા રોડ તૈયાર થવાથી હવે પાઇપલાઇન નાખવાનો માર્ગ મોકળો બન્યો છે. સુવઈ સંપથી બાંભણકા અને ત્યાંથી ધોળાવીરા તેમજ અમરાપર સુધી પાણી પહોંચાડી આખા પંથકને જળબંબોળ કરવાનું આયોજન છે.આ યોજનાથી વિશ્વ વિરાસત ધોળાવીરા સહિત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ 10 ગામોને સીધો લાભ મળશે. આશરે 5492 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવતા ખેડૂતો રવિ અને ખરીફ એમ બંને સિઝનમાં પાક લઈ શકશે. પશુધન માટે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા થવાથી અછતના સમયે થતું પશુપાલકોનું સ્થળાંતર પણ અટકશે. હાલમાં એજન્સી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે અને આગામી ચોમાસા પૂર્વે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ શરૂ કરવાની દિશામાં તંત્ર ગતિશીલ બન્યું છે. નર્મદાના આ નીર ખડીરની રણકાંધીએ સામાજિક અને આર્થિક પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. 40 વર્ષમાં પાણી પુરવઠાની ત્રણેય યોજના ખાડામાં ભુજ : ખડીરમાં છેલ્લા 40 વર્ષથી પાણી પુરવઠા બોર્ડની કરોડોની ત્રણ-ત્રણ યોજના નિષ્ફળ જતાં લોકો હાલ 2500થી 3000 ટીડીએસ ધરાવતુ પાણી પીવા મજબૂર છે. ખડીરમાં અમરાપર સુધી પાણી આવે છે પણ ત્યારબાદ 40 કિમી દૂર ધોળાવીરા સુધી પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ છે. 35 વર્ષ પૂર્વે ચોપડવાથી ખડીર માટે પીવાના પાણીની કરોડો રૂપિયાની યોજના શરૂ થયેલી હતી. જે કકરવા, રામવાવ, બાલાસર થી ખડીર સુધી લાઈનો પાથરવામાં આવી હતી. વચ્ચે ટાંકા પણ બન્યા હતાં જે આજે પણ હયાત છે. પણ આ યોજના નિષ્ફળ ગઇ ! ત્યારબાદ સુરજબારીથી નર્મદા મૈયાની મહેરબાનીથી કચ્છને પાણી મળવાનું શરૂ થયુ તેમાંજ ખડીરને વાયા ચિત્રોડ, રાપર, બાલાસર થઈને લાઈન અપાઇ હતી. પણ ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું. પાણી ખડીરમાં પ્રવેશ્યા પણ અમરાપરથી ક્યારેય આગળ ન વધ્યા ! હવે સાંપ્રત સમયમાં બાલાસરથી ખડીર નર્મદા નીર પહોંચાડવા માટે અમરાપર શીરાંવાળા રણમાં થઈને એક્સપ્રેસ લાઈન નખાઇ છે. એમાં અમરાપરથી ખડીરના વેરશીવાંઢ, ગઢડા, ગણેશપર, રતનપર, જનાણ, બાંભણકા, કલ્યાણપર,ફાફરાવાંઢ, ચાંપાર, ખારોડા, ધોળાવીરા અને ડુંગરાણીવાંઢ સુધી આ એક્સપ્રેસ લાઈન નખાઇ છે. પણ પાણી પહોંચી રહ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:દેશના યુવાનોની અવિશ્વસનીય યાત્રાનું સાક્ષી બન્યું ગુજરાત
    Next Article
    મેગા ડિસકનેક્શન ડ્રાઈવ:1949 વીજ કનેક્શનો કપાયા, 5 કરોડની વસૂલાત; કચ્છમાં પીજીવીસીએલ દ્વારા એક જ દિવસમાં મહા તવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment