Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન અને ફ્લેટ આપવાના બહાને ઠગાઈ:મોટા વેપારીની ઓળખ આપીને ગઠિયાએ પત્ની અને ભાઇ સાથે મળીને 41 કરોડ પડાવ્યા

    20 hours ago

    અમદાવાદ શહેરમાં મોટા વેપારીની ઓળખ આપીને ગઠિયાઓએ વેપારી અને તેમના ભાગીદારોને જમીન અને ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપીને પતિ-પત્ની અને ભાઈએ 41 કરોડની ઠગાઈ કરી છે. આરોપીઓએ 68.87 કરોડ મેળવી લીધા બાદ દસ્તાવેજ ન કરી આપીને માત્ર 27.86 કરોડ પરત આપ્યા હતા જ્યારે બાકીના 41 કરોડ રૂપિયા પરત ના આપતા વેપારીએ ઠગાઈ આચરનાર લોકો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. ખેતીની જમીનનો સોદો કરાવવાનો ભરોસો આપ્યો હતો થલતેજમાં રહેતા મયૂરભાઇ ઠક્કર આંગડિયા પેઢી અને જમીન લે-વેચનો વ્યવસાય પણ કરે છે. વર્ષ 2021માં ભાગીદાર મારફતે મયૂરભાઈને મિતેશ પટેલ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. મિતેશે પોતાની ઓળખાણ મોટા અને પ્રતિષ્ઠિત વેપારી તરીકે આપીને પોતાના કાકાની સોલા ખાતે આવેલી જમીન અને થલતેજની ખેતીની જમીનનો સોદો કરાવવાનો ભરોસો આપ્યો હતો. જે બાદ જમીનની અવેજ પેટે 64 કરોડ રોકડા અને 4.87 કરોડ બેંક મારફતે એમ કુલ 68.87 કરોડ મયૂરભાઈ અને તેમના ભાગીદારો પાસેથી મેળવી લીધા હતા. જોકે, લાંબો સમય વીતી ગયા બાદ આરોપીએ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નહોતો. અવારનવાર આ બાબતે પૂછતા તેણે ગલ્લા-તલ્લા કર્યા હતા. અલગ-અલગ બહાના કાઢીને દસ્તાવેજ ન કરી આપીને છેતરપિંડી કરી હતી મયૂરભાઇએ પૈસા પરત આપવા દબાણ કરતા આરોપીઓએ કેટલાક નાણાં પરત કર્યા હતા. બાકીના નાણાંના સેટલમેન્ટ માટે આરોપીઓએ પોતાની પામ ગ્લોરી-4 નામની સ્કીમમાં ફ્લેટો આપવાનું નક્કી કર્યું હતુ પરંતુ, તેમાં પણ અલગ-અલગ બહાના કાઢીને દસ્તાવેજ ન કરી આપીને છેતરપિંડી કરી હતી. અંતે, હિસાબ કરતા મયૂરભાઇને 41 કરોડ લેવાના નીકળતા હતા. આરોપીઓએ તે રકમ પરત ન કરતા મયૂરભાઈએ ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા અને તેના ભાઈ પ્રતિક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓએ ભેગા થઈને ખેડૂતોને પૈસા ચૂકવ્યા હોવાના ખોટા અને બનાવટી વાઉચરો ઊભા કરીને મયૂરભાઈ અને તેમના ભાગીદારોને બતાવી વિશ્વાસ કેળવીને દસ્તાવેજો ન કરી આપ્યો હોવાનું જણાયું છે. આ અંગે EOWએ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નિર્લિપ્ત રાયે ગૂનેગારો સામે સકંજો કસ્યો:રાજકોટ રેન્જ IG એ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ
    Next Article
    EPS Kicks Off Chennai Campaign, 'Jayalalithaa Style', With Mylapore Show of Strength

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment