Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેર અગનભઠ્ઠી બન્યું:40.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, આવતીકાલે ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા

    1 day ago

    ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં આકરી ગરમીની આગાહી વચ્ચે આજે 40.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. જો કે, અન્ય મહત્વના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે રહ્યો હતો. હવામાન વિભઆગ દ્વારા આજે સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો નજીવો ઘટાડો થવાની શક્યતા છે. 62 વર્ષમાં ત્રીજી વખત વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રીએ પહોંચ્યું હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે.દાસના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યાં છે. દિવસ તો ગરમ રહેશે પણ રાત્રી પણ ગરમ રહેશે. દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ વાળા અને ગરમ પવન ફૂંકાશે. 48 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. 62 વર્ષના ઇતિહાસમાં માર્ચ મહિનામાં ત્રીજી વખત વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રીએ પહોંચ્યું છે. ગુરુવારે વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સામાન્ય કરતા 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું. વાદળછાયું વાતાવરણ થશે તો 1 ડિગ્રીનો ઘટાડો થઈ શકે હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો મહત્તમ તાપમાનની અંદર ઘટાડો સર્જાઈ શકે છે. આવતીકાલથી જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો કેર વસ્યો ગુજરાતનો 64 ટકા વિસ્તાર બુધવારે હીટવવની ચપેટમાં રહ્યો હતો. જ્યારે 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો કેર વસ્યો હતો. હીટવેવની આ સ્થિતિના કારણે દેશના 10 સૌથી ગરમ શહેરોમાં 8 શહેર ગુજરાતના રહ્યા હતા. 41.9 ડિગ્રી સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.3 ડિગ્રી તાપમાન સાથે દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. વડોદરાએ 41.6 ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો ગુરુવારે રાજકોટ બાદ 41.6 ડિગ્રી સાથે વડોદરા બીજુ અને 41.4 ડિગ્રી સાથે અમદાવાદ ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું હતું. છેલ્લા 75 વર્ષમાં 40.6 ડિગ્રી સાથે વેરાવળમાં માર્ચ મહિનામાં પાંચમી વખત સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. વડોદરાએ પણ 41.6 ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો. રાજ્યના 33 પૈકી 21 જિલ્લામાં હીટવેવના કારણે રાજ્યના 13 શહેરોમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીથી વધુ ઊંચુ તાપમાન રહેવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય રીતે રાજ્યમાં 11 માર્ચે 28.1 થી 35.5 ડિગ્રીની વચ્ચે દિવસનું તાપમાન રહેવું જોઇએ. જેની સામે 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું. મ્યુનિ. હોસ્પિટલોમાં 10 બેડ રિઝર્વ રાખશે, લોકો માટે માર્ગદર્શિકા દિવસે તીવ્ર ગરમી પછી રાતે તાપમાન ન ઘટે તે જોખમી દિવસે તીવ્ર ગરમી રહ્યા બાદ રાત્રે પણ તાપમાન ઓછું ન થાય તો જોખમી સ્થિતિ મનાય છે. અગાઉનાં વર્ષોમાં આવું બન્યું છે. માર્ચ મહિનાથી રાત્રે ગરમી વર્તાવાનું શરૂ થઈ ગયું જ્યારે વાતાવરણમાં હાઈ પ્રેશર રચાય છે ત્યારે વાતાવરણમાં નીચલા સ્તરેથી ગરમ પવન સીધા જમીન તરફ આવે છે. આ પ્રક્રિયાથી આકાશ સ્વચ્છ રહેવાથી સૂર્યકિરણો સીધા જમીન પર પડતાં ગરમીનો પારો અચાનક ઊંચકાય છે. ક્રોંકીટ, રોડ અને મોટી બિલ્ડિંગ ગરમીને શોષી રાખે છે, જેથી શહેરોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરતાં વધુ ગરમી અનુભવાય છે. લઘુતમ તાપમાનમાં પણ 5.2 ડિગ્રીનો વધારો થતાં માર્ચ મહિનાથી રાત્રે ગરમી વર્તાવાનું શરૂ થઈ ગયું. હીટ એક્શન પ્લાનના નામે દર વર્ષની જેમ મ્યુનિ. ORSનું પાણી પીવડાવશે ઇન્ફ્રા રિપોર્ટર | શહેરમાં બુધવારે ઓરેન્જ એલર્ટ એટલે કે સિવિયર હીટવેવની આગાહીને પગલે મ્યુનિ.એ તેનો જૂનો હીટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં 350 સ્થળે પાણીની પરબ તૈયાર કરી છે. 1 હજાર સ્થળે મ્યુનિ. ઓઆરએસ આપશે. ગયા વર્ષે 20 લાખ જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કર્યું હતું. આ 4 કારણોસર ગરમીમાં વધારો થયો લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ, ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે, ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટ સ્ટ્રોકના કિસ્સામાં, સૌ પ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે. જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી. આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલાં કંઈક ખાઓ. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, તેની પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો, ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત, તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણ વાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાવો, તેનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    Editor’s View : ઈરાનને છંછેડીને અમેરિકા ભાંઠે ભરાયું:યુદ્ધ ટ્રમ્પે શરૂ કર્યું, ખતમ ઈરાન કરશે; દુનિયાની ધોરીનસ સમાન આ ટાપુ પર કબજો કરવાનો અમેરિકાનો ગેમ પ્લાન
    Next Article
    ગાંધીનગર મનપાની આવતીકાલે ફાયર ટેસ્ટ:ચીફ ફાયર ઓફિસરની નિમણૂકના વિવાદ વચ્ચે સ્થાયી સમિતિની બેઠક મળશે, ફાયર સહિત 38 મુદ્દે નિર્ણય થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment