Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સંચિતાને ટોર્ચર કરવામાં આવી રહી હતી':'પૈસાના કારણે પ્રેશરમાં રહેતી, ડિપ્રેશનમાં હતી; અડધો કલાક જ સાથે નહોતા ને આવું પગલું ભર્યું': એક્ટ્રેસના પિતાની વ્યથા

    11 hours ago

    'કુમકુમ ભાગ્ય' અને 'છાવા' ફેમ એક્ટ્રેસ સંચિતા ઉગલેના મૃત્યુ પછી, તેના પિતા મચ્છિન્દ્ર ઉગલેએ જણાવ્યું કે, તેમની દીકરીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ સાથે, દીકરીને યાદ કરતા પિતા મીડિયા સામે ભાવુક પણ થઈ ગયા. 'અમે અડધો કલાક જ તેની સાથે નહોતા' NDTV સાથેની વાતચીતમાં મચ્છિન્દ્ર ઉગલેએ કહ્યું, તેણી અવારનવાર પરેશાન રહેતી હતી. તેણે ક્યારેય અમને તેનું કારણ જણાવ્યું ન હતું. બસ એટલી જ ખબર હતી કે તે અંદરથી પરેશાન રહેતી હતી. ઘણી વાર તે બિલકુલ ઠીક અને ખુશ દેખાતી હતી, પરંતુ અચાનક ડિપ્રેશનમાં જતી રહેતી હતી. આ વાત અમારા ધ્યાનમાં આવી હતી અને આ માટે અમે તેની સાથે રોજ આવન-જાવન કરતા હતા. બસ એટલો જ સમય, સમજો કે અડધો કલાક અમે તેની સાથે નહોતા, તે અમારી ભૂલ સમજો, પરંતુ તે આટલી ડિપ્રેશનમાં જતી રહી, તે અમને ખબર નહોતી કે તે આવું પગલું ભરશે.' પિતાએ કહ્યું- 'સંચિતાને ટોર્ચર કરવામાં આવી રહી હતી' સંચિતાના પિતાએ એવો પણ દાવો કર્યો કે, 'વાતચીત કરી હતી, પણ તેને ટોર્ચર કરવામાં આવી રહી હતી. તેને કોઈને કોઈ પૈસા લઈને કે કોઈને કોઈ વાતને લઈને માંગણી કરીને, તેને ટોર્ચર અને હેમરિંગ કરી જ રહ્યું હતું. કોઈને કોઈ મામલામાં આ થઈ જ રહ્યું હતું. મતલબ, તે વાત હવે મારી સામે સ્પષ્ટ થશે જ, પણ નિશ્ચિત રૂપે આવું થઈ રહ્યું હતું.' સંચિતાના પિતાએ આગળ કહ્યું, 'પ્રશાસન પાસે એક જ માંગ છે કે મારી દીકરી સાથે જે કંઈ ખોટું થયું છે, તેને ન્યાય મળવો જોઈએ. મારી... મારી દીકરી શું, ભારતની બધી દીકરીઓ... છેવટે તે મારી જ દીકરી છે. મારી દીકરીને ન્યાય મળવો જોઈએ, ભારતની બધી દીકરીઓને... ફક્ત મારી એક દીકરીને જ નહીં, પરંતુ ભારતની બધી દીકરીઓને ન્યાય મળવો જોઈએ.' 'સુસાઇડ નોટ મળી નથી' ટીવી સિરિયલ 'કુમકુમ ભાગ્ય'થી જાણીતી બનેલી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ રવિવારે રાત્રે આત્મહત્યા કરી લીધી. તે 22 વર્ષની હતી. પોલીસે જણાવ્યું કે, એક્ટ્રેસનો મૃતદેહ ઘરમાં સીલિંગ ફેન પર લટકતો મળ્યો હતો. તેણે સાડીનો ફંદો બનાવીને ફાંસી લગાવી હતી. એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી PTI ને જણાવ્યું, ‘અમારી ટીમ માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી. અમને ત્યાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. સુસાઈડ નોટ પણ મળી નથી. ઘટના સમયે તેઓ ઘરે એકલા હતા. તેમના પિતાને મામલામાં કોઈ ગડબડની શંકા નથી. તેમણે દીકરીના મોત માટે કોઈને જવાબદાર પણ ઠેરવ્યા નથી.’ આત્મહત્યા કરી ત્યારે એક્ટ્રેસ ઘરે એકલી હતી સંચિતા પોતાના માતા-પિતા સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી હતી. રવિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે તેની બહેન અંજલિ ઘરની બહાર ગઈ હતી. તે સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. આ દરમિયાન સંચિતાએ પોતાના બેડરૂમના સીલિંગ ફેન પર સાડીના સહારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેને તરત જ મહાનગરપાલિકાની તુલિંજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કરી. તે ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ અને ‘વાગલે કી દુનિયા’માં જોવા મળી હતી. પોલીસે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. મોતનાં થોડા કલાકો પહેલાં વીડિયો પોસ્ટ કર્યો સંચિતાના નિધનનાં બરાબર થોડા કલાકો પહેલાં જ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક રીલ પોસ્ટ કરવામાં આવી હતી. વીડિયોમાં એક્ટ્રેસ 'ડફલી વાલે, ડફલી બજા' ગીત પર લિપસિંક કરતી જોવા મળી હતી. આ વીડિયોના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું, ‘મેં નાચું, તું નચા.’ કોમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી અને સતત પોસ્ટ કરતી રહેતી હતી. તેના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 39 હજાર ફોલોઅર્સ છે. પિતરાઈ ભાઈ બોલ્યો- ‘સુશાંતની જેમ ઇન્ડસ્ટ્રીએ દબાવી’ સંચિતાના પિતરાઈ ભાઈ આકાશ ઉગલેએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, 'સંચિતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા દબાવવામાં આવી રહી હતી.' તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલો સોશિયલ મીડિયાનો એક વીડિયો બતાવતા દાવો કર્યો છે કે, 'આ સંચિતાની નકલી ID પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું, ‘આજે ફરી 14 જૂન છે’. 'મારી બહેન ખૂબ ડરી ગઈ હતી' સંચિતાના ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, 'મારી બહેન ખૂબ ડરી ગઈ હતી. ઇન્ડસ્ટ્રી દબાવી દે છે, ધમકી આપે છે. જેવું સુશાંત સાથે કર્યું, તેને અંદરથી ખોખલો કરી દીધો. આમાં મોટા મોટા લોકોનો હાથ હોય છે. અહીં પાવર ગેમ હોય છે. અમારા જેવા મિડલ ક્લાસના લોકો આગળ જાય છે, તો તેને દબાવી દેવામાં આવે છે.' પિતરાઈ ભાઈ દ્વારા જણાવવામાં આવેલું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સંચિતા ઉગલેના ફેન પેજ જેવું લાગે છે. જોકે, આકાશે દાવો કર્યો છે કે, આ એકાઉન્ટ સંચિતા પોતે ચલાવતી હતી. આ એકાઉન્ટ 2 જૂને બનાવવામાં આવ્યું છે. પેજના તમામ વીડિયો સંચિતાના હતા, જોકે 14 જૂને પોસ્ટ કરવામાં આવેલો છેલ્લો વીડિયો સુશાંત સિંહ રાજપૂતનો હતો. કથિત રીતે આ વીડિયો પોસ્ટ થયા પછી સંચિતાએ આત્મહત્યા કરી છે. સંચિતા અનેક ટીવી શો અને ફિલ્મોનો ભાગ રહી છે સંચિતા ઉગલેએ અનેક ટીવી શો અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે લોકપ્રિય ટીવી શો 'કુમકુમ ભાગ્ય', 'વાગલે કી દુનિયા' જેવા અનેક શોનો ભાગ રહી ચૂકી હતી. છેલ્લે તે દંગલ ટીવી ચેનલના શો ‘સાજન ઘર મેં’માં જોવા મળી હતી. તે લોકપ્રિય શો ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’માં સૌરભ બેદી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સંચિતાએ ફિલ્મ 'છાવા'માં પણ કામ કર્યું હતું. તેમાં તે તારાબાઈના પાત્રમાં જોવા મળી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં વિકી કૌશલ અને અક્ષય ખન્ના જોવા મળ્યા હતા. આ ઉપરાંત સંચિતાએ મનોજ બાજપેયી સાથે 'સાયલન્સ 2: ધ નાઈટ આઉલ બાર શૂટઆઉટ'માં પણ કામ કર્યું હતું. AICWA એ મામલામાં તપાસની માંગ કરી ઘટનાની માહિતી સામે આવ્યા બાદ AICWA (ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન) ના પ્રેસિડેન્ટ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આ મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની અપીલ કરી છે. , સંચિતા ઉગલેના સુસાઇડ સંબંધિત આ સમાચાર પણ વાંચો… 'સાથ સોઓગે નહીં તો રિપ્લેસ કર દેંગે':22 વર્ષની 'છાવા' ફેમ સંચિતા ઉગલેની આત્મહત્યા બાદ ટીવી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ ઇન્ડસ્ટ્રીને એક્સપોઝ કરી 22 વર્ષીય ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેના કથિત આત્મહત્યાના કેસ પછી એક્ટ્રેસ આંચલ ખુરાનાએ ટીવી ઇન્ડસ્ટ્રી પર સવાલો ઉઠાવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    TMC Split: TMC के बागियों की पार्टी NCPI का कौन बना अध्यक्ष? TMC Rebels Merger | Mamata
    Next Article
    ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પડતા ખેડૂતોની ચિંતા વધી:અલનીનોના કારણે આ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદની શક્યતા, 40.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment