Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં 4000થી વધુ ચકલીના માળાનું વિતરણ:વિશ્વ ચકલી દિવસે વન વિભાગ અને એડવેન્ચર એન્ડ નેચર ફાઉન્ડેશનની પહેલ

    4 days ago

    વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, મહીસાગર વન વિભાગ અને મહીસાગર એડવેન્ચર એન્ડ નેચર ફાઉન્ડેશન દ્વારા 20 માર્ચના રોજ 4000થી વધુ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ ચકલીઓના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણને સુરક્ષિત કરવાનો છે. વન વિભાગના અધિકારીઓ અને ફાઉન્ડેશનના સભ્યોએ જાહેર સ્થળોએ અવરજવર કરતા લોકોને ચકલીઘર આપીને ચકલીઓના સંવર્ધન માટે પર્યાવરણ પ્રેમીઓને અપીલ કરી હતી. ચકલીઓને લુપ્ત થતી અટકાવવા માટે તેમના સંરક્ષણ અને સંવર્ધન અર્થે આવા કૃત્રિમ ચકલીઘર મૂકવા અત્યંત જરૂરી છે. આ માળાઓ તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી પ્રજનન અને વસવાટમાં મદદરૂપ થાય છે, કારણ કે ચકલીઓ સામાન્ય રીતે ઝાડ પર માળો બનાવતી નથી. મહીસાગર નેચર ફાઉન્ડેશનના પ્રમુખ મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે બે હજારથી વધુ કૃત્રિમ માળાનું વિતરણ કરવામાં આવે છે. આ માળાઓમાં ચકલીઓની અવરજવર જોવા મળી છે, જે સકારાત્મક પરિણામ દર્શાવે છે. લોકો વન વિભાગ અને નેચર ક્લબને ચકલીઘરના ફોટા પણ મોકલે છે. આ વર્ષે પણ 4000થી વધુ ચકલીઘરનું વિતરણ કરીને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી, જેનાથી લોકોમાં ચકલીઓ પ્રત્યે જાગૃતિ અને પ્રેમ વધ્યો છે. એનજીઓ દ્વારા લોકોને માળા વિતરણ કરીને ચકલીઓના અસ્તિત્વને જાળવી રાખવા અને તેમને આવનારી પેઢી માટે વારસા રૂપે બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉનામાં 24 માર્ચથી ગરીબી સર્વે શરૂ થશે:ફરિયાદો, RTI અરજીઓનો સમયસર નિકાલ કરવા કલેક્ટરની સૂચના
    Next Article
    'આમ આદમી પાર્ટીનો પરપોટો ફૂટી ગયો':વિસાવદરમાં કોંગ્રેસની બેઠક, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું; જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો જીતવાનો આશાવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment