Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂતેલી માતાનું ગળું દબાવી દીકરાએ ગળાફાંસો ખાધો:સુરતમાં શેરબજારમાં 40 લાખનું દેવું થતાં પાટીદાર યુવક હેવાન બન્યો, 6 મહિનાની ઉંમરે દિયરના છોકરાને દત્તક લીધો હતો

    1 day ago

    સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે(30 જુલાઈ) રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે. સ્થળ પરથી એક પાનાની સુસાઇડ નોટ મળી, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘરના રૂમમાંથી એક પાનાની હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડ અને પરિવારની માફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૂળ ભાવનગરના મહેસાણકા ગામનો પરિવાર, વરાછામાં ભાડેથી રહેતો હતો મૃતકની ઓળખ અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મહેસાણકા ગામનો વતની હતો. 36 વર્ષીય જતીન જગદીશ સોનાણી પોતાની 63 વર્ષીય માતા ભાનુબેન સાથે હાલ વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-1ના પહેલા માળે ભાડાના મકાનમાં રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા-પુત્ર બંને સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. સ્ટેશનરીની નોકરી છોડી મીની બજારમાં શેરબજારની ઓફિસ શરૂ કરી હતી જતીનના ભૂતકાળ પર નજર કરીએ તો તે અગાઉ એક સ્ટેશનરીની દુકાનમાં સામાન્ય નોકરી કરતો હતો અને સાથે-સાથે શેરબજારનું નાનું-મોટું કામકાજ સંભાળતો હતો. જાતે કમાઈને આગળ વધવાની ઘેલછામાં તેણે અઢી-ત્રણ મહિના પહેલા જ સ્ટેશનરીની નોકરી છોડી દીધી હતી અને સુરતના મીની બજાર ખાતે શેરબજારની પોતાની સ્વતંત્ર ઓફિસ શરૂ કરી હતી. રોકાણ ઊંધું પડતાં માથે રૂ. 40 થી 50 લાખનું જંગી દેવું થઈ ગયું શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઊંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે રૂ. 40 થી 50 લાખનું જંગી દેવું થઈ ગયું હતું. બીજી તરફ તેની માતા ભાનુબેન ઘર બેઠા સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા. મધ્યરાત્રિએ ઘોર નિંદ્રામાં સૂતેલી માતાનું ગળું દબાવી દીધું ગુરુવારે રાત્રે જતીન અને તેની માતા ભાનુબેન રોજિંદા ક્રમ મુજબ જમીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આર્થિક સંકટના કારણે માનસિક તણાવમાં જીવી રહેલા જતીને મધ્યરાત્રિએ દૂષિત માનસિકતા દર્શાવી હતી. પલંગ પર ઊંઘી રહેલી માતા ભાનુબેનને તેણે ગળાના ભાગે ટૂંપો આપી દઈ ટૂંકી જ વારમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. શુક્રવારે બપોર સુધી ઘર ન ખૂલતાં પાડોશીઓએ બારીમાંથી જોયું અને મોટો ધડાકો થયો શુક્રવારે બપોર સુધી ભાનુબેન કે જતીનમાંથી કોઈ પણ ઘરની બહાર ન આવતાં આસપાસના પાડોશીઓને શંકા ગઈ હતી. તેઓએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે એક પાડોશીએ ઘરની બારીમાંથી અંદર ડોકિયું કરતાં જ હોશ ઊડી ગયા હતા. અંદર માતા પલંગ પર પડેલી હાલતમાં અને પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતાં જ પાડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા માતા-પુત્રનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે ભાનુબેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા કોઈ મટીરિયલ વડે ગળા પર ટૂંપો આપવાના કારણે થયું હતું, જ્યારે પુત્ર જતીનનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું હતું. "મમ્મીને મારીને હું આપઘાત કરું છું" – સુસાઇડ નોટમાં વ્યથા છલકાઈ પોલીસને મળી આવેલ દોઢ પાનાની સુસાઇડ નોટમાં જતીને પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે, "મારે દેવું થઈ જતા, હું મમ્મીને કહી શકું તેમ નથી. મમ્મીને મારીને હું આત્મહત્યા કરી લઉં છું." આ ઉપરાંત સુસાઇડ નોટમાં તેણે સંબંધીઓમાં કોની પાસેથી પૈસા લેવાના છે અને કોને દેવાના છે તેની વિગતવાર યાદી લખી હતી તથા પોતાના કાકા-કાકી અને પરિવારજનોની માફી પણ માગી હતી. માત્ર 6 મહિનાની ઉંમરે જેણે દત્તક લીધો, એ જ પુત્ર માતાનો ભક્ષક બન્યો આ કરૂણ ઘટના પાછળ એક અત્યંત ભાવુક અતીત છુપાયેલો છે. જતીન મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. ભાનુબેને તેને ખોળે બેસાડીને પોતાના સગા પુત્રની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.
    Click here to Read More
    Previous Article
    24 કલાકમાં સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ:વડોદરાની હોસ્ટેલમાં પાણી ઘૂસતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ; નવસારીમાં 160 રસ્તા બંધ, આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’
    Next Article
    અમરેલીના હાલરિયા ગામમાં સિંહ શિકાર કરવા ઘૂસ્યો:આખલાએ પ્રતિકાર કરતા સિંહ જીવ બચાવી ભાગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment