Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસાની ઋતુમાં ઉનાળા જેવો અહેસાસ:સોરઠ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચ્યો, ઉકળાટ વધ્યો

    3 days ago

    હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ગરમીનો પારો વધી જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેના બદલે અસહ્ય ગરમી અને બફારાને કારણે વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. શનિવારે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળ્યો હતો, જેના કારણે ચોમાસાના દિવસોમાં પણ લોકોને કાળઝાળ ઉનાળાનો અહેસાસ થયો હતો. ભારે ઉકળાટ અનુભવાયો હતો. શનિવારે બપોરે જૂનાગઢમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 40 ડિગ્રીની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું. આ અચાનક વધેલા તાપમાનને કારણે અસહ્ય બફારો અને ઉકળાટ થતાં લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. બપોરના સમયે માર્ગો પર લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી. દરમિયાન ચાલુ ચોમાસે આવી ગરમી અસામાન્ય છે. અસહ્ય ઉકળાટથી બચવા માટે લોકોએ પંખા અને એસીનો સહારો લેવો પડ્યો છે. હાલમાં સોરઠભરના લોકો આકરા તાપ અને બફારામાંથી મુક્તિ મેળવવા માટે વહેલી તકે મેઘરાજાની પધરામણી થાય તેવી આશા રાખી રહ્યા છે. પવનની ગતિ ધીમી હોવાને કારણે પણ ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજી પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો:રૂ. 7.68 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર
    Next Article
    આજે પોલિયો રસીકરણ:165 કેન્દ્રો પર 660 કર્મચારીઓ તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment