Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં સાસણ ગીર સફારી પાર્ક 4 મહિના માટે બંધ:વરસાદ ન પડતાં અભયારણ્ય પ્રવાસીઓ માટે 8 દિવસ મોડું બંધ કરાયું, દેવળિયા સફારી પાર્ક નિયમ મુજબ ખુલ્લો રહેશે

    19 hours ago

    ​ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલને જોવા માટે દર વર્ષે માત્ર ભારત કે ગુજરાતમાંથી જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. વનરાજાના મુક્ત ભ્રમણને નિહાળવાની સાથે ગીરની અદ્ભુત પ્રકૃતિ અને તેના નૈસર્ગિક સૌંદર્યનો નજારો માણવો એ દરેક પ્રવાસી માટે એક યાદગાર અનુભવ બની રહે છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. ​વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો સામાન્ય રીતે દર વર્ષે 15મી જૂનથી લઈને 15મી ઓક્ટોબર સુધીના ચાર મહિનાના ગાળા દરમિયાન વરસાદની સીઝન હોવાના કારણે ગીર અભયારણ્યમાં તમામ પ્રવાસન ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે જૂન મહિનાના મધ્ય સુધી ગીર વિસ્તારમાં વહેલો વરસાદ ન થયો હોવાના કારણે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે એક ખાસ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વન વિભાગે પ્રવાસીઓની સુવિધા માટે સિંહ દર્શન અને સાસણ સફારી પાર્કને વધુ એક અઠવાડિયા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી આપી હતી. આ રીતે વધારવામાં આવેલી આઠ દિવસની સમય મર્યાદા આજે ૨૨મી જૂનના રોજ પૂર્ણ થઈ છે. આજે સાંજે 6:30 કલાકે છેલ્લી સફારી જંગલમાંથી પરત ફર્યા બાદ, આગામી ૧૬મી ઓક્ટોબર સુધી સાસણ સફારી પાર્કને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસામાં વન્યજીવો મુક્ત રીતે ફરી શકે તે હેતુથી સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે ​દર વર્ષે ચોમાસા દરમિયાન ગીર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખવા પાછળ વન વિભાગ અને સરકારના કેટલાક અત્યંત ચોક્કસ વન્યજીવ સુરક્ષાના કારણો જવાબદાર હોય છે. ચોમાસા દરમિયાન જંગલની અંદર ભારે વરસાદ પડવાના કારણે કાચા રસ્તાઓ અત્યંત બિસ્માર અને કાદવ-કીચડવાળા બની જાય છે, જેના લીધે પ્રવાસીઓને લઈ જતી જીપ્સીઓની સલામત અવરજવર શક્ય બનતી નથી. વન્ય પ્રાણીઓની દ્રષ્ટિએ આ સમયગાળો જંગલની ઘણી બધી પ્રજાતિઓ અને ખાસ કરીને સિંહો માટે પ્રજનન અર્થાત બ્રીડિંગનો હોય છે. આ નાજુક સમયે જંગલમાં માનવ દખલગીરી અટકાવવી અનિવાર્ય બને છે. વળી, ચોમાસામાં વન્યજીવો મુક્ત રીતે ફરી શકે અને પ્રવાસીઓની સુરક્ષા જોખમાય નહીં તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે નિયમ મુજબ આ પ્રતિબંધ મૂકવામાં આવે છે. 11 લાખથી વધુ પ્રવાસીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી ગીર સેન્ચુરી સુપ્રિટેન્ડન્ટ અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર 23 જૂન 2026 થી અમારું ગીર અભયારણ્ય પ્રવાસન માટે સત્તાવાર રીતે બંધ કરવામાં આવી રહ્યું છે. જૂન મહિનામાં બંધ થયા બાદ હવે ઓક્ટોબર માસમાં પ્રવાસીઓ માટે આ અભયારણ્ય ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે. પ્રવાસીઓના આંકડા આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ ગીરની મુલાકાતે આવે છે. એપ્રિલ 2025થી જૂન 2026 સુધીના સમયગાળાની વાત કરીએ તો, ગીર અભયારણ્યમાં 2,84,000 અને દેવળિયા ગીર પરિચય ખંડમાં 9,27,000 મળીને કુલ 11 લાખથી વધુ પ્રવાસીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી છે. ​ગીર સેન્ચુરી સુપ્રિટેન્ડન્ટ અગ્નિશ્વર વ્યાસે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, ચોમાસાના સમયમાં મુખ્ય જંગલ બંધ રહેવા છતાં જે પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાતે આવી રહ્યા હોય, તેમના માટે દેવળિયા પરિચય ખંડ દેવળિયા સફારી પાર્ક નિયમ મુજબ ખુલ્લો જ રહેશે. પ્રવાસીઓ વન વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પરથી દેવળિયા સફારીનું ઓનલાઈન બુકિંગ કરાવીને ત્યાં જીપ્સી અથવા બસ દ્વારા સફારીની મજા માણી શકશે. વન વિભાગના કર્મચારીઓ ખડેપગે બજાવતા રહે છે જંગલ સામાન્ય લોકો માટે બંધ થવા છતાં વન વિભાગની કામગીરી અટકતી નથી. વન વિભાગનો તમામ ક્ષેત્રીય સ્ટાફ અને ફિલ્ડ ટીમો ચોવીસેય કલાક જંગલમાં સક્રિય રહે છે. ચોમાસા દરમિયાન નદી-નાળા છલકાવાને કારણે ઊભી થતી પરિસ્થિતિઓ, વન્યજીવોના રેસ્ક્યુ ઓપરેશન્સ અને સતત પેટ્રોલિંગ જેવી અત્યંત પડકારજનક ફરજો વન વિભાગના કર્મચારીઓ ખડેપગે બજાવતા રહે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં બે અકસ્માતમાં બેનાં મોત:લાંભા પાસે બોલેરો પીકઅપમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે મિત્રો ઈજાગ્રસ્ત
    Next Article
    શિષ્યવૃતિ કૌભાંડનો માસ્ટર માઈન્ટ ઝડપાયો:વડોદરાના યુવકના નામે ગાંધીનગરની કોલેજમાં બોગસ એડમિશન લઈ બારોબાર સ્કોલરશીપ ઓળવી ગયો હતો, સરકારી બાબુઓ સુધી તપાસનો રેલો પહોચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment