Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતા પર 4 વર્ષથી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો:રાજકોટમાં ભાઈના પ્રેમલગ્નની માથાકૂટમાં યુવાનનું અપહરણ, ત્રિપલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

    15 hours ago

    રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી 45 વર્ષીય પરિણીતા દ્વારા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 115 (2), 351 (2) સહિતની કલમ અંતર્ગત જુબેર કુરેશી (ઉવ.33) નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલામાં પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. ઝડપાયેલો શખ્સ રીક્ષા ડ્રાઇવર છે અને પરણિત છે. જેની સામે અગાઉ અમદાવાદમાં સાઇબર ફ્રોડનો ગૂનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. શહેરમાં રહેતી 45 વર્ષીય પરણિતાને 4 વર્ષ પહેલા ધાર્મિક સ્થળે દર્શન માટે જતી વખતે એક ઓટો રિક્ષા ચાલક સાથે પરિચય થયો હતો. રિક્ષા ચાલક જુબેર કુરેશીએ શરૂઆતમાં ભાડું ન લઈને તેણીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ જુબેર કુરેશી તેણીના ઘરે આવી ગયો હતો અને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. આ સાથે જ આરોપીએ વીડિયો બનાવીને ધમકી આપીને મૌન રહેવા મજબૂર કરી હતી. જે બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન આરોપી વારંવાર ઘરે આવી ધમકી આપી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હોવાનો આક્ષેપ છે. તાજેતરમાં પણ આરોપીએ પીડિતાને માર માર્યો હતો અને તેના હાથની આંગળી તોડી નાખી હતી. આ ઘટનાના પગલે પીડિતાએ સામાજિક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ થયો હતો. ભક્તિનગર પોલીસે બુધવારના રોજ આરોપી જુબેર કુરેશીની ધરપકડ કરી હતી અને ગુરૂવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે એક પણ દિવસના રિમાન્ડ ન માગતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી પરણિત હોવા છતાં પણ ત્યકતાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે હવે તેને દુષ્કર્મના ગુનામાં જેલની સજા થઈ છે. ભાઈના પ્રેમલગ્નને લીધે માથાકૂટમાં યુવાનનું અપહરણ કરી માર માર્યો રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં પ્રેમલગ્નના ડખ્ખામાં યુવકનું અપહરણ થયું હતું અને ઢોર માર માર્યો હતો અને ધમકી અપાઈ હતી કે, દીકરીને ઘરે પાછી મુકી જાજે, નહિતર જાનથી મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું. આ અંગે આજીડેમ પોલીસે દીકરીના પિતા સહિતના સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ભરત કરમણભાઈ ભરવાડ (ઉં.વ. 22)એ જણાવ્યું કે, હું કોઠારીયા સોલવંટમાં મારા પરિવાર સાથે રહું છું. ભાઈ વિજય (ઉં.વ.24)ને 8 માસ પહેલા રામભાઈ ટોળીયાની દીકરી પાયલ સાથે પ્રેમ લગ્ન થયા છે. દરમિયાન 25 માર્ચના રાત્રીના 10 વાગ્યે હું મારી મોબાઇલની દુકાન બંધ કરી મારા ફઈ અનુબેન મંગાભાઈ જોગરાણાના ઘરે જતો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો આવ્યા અને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ધીરુભાઈ ટોળીયા, રામભાઇ ટોળીયા, રાહુલ અને ખોડાભાઈ જોગરાણા પણ ત્યાં આવી ગયા હતા. જે બાદ કારમાં અપહરણ કરી શાપરના ગોંડલ રોડ પાસેના પુલ બાજુ લઈ ગયા હતા. જ્યાં ગાડી ઉભી રાખી મને ઉતારી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જે બાદ સીતારામ સોસાયટી પાસે કારમાંથી ધક્કો મારી નીચે પછાડી જતા રહ્યા હતા. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં સગીરને છરીનો ઘા મારી હાથના કાંડાની નસ કાપી ધરમનગરમાં જૂની અદાવતમાં સગીરને છરો મારી હાથના કાંડાની નસ કાપી નાંખતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. 10 દિવસ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી સગીરને મિત્રએ તને શેની હવા છે? તેમ કહી છરો મારી હાથના કાંડાની નસ, ત્રાણીયા કાપી નાખ્યા હતાં. જતા જતા મારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી છે તો જેલમાંથી છૂટ્યા બાદ ફરી છરીના ઘા મારીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે જગદીશભાઈ ગોરધનભાઈ ટીમ્બલીયા (ઉં. વ.52) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના 17 વર્ષના પુત્ર દિક્ષિતના મિત્ર જામ્બો ઉર્ફે આનંદનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.24 ના રોજ રાત્રિના 11.30 વાગ્યા આસપાસ તેના પુત્ર દીક્ષિતનો ફોન આવ્યો કે, તેના મિત્ર જામ્બાએ તેના ડાબા હાથમાં છરો મારી દીધેલ છે અને મિત્ર પાવન સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યો છે. ટ્રક - ક્રેઇન વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક ગેરેજ ધારકનું મોત, પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી ગ્રીનલેન્ડ ચોકડીએ ત્રિપલ અકસ્માતમાં સર્જાતા ગેરેજ સંચાલકનુ મૃત્યુ નિપજ્યુ હતુ. ગ્રીનલેન્ડ ચોક પાસે જ ટ્રકમાં ગ્રીસ ભરવાનું ગેરેજ ધરાવતા 45 વર્ષીય રસિકભાઈ હિરપરા આજે 26 માર્ચના સવારે ગેરેજેથી ઘરે જતા હતા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી વાળા ચોકમાં ક્રેઈન અને રીક્ષા વચ્ચે બાઈક દબાઈ ગયું હતુ અને અકસ્માત સર્જાયો હતો. જેને લીધે રસિકભાઈનું મૃત્યુ નિપજ્યુ હતુ. રસિકભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં 1 પુત્ર છે. પોતે મૂળ રાજકોટ તાલુકાના માલીયાસણ પાસે આવેલ ખેરડી ગામના વતની હતા. અકસ્માત મૃત્યુના બનાવથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોક છવાયો હતો. ફેડ બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી સોનુ ન જમા કરાવી છેતરપિંડી રેલનગરમાં આવેલી ફેડબેંકમાંથી રૂ. 8.15 લાખની ગોલ્ડ લોન મેળવી સામે બેંકમાં સોનુ નહિ જમા કરાવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. ભેજાબાજે ફેડબેંકમાંથી ગોલ્ડ લોન મેળવી આઈઆઈએફએક બેંકમાં ગીરો પડેલા દાગીના છોડાવી લઇ ધિરાણ આપનાર બેંકને આપ્યા ન હતા. જે બાદ રોકડા નાણા આપવાનું કહી રૂ.2.15 લાખ આપ્યા હતા અને રૂ.6 લાખ નહીં આપી તમારે મારા વિરુદ્ધ જે ફરિયાદ કરવી હોય તે કરી દો હું પૈસા આપવાનો નથી એમ કહેતા બેન્કના એરિયા મેનેજરે પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે બેંકના એરિયા મેનેજર હીરેનભાઇ વ્યાસે આરોપી તરીકે ગૌરાજ ડોડીયા (રહે.આર્યનગર, પેડક રોડ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. માનસિક અસ્વસ્થ યુવાનનો એપાર્ટમેન્ટ પરથી કૂદકો મારી આપઘાત ઉદયનભાઈ દિલીપભાઈ લાંબા (ઉં.વ. 42, રહે.રાધે કૃષ્ણ સોસાયટી શેરી નં.3,આહીર ચોક પાસે, રાજકોટ) આજે 26 માર્ચના વહેલી સવારે પોતાના નિત્ય ક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા બાદ ઘરની નજીક જ આવેલા સાસ્વત પ્રભુવત બિલ્ડિંગમાં જઈ ઉપરથી પડતું મુકી દીધું હતું. બનાવથી લોકો એકઠા થઈ જતા 108માં જાણ કરાઈ હતી. 108ના સ્ટાફે સ્થળ પર મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઉદયનભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતા. બે ભાઈઓમાં મોટા અને અપરિણીત હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. પુત્રીએ ભાગીને લગ્ન કરતા માતાએ ફિનાઇલ પી લીધુ નવા થોરાળામાં દીકરીએ ભાગીને લગ્ન કરતા માતાએ ફિનાઈલ પી લીધું હતું. માતાને રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, કંચનબેન મનસુખભાઈ વાઘેલા (ઉં.વ.59, રહે. નવા થોરાળા શેરી નં.9) રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી જતા અત્રેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસ સૂત્રોએ નિવેદન લેવા તજવીજ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, દીકરીએ ભાગીને લગ્ન કરી લેતા આ પગલું ભર્યું હતું. હાલ તેઓ સારવાર હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં કાકણપુર રામપુરા ગામે હડકાયા શ્વાનનો હુમલો:2 વર્ષની બાળકી અને વાછરડાને ગંભીર ઈજા
    Next Article
    વેરાવળ-સોમનાથમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યા ભક્તો, શહેરભરમાં ધર્મમય માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment