Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં અતિવૃષ્ટિથી 28પંચાયત રસ્તા બંધ:વાહનવ્યવહાર ઠપ્પ, ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત

    2 days ago

    રાજ્યમાં ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના પગલે જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના કુલ ૨૮ આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. ૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકની સ્થિતિએ આ આંકડા જાહેર કરાયા છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે સુરક્ષિત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોને જોડતા પંચાયતના રસ્તાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. અતિવૃષ્ટિના કારણે જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૧૧ રસ્તાઓ બંધ છે, જ્યારે વાલોડ તાલુકામાં ૧૦ રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. વ્યારા તાલુકામાં ૪ અને સોનગઢ તાલુકામાં ૩ રસ્તાઓ બંધ કરાયા છે. ઉકાઈ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં હાલ એકપણ રસ્તો બંધ નથી. વ્યારા તાલુકામાં લખાલી-ચીચબરડી-રાણીઆંબા રોડ, ખુરદી એપ્રોચ રોડ, ઝાંખરી આશ્રમ ફળિયા રોડ અને ભુરીવેલ રાણીઆંબા રોડ બંધ છે. વાહનચાલકોને મીરપુર-રાણીઆંબા અને ડોલારા-ઝાંખરી રોડ જેવા ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવાયું છે. ડોલવણ તાલુકામાં વિરપુર-ઉમરકચ્છ રોડ, બેડચીત-વિરપુર રોડ, પીઠાદરા-જામણિયા રોડ સહિતના ૧૧ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તંત્ર દ્વારા વાહનોને NH-56 અને ધામણદેવી-સરાકેવડી રોડ તરફ વાળવામાં આવ્યા છે. વાલોડ તાલુકામાં રાનવેરી-નાલોઠા રોડ, અલગટ રોડ, દેગામા અને અંબાચ ગામને જોડતા રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ છે. રાનવેરી નાલોઠા નવી વસાહત રોડ બંધ થતાં ત્યાં હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. સોનગઢ તાલુકામાં સિનોદ નિશાળ ફળિયા રોડ, કપડબંધ એપ્રોચ રોડ અને શિરિષપાડા એપ્રોચ રોડ બંધ છે. સિનોદ અને કપડબંધ વિસ્તારના રસ્તાઓ બંધ થતાં હાલ કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી સંપર્ક તૂટ્યો છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલ સુધી એકપણ રસ્તો બંધ ન હતો, પરંતુ આજે પડેલા ભારે વરસાદના કારણે અચાનક આ ૨૮ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. તમામ રસ્તાઓ પરથી પાણી ઓસરતાં જ તેને તાત્કાલિક દુરસ્તી હાથ ધરીને આજ રોજ (૭ જુલાઈ) સાંજ સુધીમાં અથવા પાણી ઘટતાની સાથે જ ફરી કાર્યરત કરવા માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયા હોય તેવા નીચાણવાળા રસ્તાઓ પર અવરજવર ન કરવા અને વૈકલ્પિક માર્ગોનો આશરો લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્યૂશન ક્લાસિસના શિક્ષિકાએ 4 વર્ષીય બાળકને તાવીથાના ડામ આપ્યા:રાજકોટમાં મહિલા શિક્ષકનો ગોળ ગોળ જવાબ, વાલીનો આક્રોશ, કોચિંગ ક્લાસ માટે કડક કાયદો બનાવવા માગ
    Next Article
    ગોધરામાં LCBએ ગુજસીટોકના બે વોન્ટેડ ઝડપ્યા:રાયોટિંગ, પશુ અત્યાચાર સહિતના ગંભીર ગુનાઓમાં ફરાર હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment