Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકાની અપીલ:28 માર્ચ ‘અર્થ અવર’ નિમિત્તે સુરતીલાલાઓ એક કલાક વીજળી બંધ રાખી પર્યાવરણ રક્ષામાં સહભાગી બનશે

    19 hours ago

    વિશ્વભરમાં વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને જળવાયુ પરિવર્તનના ખતરા સામે લડવા માટે દર વર્ષે 'વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર' દ્વારા "અર્થ અવર" નું આયોજન કરવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે, સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આવતીકાલે, 28 માર્ચ 2026, શનિવારના રોજ રાત્રે 8:30 થી 9:30 કલાક દરમિયાન બિનજરૂરી લાઈટો અને વીજ ઉપકરણો બંધ રાખવા અપીલ કરી છે. અભિયાનની શરૂઆત 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી ‘અર્થ અવર’ એ માત્ર લાઈટો બંધ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ તે પર્યાવરણ પ્રત્યેની આપણી સામૂહિક જવાબદારીનું પ્રતીક છે. આ અભિયાનની શરૂઆત 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી, જે આજે વિશ્વના 190થી વધુ દેશોમાં ફેલાયેલું સૌથી મોટું પર્યાવરણીય આંદોલન બની ગયું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઊર્જા બચત પ્રત્યે જાગૃત કરવાનો અને પૃથ્વીને બચાવવા માટે એકજૂથ કરવાનો છે. મહાનગરપાલિકાના તમામ વિભાગોમાં એક કલાક વીજળીનો વપરાશ બંધ સુરત શહેર હંમેશા પર્યાવરણ જાળવણી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં અગ્રેસર રહ્યું છે. મનપા કમિશનર અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, સુરત મહાનગરપાલિકાની તમામ વહીવટી કચેરીઓ, ઝોન ઓફિસો, જાહેર બાગ-બગીચાઓ, હેરિટેજ મિલકતો અને અન્ય સરકારી ઇમારતોમાં આ એક કલાક દરમિયાન અનાવશ્યક વીજળીનો વપરાશ બંધ રાખવામાં આવશે. બિનજરૂરી લાઇટિંગ બંધ રાખવા અપીલ કરી સુરત એ ઔદ્યોગિક અને વ્યાપારી હબ છે, જ્યાં ઊર્જાનો વપરાશ ખૂબ મોટો છે. આથી, મહાનગરપાલિકાએ ખાસ કરીને પોતાના ઘરમાં માત્ર જરૂરી હોય એટલી જ લાઇટ ચાલુ રાખી, એસી અને અન્ય ભારે ઉપકરણો એક કલાક માટે બંધ રાખવા વિનંતી કરી છે. ડાયમંડ માર્કેટ, ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ મોલ્સમાં ડેકોરેટિવ લાઇટિંગ અને સાઇન બોર્ડ્સ બંધ રાખી સહયોગ આપવા જણાવ્યું છે. ફેક્ટરીઓ અને મિલોમાં ઉત્પાદન પ્રક્રિયાને અસર ન થાય તે રીતે બિનજરૂરી લાઇટિંગ બંધ રાખવા અપીલ કરી છે. બિનજરૂરી વીજળી બંધ રાખે, તો હજારો યુનિટ વીજળીની બચત થઈ શકે જો સુરત જેવું મોટું શહેર માત્ર એક કલાક માટે બિનજરૂરી વીજળી બંધ રાખે, તો હજારો યુનિટ વીજળીની બચત થઈ શકે છે. આ બચત સીધી રીતે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રની સપાટી વધી રહી છે અને ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે, ત્યારે ‘અર્થ અવર’ જેવા નાના પ્રયાસો લાંબા ગાળે મોટા પરિવર્તન લાવી શકે છે. મનપાએ સૂચન કર્યું છે કે આ એક કલાક દરમિયાન નાગરિકો મીણબત્તીના પ્રકાશમાં પરિવાર સાથે સમય વિતાવી શકે છે.ડિજિટલ ઉપકરણોથી દૂર રહીને પ્રકૃતિ વિશે ચર્ચા કરી શકે છે.બાળકોને પર્યાવરણના મહત્વ વિશે સમજાવી શકે છે.ગ્રીન એનર્જી અને સોલર પેનલ જેવા વિકલ્પો અપનાવવાનો સંકલ્પ લઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Firm solidarity in this hour of grief’: Mirwaiz visits Iran Embassy, condoles death of Ayatollah Khamenei
    Next Article
    રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 5 દિવસીય 'AI વર્કશોપ'નો પ્રારંભ:ગુજરાતના 10 જિલ્લાના 100 શિક્ષકો તાલીમમાં જોડાયા, AIથી ગભરાવાની જરૂર નથી: કલેક્ટર ડો. મનીષ બંસલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment