Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું‎:નવું બસપોર્ટ શરૂ થતાં પૂર્વે રૂટના 4 મુખ્ય સ્થળો નો-પાર્કિંગ

    2 weeks ago

    પાટણ શહેરમાં 27 માર્ચના રોજ નવીન બસપોર્ટ શરૂ થનાર હોય બસના રૂટ વિસ્તારમાં હોસ્પિટલો અને મુખ્ય બજાર આવેલ હોવાથી લોકોની અવર-જવર ખૂબ રહે છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ભટ્ટ દ્વારા શહેરના મહત્વના માર્ગોને ‘નો-પાર્કિંગ ઝોન’ અને ‘વન-વે’ જાહેર કરી નિયમો ભંગ બદલ કાર્યવાહી કરવા માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. બસ સ્ટેશન કાર્યરત થાય તે પૂર્વે પાલિકા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે સર્વે કરીને બસની અવરજવર વાળા રૂટ ઉપર ધ્યાન નડતરરૂપ વાહનો પાર્કિંગ થતા હતા. તેમજ નિયમ ભંગ રીતે વાહન વ્યવહાર થતો હોય તેનું ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક વાળા પોઇન્ટ ઉપર નો પાર્કિંગ જોન અને વન વે રોડ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇ આડેધડ પાર્કિંગ ના થાય અને રોંગ સાઈડ વાહનોની અવરજવર બંધ થાય તો ટ્રાફિક સર્જાય નહીં માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કલેકટર દ્વારા જાહેરનામા સાથે વિવિધ દંડકીય અને કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. સાથે પોલીસ દ્વારા પણ શહેરમાં ટ્રાફિક નો પ્રશ્ન ઉભો ના થાય માટે અત્યારથી જાહેરનામાના ચુસ્તપણે અમલીકરણ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડીવાયએસપી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ 223 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી કરશે. નો-પાર્કિંગ ઝોન વિસ્તારોમાં કોઈપણ પ્રકારના યાંત્રિક વાહનો પાર્ક કરી શકાશે નહીં કે ઊભા રાખી શકાશે નહીં. દર્શ સ્કૂલ બ્રિજની પહોળાઈ ઓછી હોવાથી જો બસ પસાર થાય તો સામેથી અન્ય વાહન આવી શકે તેમ નથી. કાયમી સમસ્યા નિવારવા માટે આદર્શ સ્કૂલ બ્રિજના છેડેથી બ્રિજના મધ્યભાગમાં ત્રણ રસ્તા સુધીના માર્ગને ‘વન-વે’ જાહેર કર્યો છે. આ માર્ગો હવે ‘નો-પાર્કિંગ ઝોન’ રહેશે હંગામી અને પાકા દબાણ દૂર કરાશે પાટણ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે શુક્રવારે પાટણ શહેર ની અંદર નવું બસ સ્ટેશન કાર્યરત થતું હોય તે રૂટ ઉપર હંગામી દબાણ દૂર કરવા સૂચના અપાશે અને પાકા દબાણને તોડી પડાશે. બસ સ્ટેશન સામેના રોડ ડિવાઇડર ઉપર લગાવેલી લોખંડની રીંગ અને ડિવાઇડર દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવે છે. એક દિવસમાં 1200 ટ્રીપ થશે, બસોને ‎નીકળવામાં ટ્રાફિક અડચણરૂપ થશે‎ પાટણના સિનિયર ‎નિવૃત એક ડેપો વિભાગના‎કર્મચારીઓ ‎જણાવ્યું હતું પાટણ ડેપોમાં‎એક દિવસમાં ‎સરેરાશ 1200 બસ ટ્રિપ મારે‎છે (દરેક બસની અલગ અલગ ટ્રીપની આવવાની અને જવાની બંનેની‎સાથે ગણતરી ). બસ પોર્ટ બહાર લોખંડની ગ્રીલ તોડીને રસ્તા પોહળા‎કર્યા હોય બસોને અંદર પ્રવેશ કે બહાર નીકળવામાં પ્રશ્ન રહેશે‎નહીં.પરતું બસ સ્ટેશનમાં આવવા માટે બગવાડા સ્વામી વિવેકાનંદ‎સ્ટેચ્યુ તરફથી અને પરત જશે આદર્શ રોડ ઉપરથી જેથી બન્ને સ્થળે‎વળાંક નાના છે. જેથી બસોને નીકળવામાં ક્યાંકને ક્યાંક ટ્રાફિક‎અડચણરૂપ બની શકે છે.જેથી શહેરનું ટ્રાફિક વધશે. તેવું એસટી‎વિભાગના નિવૃત કર્મચારીએ જણાવ્યું હતું.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:પાલિકા રૂ. 1000 કરોડના બોન્ડ બહાર પાડશે સરકાર સાથે બેઠક બાદ પ્રોજેક્ટો નક્કી કરાશે
    Next Article
    વિશ્વ ટીબી દિવસ:આરોગ્ય કર્મચારી દર મહિને પગારના 10% રકમથી ટીબીના દર્દીઓને પોષણ કીટ આપી ઝડપી સ્વસ્થ કરવા પ્રયાસ કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment