Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે માળના જર્જરિત મકાનની બાલ્કની કડાકાભેર તૂટી પડી:દિવ્યાંગ અને અંધ વૃદ્ધ સહિત 4 લોકો અંદર ફસાયા, સુરતમાં ચોકબજાર નજીક સિંદ્ધીવાડમાં બનાવ

    1 day ago

    સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને જર્જરિત ઇમારતો સામે તંત્રના દાવાઓ વચ્ચે ચોકબજાર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોકબજારના સિંદ્ધીવાડમાં આવેલું એક અંદાજે બે માળનું અત્યંત જૂનું મકાનનો છજ્જાનો ભાગ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મકાનના ઉપરના માળે પતરાં નાખેલા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પરથી દાદર ચઢીને ઘરમાં પ્રવેશવાના મુખ્ય દરવાજાની આગળ આવેલો બાલકની એટલે કે છજ્જાનો સ્લેબ જેવો ભાગ કડાકાભેર તૂટી પડ્યો હતો. સદનસીબે મકાનની અંદરનો ભાગ સુરક્ષિત રહ્યો હતો, પરંતુ બહાર નીકળવાનો મુખ્ય રસ્તો જ બંધ થઈ જતાં અંદર હાજર લોકો બંધક બની ગયા હતા. છજ્જું તૂટી પડ્યું ને દિવ્યાંગ, વૃદ્ધ સહિત 4 લોકો અંદર ફસાયા આ આખી ઘટનામાં સૌથી સંવેદનશીલ અને કાળજું કંપાવી દે તેવી બાબત એ સામે આવી છે કે, આ જર્જરિત અને જોખમી મકાનમાં રહેતા 4 લોકો અત્યંત ગરીબ પરિવારના હતા અને તમામ શારીરિક કે માનસિક રીતે લાચાર હતા. છજ્જું તૂટી પડ્યા બાદ કાટમાળની પાછળ ઘરની અંદર ફસાયેલા લોકોમાં એક 70 વર્ષના અંધ વૃદ્ધ અને તેમની પત્ની હતા, જ્યારે બે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતા. શારીરિક અક્ષમતા અને ગરીબીના કારણે આ પરિવારો આવા જોખમી મકાનમાં રહેવા મજબૂર બન્યા હતા. ડરના માર્યા લોકો અંદર ભરાઈ રહ્યા બાલકનીનો છજ્જાનો ભાગ તૂટી પડવાના પ્રચંડ અવાજથી અંદર રહેલા આ લાચાર લોકો ભયભીત થઈ ગયા હતા. શારીરિક અક્ષમતાના કારણે તેઓને એ પણ અંદાજ નહોતો આવી રહ્યો કે બહાર ખરેખર શું આફત આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ એકને ઊંચકીને બહાર કાઢ્યા જોકે, આઘાતમાં સરી પડેલા આ લોકો બહાર આવવા પણ તૈયાર નહોતા અને ડરના માર્યા ફાયરના જવાનોને પૂછી રહ્યા હતા કે, 'અમને કેમ બહાર કાઢો છો?'. અંતે ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવી, માનવતા દાખવીને અંધ વૃદ્ધને પોતાના હાથે ઊંચકીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઘટના બાદ તંત્ર દોડતું થયું, બિલ્ડિંગ ઈન્સ્પેક્ટરને સ્થળ પર તેડાવાયા આ ગંભીર દુર્ઘટનામાંથી તમામ લોકોનો આબાદ બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, ઘટનાની ગંભીરતાને જોતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. કાટમાળ હટાવવાની કામગીરી સાથે જ સમગ્ર બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી તપાસવા માટે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બિલ્ડિંગ ઈન્સ્પેક્ટરને પણ તાકીદે સ્થળ પર તેડાવવામાં આવ્યા છે. આ ઘટનાએ શહેરમાં હજી પણ ધબકતી આવી અનેક જર્જરિત ઇમારતો સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor’s View : ભાજપનો ‘અયોધ્યાકાંડ’:ચંપત રાયને થાબડભાણાં; રામનાં નામે તરેલો ભાજપ આવતી ચૂંટણીમાં રામનાં નામે જ ડૂબશે? યોગીની અગ્નિપરીક્ષા
    Next Article
    બોટાદમાં મોહરમનું તાજીયા જુલુસ શાંતિપૂર્ણ સંપન્ન:હિન્દુ-મુસ્લિમ એકતાના દ્રશ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment