Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા પાસે ન્હાવા ગયેલા 4 યુવાનો તળાવમાં ડૂબ્યા:આલમગઢ ગામના મિત્રો તળાવમાં ન્હાવા ગયા ને અચાનક ડૂબવા લાગ્યા, બે યુવાનો લાપતા, બેનો બચાવ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ

    5 days ago

    વડોદરા જિલ્લાના આલમગઢ ગામે ચાર યુવાનો તળાવમાં ન્હાવા જતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો ડૂબી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે બંનેની શોધખોળ કરી રહી છે, જોકે હજુ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે બપોરે ચાર યુવાનો તળાવમાં ન્હાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો ડૂબી ગયા હતા.ઘટનામાં બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે અમિત સુરેશ તડવી અને શૈલેશ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગઈકાલે વડોદરા ટીપી 3 ફાયર બ્રિગેડ ટીમે બંનેની શોધખોળ કરી હતી, જોકે સાંજ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, જેથી આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. ઘટનાને 24 કલાક જેટલો વીતી ગયો હોવા છતાં બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં સતત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તળાવમાં કાદવ કીચડ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે મૃતદેહો શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ઘટના બાદ બચી ગયેલા યુવાનો પણ નીકળી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધવિરામ માટે ઈરાને 3 નવી શરતો મૂકી હોવાનો દાવો:કહ્યું- ઈરાન વિરોધી પત્રકારો પર કાર્યવાહી થાય, પહેલાં વળતર અને હુમલો ન કરવાની ગેરંટી માગી
    Next Article
    ગુજરાતના સેવારત્નોનું રાજકોટમાં ભવ્ય સન્માન સંધ્યા:ભારત વિશ્વગુરુ બનશે જ તે બ્રહ્માકુમારીઝનું વિઝન: રાજયોગી મૃત્યુંજયભાઈજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment