Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ટ્રમ્પનાં અલ્ટિમેટમનો ઉલાળિયો:ખામેનીની દફનવિધિ ન થવાની ત્રણ સંભાવના, મોજતબા પર સસ્પેન્સ, જાણો ઇરાનની સત્તા, સંતાકૂકડી અને સંઘર્ષની રહસ્યમય કહાની

    1 week ago

    “વાર્યા ન વાળે, તે હાર્યા વળે” આ કહેવત અત્યારે મિડલ ઈસ્ટના ઈરાન-ઈઝરાયલ જંગમાં એકદમ બરોબરની બેસે છે. ડોનાલ્ડ ટ્રમ્પના પળેપળે બદલાતા નિવેદનોએ દુનિયાને ચકરાવે ચડાવી છે. એકતરફ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ અને બીજી તરફ "હમણાં હુમલો નથી કરવો"ની નરમ વાત! આ ગડમથલમાં આજનો દિવસ પૂરો થતાં પહેલા ઈન્ડિયન સ્ટોક માર્કેટ તૂટ્યું છે, તો સોનાના ભાવમાં 10%નો કડાકો બોલ્યો છે, જે 43 વર્ષનો રેકોર્ડ છે. પણ અસલી સસ્પેન્સ તેહરાનમાં છે. અમેરિકા અને ઈઝરાયલ મુજબ 28 ફેબ્રુઆરીએ અલી ખામૈનીનો અંત આવ્યો, છતાં હજુ સુધી દફનવિધિ કેમ નથી થઈ? શું સત્તા અને અલી ખામૈનીનું પાર્થિવ શરીર ખરેખર કોઈ કોલ્ડ સ્ટોરેજમાં થીજે છે? નવા સુપ્રીમ લીડર મોજતબા ક્યાં છે? બંકરમાં કે હોસ્પિટલમાં? આજે વાત કરીશું ઈરાની સત્તા, સંતાકૂકડી અને સંઘર્ષની રહસ્યમય કહાનીની… નમસ્કાર... ઈરાનમાં અત્યારે ટૉપ લીડરશીપ નથી, સત્તા, બે મુઠ્ઠી ધાન અને પશ્ચિમી સંસ્કૃતિ સામે રમઝાન યુદ્ધ ચાલી રહ્યું છે. સરકારે તાત્કાલિક ખામૈનીના દીકરાને સુપ્રીમ લીડર બન્યા છે પણ તે એક પણ વાર જાહેરમાં દેખાયા નથી. જેના કારણે દુનિયામાં અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખામૈનીની દફનવિધિનો પ્લાન કેમ કેન્સલ થયો? ઈસ્લામિક પરંપરા મુજબ સામાન્ય રીતે મોતના 24 કલાકમાં દફન વિધિ કરવામાં આવે છે પણ 3 અઠવાડિયાથી વધુ ટાઈમ થઈ ગયો છતાં અલી ખામૈનીની દફનવિધિના કોઈ સમાચાર નથી આવ્યા. પહેલા કહેવામાં આવ્યું હતું કે 4 માર્ચે ખામૈનીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે પણ પછી કેન્સલ રાખવામાં આવ્યું. ઈરાનના સરકારી પ્રવક્તા મોહસેન મહમૂદીનું કહેવું છે કે જો દફનવિધિ થાય તો લાખો લોકો ભેગા થાય જો એવામાં કંઈ છમકલું થાય તો ન થવાનું થઈ જાય. પણ સામેની બાજુ વિદેશી બાબતોના નિષ્ણાતો કહી રહ્યા છે કે મહમૂદી ભલે આ કારણ આપે પણ દફનવિધિ ન કરવા પાછળ અસલી કારણ તો કંઈક બીજુ જ છે. ખામૈનીની દફનવિધિ કેમ ન કરી? ઈરાની સરકાર મુજબ દફનવિધિ ન કરવાનું કારણ છે કે ઈરાનમાં સતત બોમ્બમારા અને મિસાઈલ્સના હુમલાઓ ચાલુ છે. દફનવિધિમાં અમેરિકા અને ઈઝરાયલને ફરી ટોપ લીડરશીપનો ખાતમો બોલાવવાનો મોકો મળી જાય તેમ છે. 2024માં ઈબ્રાહિમ રાયસીના અંતિમ સંસ્કાર વખતે હમાસ નેતા ઈસ્માઈલ હનીયેહની હત્યા આપણને સૌને યાદ હશે. ઈરાનની શહાદત કાર્ડની રમત! માટે અફવાઓમાં કહેવાઈ રહ્યું છે કે અલી ખામૈનીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ અથવા રેફ્રિજરેશન ફેસિલિટીમાં રાખવામાં આવ્યો હોય શકે છે. બીજી બાજુ લોકો સરકારનો વારો પણ લઈ રહી છે કે પ્રદર્શનમાં શહીદ થયેલા યુવાનોને દફનાવવા નહોતા દીધા તે સરકાર પોતાના જ રહેબરને ધરતીમાં સમાવી નથી શકતા. એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈરાની સેના IRGCનું તેની પાછળનું કારણ શહાદત કાર્ડ રમવાનું પણ મન હોય શકે છે. વાતો તો એવી પણ ચાલી રહી છે કે યુદ્ધ પૂરું થાય અને બધું ઠરીને ઠામ થઈ જાય ત્યારે ખામૈનીની દફનવિધિ થાય તો લોકોના મનમાં એ વાત બરોબરની નાખી શકાય કે અમારા લીડરને અમેરિકાએ મારી નાખ્યા અને આનાથી ફરી પશ્ચિમ અને ઈઝરાયલ વિરોધી અને રાષ્ટ્રવાદના જુવાળનો માહોલ ઈરાનમાં ઉભો કરી શકાય. આનાથી બાય પ્રોડક્ટમાં એક બીજી વસ્તું એ થશે કે ઈન્ટરનલ કોન્ફ્લિક્ટને ઈમોશનલ એંગલથી ઢાંકી શકાય. ખામૈનીનું મોત અને મોજતબા ઘાયલ? ખૈર... અત્યારે સૌથી મોટો સવાલ છે કે નવા સુપ્રીમ લીડર મોજતબા ખામૈની છે ક્યાં? સાયપ્રસમાં ઈરાનના રાજદૂત અલીરેઝા સાલેરિયને ધ ગાર્ડિયનને કહ્યું હતું કે જે હુમલામાં તેમના પિતા માર્યા ગયા તેમાં મોજતબાના હાથ, પગ અને બાવડામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સાલેરિયન મુજબ મોજતબાની હાલત એવી નથી કે તે લાંબુ ભાષણ કરી શકે કે વીડિયો બનાવી શકે. પણ... ઈરાની વિદેશ મંત્રાલય અને ડિપ્લોમેટ્સ આ વાતને ખોટી માનીને ફગાવી રહ્યા છે. અમેરિકી રક્ષામંત્રીએ તો ત્યાં સુધી આશંકા વ્યક્ત કરી છે કે, “મોજતબા કદાચ એટલા ગંભીર રીતે ઘાયલ છે કે તેમનો ચહેરો વિકૃત થઈ ગયો છે, તેથી જ તેઓ કેમેરા સામે આવતા નથી.” મોજતબાનો મેસેજ પત્રકારે કેમ વાંચ્યો? ટ્યુનિશિયામાં ઈરાની રાજદૂત મીર મસૂદ હોસેનિયાએ દાવો કર્યો હતો કે મોજતબા એક દમ તાજા-માજા અને સાજા-સારા છે. યુદ્ધના કારણે તે અજાણી જગ્યાએથી શાસન ચલાવી રહ્યા છે. 28 ફેબ્રુઆરી બાદ પહેલીવાર મોજતબાએ પોતાની વાત 12 દિવસ પછી 12 માર્ચે રાખી હતી. નવાઈની વાત એ છે કે તેના ઠીક 8 દિવસ બાદ એટલે કે 20 માર્ચે પણ મોજતબાએ ઈરાની લોકો સામે પોતાની વાત રાખી હતી. આ બંનેમાં નોટ કરવા જેવી વાત એ છે કે બંને મેસેજ તેણે પોતે નહીં પણ સરકારી ટીવીના એન્કરે વાંચ્યો હતો. મોજતબાના હાલ બેહાલ? આ જ વાત પર ઈરાનના એક્સપર્ટ રાજ જિમ્મતનું માનવું છે કે મોજતબાની ચોટ એટલી ગંભીર પણ હોય શકે કે તે કેમેરા સામે આવી ન શકે. કારણ કે જો તેમની હાલત દુનિયા કે ઈરાન જોઈ જાય તો જનતામાં તેમના શાસનનો ડર ઓછો થઈ શકે તેમ છે. સુપ્રીમ લીડર માત્ર કઠપૂતળી? હવે વાત કરીએ તેનાથી પણ ઈમ્પોર્ટન્ટ મુદ્દાની જે છે સર્વૌચ્ચ નેતા પડદા પાછળ છે, દેશ સંકટમાં છે છતાંય IRGCની પકડ ઢીલી નથી પડી તેના વિશે. અમેરિકા અને ઈઝરાયલની સ્પાય એજન્સીના મતે ઈરાનની બાગડોર પૂરી રીતે સેના એટલે કે IRGC સંભાળી રહ્યું છે. જે પ્રકારના હુમલાઓ ઈરાન કરી રહ્યું છે તે મુજબ કહેવામાં આવી રહ્યું છે કે મોજતબા માત્ર કઠપૂતળી પણ હોય શકે. બે દિવસમાં બે દિગ્ગજ ઈરાની નેતા ઠાર 16 માર્ચે IRGCના પરામિલિટરી યુનિટ બશીજ મિલિશિયાના પાવરફુલ કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું અને 17 માર્ચે ઈરાનની સિક્યોરિટીના હેડ અને વિદેશી સંઘર્ષનો ચહેરો ગણાતા અલી લારીજાનીનું હુમલામાં મોત થયું. ઈરાનની અમરપટ્ટાવાળી ડિફેન્સ સિસ્ટમ! ટોપ લીડરશીપના ખાત્મા અને કરન્ટ લીડર્સને પણ જે રીતે વીણીવીણીને ખતમ કરવામાં આવી રહ્યા છે તેના કારણે IRGCએ પાવરને ડિસેન્ટ્રલાઈઝ્ડ કરી દીધી છે. ટૂંકમાં ટોપ લીડરશીપ ન હોય તો પણ નાના અધીકારીઓ મોટા નિર્ણયો લઈ શકે છે. IRGCના આ મોડલનું નામ છે મોઝેઈક મોડલ જેના કારણે હારવા જેવી હાલત હોવા છતાં ઈરાન અમેરિકા અને ઈઝરાયલને પાણી ભરાવી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અલ-જઝીરાને કહ્યું હતું કે, "ઈરાનનું માળખું કોઈ એક વ્યક્તિ પર આધારિત નથી. નેતા શહીદ થયા હોવા છતાં સિસ્ટમ તેનું કામ કરી રહી છે." ઈરાનની પ્રોક્સી વોર સ્ટ્રેટેજી ઈરાનના મોઝેઈક ડિફેન્સની વાત કરીએ તો 2005થી જ અમેરિકી સેનાના હુમલાઓનો સામનો કરવા માટે સેનાએ પોતાની સત્તાને 31 પ્રાંતોમાં બાંટી દીધી હતી. જેમાં નીચલા કમાન્ડો પણ પૂછ્યા વગર મિસાઈલ્સ કે ગુરિલા હુમલા કરી શકે છે. બધા પાસે પોતાના હથિયારો અને ખાવાનો જથ્થો છે. હિઝબુલ્લાહનો યુદ્ધ વિરામ કોઈ ચાલ? IRGC કે નવા સુપ્રીમ લીડર મોજતબા પણ ન રહે તો કદાચ ઈરાનના પ્રોક્સી હિઝબોલ્લા સહિતના સંગઠનો મિશન પોતાના હાથમાં લઈ શકે છે. આવું એટલા માટે કારણ કે ઈરાન સપોર્ટેડ કે ઈન્ફ્લુએન્ઝ્ડ હિઝબુલ્લાહ અને કાતાઈબ હિઝબુલ્લાહે એગ્રેશન વધાર્યું છે. 18 માર્ચે હિઝબુલ્લાહે બગદાદમાં અમેરિકન એમ્બસી પર હુમલામાં 5 દિવસનો વિરામ જાહેર કર્યો હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે તે કોઈ શાંતિ માટે નહીં પણ અમેરિકા અને ઈઝરાયલ સામે શરતો મુકવા માટે હતો. ટ્રમ્પનું ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ જો આ શરતો ન માનો તો શિયા ગ્રુપ વધુ એગ્રેસિવ થઈને હુમલાઓ કરશે તેવી ધમકી આપી હતી. હવે યુદ્ધના લેટેસ્ટ વાતો પર પણ ધ્યાન આપીએ. 21 માર્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાથી ઈરાનને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી આપી. તેમણે કહ્યું કે 48 કલાકમાં હોર્મુઝની સ્ટ્રેડ વેપારી જહાજો માટે ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરી દેશે. ઈરાનને આંધળું કરી દેવાની ટ્રમ્પની ચીમકી તમે જ્યારે આ વીડિયો જોઈ રહ્યા છો ત્યારે 48 કલાક પૂરા પણ થઈ ગયા છે. ઈન્ટરનેશનલ ઓઈલ સપ્લાય બચાવવા આ ટ્રમ્પનો છેલ્લી ટ્રાય માનવામાં આવી રહી છે. ટ્રમ્પ મુજબ જો ઈરાન પીછેહઠ નહીં કરે તો ઈરાનની એનર્જી સેક્ટર ઠપ્પ થશે અને ઈરાન અંધારામાં આવી જશે. પણ ઈરાન પણ ઓછું નથી... તેણે પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે જો તેના એનર્જી પાવર પ્લાન્ટ પર હુમલો થશે તો પૂરા મિડલ ઈસ્ટના પાણી ચોખ્ખું કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ અને ઈલેક્ટ્રિક ગ્રીડને ખતમ કરી દેશે. ટ્રમ્પની ધમકી છતાંય ઈરાનના હુમલા ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટ પૂરું થાય તેના પહેલા જ ઈરાને ઈઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલા અરાદ અને ડિમોના પર જોરદાર મિસાઈલ્સ હુમલા કર્યા. આ હુમલામાં અરાદમાં 2 રેશિડેન્શિયલ બિલ્ડિંગ્સ જમીન દોસ્ત થઈ છે અને 9 બીજી બિલ્ડિંગ્સને ખૂબ જ નુકસાન થયું છે. ઈરાનના અરાદ હુમલામાં પેલેસ્ટાઈન ક્રોનિકલ મુજબ 8 મોત થયા છે અને 80થી વધુ ઘાયલ થયા છે. ઈઝરાયલના ડિમોના ન્યુક્લિયર સેન્ટર પર હુમલો થતાં 33 લોકો ઘાયલ થયા છે. જો કે IAEAનું કહેવું છે કે પરમાણુ રિએક્ટરને કોઈ નુકસાન નથી થયું. આયર્ન ડોમ ટેક્નોલોજી ફેલ? સોરોકા મેડિકલ સેન્ટરનું કહેવું છે કે આ હુમલાઓમાં કૂલ 175થી વધુ લોકોને સારવાર આપવી પડી છે. જો કે આ હુમલામાં નુકસાન થતા ઈઝરાયલની આયર્ન ડોમ ટેક્નોલોજી સામે પણ સવાલો ઉભા થયા છે. ઈરાની કમાન્ડરની ઓચિંતી બોર્ડર વિઝિટ એક વાતની નોંધ દુનિયામાં ઓછી લેવાઈ છે તેની પણ આપણે વાત કરીએ. ગઈ કાલે જ IRGC ગ્રાઉન્ડ પોર્સના કમાન્ડર જનરલ મોહમ્મદ કરામીએ ઈરાનની નોર્થ અને વેસ્ટ સરહદોની ઓચિંતી મુલાકાત લીધી હતી. કારણ કે ઈરાનને ડર છે કે કુર્દિશ બળવાખોરો અથવા વિદેશી સેના ઈરાનની હાલતનો ફાયદો ઉઠાવીને બોર્ડર પારથી હુમલો કરી શકે તેમ છે. કરામીએ કહ્યું હતું કે તેમનું લશ્કર તૈયાર છે. ખામૈની હટાવવાની જીદ અને હવે છાજિયા? ઈરાન જે રીતે અલી ખામૈનીની દફન વિધિમાં સમય ખેંચે છે તે જોતા લાગે છે કે તે ઈરાની જનતાના ગુસ્સાને દેશભક્તિમાં ફેરવવા માગે છે. 2022માં જ્યારે ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનો થયા હતા ત્યારે ઈરાની યુવાન પેઢી સરકારની સામે હતી પણ આ વખતે પિક્ચર કંઈક અલગ છે. જે નેતાના મોત પહેલા યુવાનો તેના ફોટો સળગાવીને સીગરેટ પિતા હતા તે ખામૈનીના મોત પછી છાજિયા કૂટીને રિએક્શન્સ આપી રહ્યા છે. પણ ઈરાનીઓનો સરકાર સામે ગુસ્સો સાવ નથી એવું નથી, માટે જો મોજતબા જલદી જ કેમેરા સામે મોઢું નહીં દેખાડે તો લોકોમાં અસંતોષનો જ્વાળા પણ ફૂટી શકે તેમ છે. આગળ શું થશે તે જોવાનું રહેશે. શું આ વર્લ્ડ વૉર-3ની તૈયારી? પણ... જો ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન પાડોશી દેશોના પાવર પ્લાન્ટ અને પાણી ચોખ્ખું કરવાના ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર હુમલા ચાલુ રાખશે તો આ મામલો ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ મટીને ઈરાન વર્સિસ મિડલ ઈસ્ટ પણ થઈ શકે છે. અને જો આવું થાય તો આવનાર સમયમાં આ સરહદી સંઘર્ષ ટોટલ વોરમાં પણ ફેરવાઈ શકે છે. અરાદ, ડિમોના અને ડિઆગો ગાર્સિયા પરના હુમલાઓ બીટવીન ધ લાઈન્સ કહી રહ્યા છે કે અમેરિકા ભલે દાવા કરે કે ઈરાનના શસ્ત્રો ખૂટી ગયા છે પણ હકિકતમાં એવું લાગી રહ્યું છે કે ઈરાનનો પાવર ઘટ્યો જરૂર છે પણ પૂરો નથી થયો. યુદ્ધના ચોંકાવનારા આંકડા ઈરાની મીડિયાનો દાવો છે કે ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,270થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. લેબનોનમાં તો 1 હજારથી વધુ લોકોના મોત થયા છે અને લાખો લોકો સેફ જગ્યા પર રહેવા જતા રહ્યા છે. ઈરાનના સમર્થનમાં આવ્યા કાશ્મીરી વાત આપણી એટલે કે ભારતની કરીએ તો જમ્મુ કાશ્મીરના બડગામમાં રહેનારા શિયા મુસ્લીમો ઈરાનની સાઈડ લેવા અને તેમની મદદ કરવા માટે સોનું, ચાંદી, રોકડા વગેરે દાન આપીને ફાળો ઉઘરાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના શિયા મુસ્લીમોનું કહેવું છે કે ઈરાનને મદદ થાય તેના માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનમાં આપીએ છીએ. આટલું જ નહીં, નાના બાળકોએ પોતાના ગલ્લા તોડ્યાં, 28 વર્ષ પહેલા વિધવા થયેલી બહેને પોતાના દાગીના પણ ફાળામાં અપ્યાં. અને છેલ્લે... જ્યારે દુનિયા યુદ્ધના ધુમાડામાં ઊર્જા શોધી રહી છે, ત્યારે પીએમએ આજે સંસદથી દેશને સંબોધિત કર્યો. તેમણે સ્પષ્ટ કરી દીધું કે ભારતનો કોન્ફિડન્સ અને કોલસો બંને અત્યારે હાઉસફુલ છે. પણ તેમણે એવું પણ કહ્યું છે કે યુદ્ધ લાંબો સમય ચાલી શકે છે. આપણે કોરોનામાં જેવી તૈયારીઓ રાખી હતી તેવી તૈયારીઓ માટે તૈયાર રહેવું પડશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- મુજતબા ખામેની મોત નથી ઇચ્છતા:વેનેઝુએલા જેવી ઈરાનમાં નવી સરકાર બનશે, આ માટે તેઓ એક ખાસ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે
    Next Article
    પેટ્રોલ પંપ પર વાહનચાલકોએ ટાંકી ફૂલ કરાવી:'પેટ્રોલ નહીં મળે, નહીં મળે'ની અફવાથી ભરમાઈને પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લગાવી ટ્રાફિકજામ સર્જ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment