Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ-ભગવંત માન ગુજરાત આવશે:4 દિવસ સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં રેલી અને જનસભા સંબોધશે, પ્રદેશ સંગઠન સાથે બેઠક કરી ઉમેદવારો નક્કી કરશે

    5 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ ગઠબંધન વગર આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તેમજ તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોને રિઝવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવશે. આગામી 24થી 27 માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જન સભા સંબોધશે. 25 મીએ અમરેલીમાં અને 26 માર્ચે જામનગરમાં ખેડૂતો મુદ્દે વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 27 માર્ચે દાહોદમાં આદિવાસી સમાજ મુદ્દે જનસભા યોજાશે. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે. સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસની મિટિંગ યોજાઈ હતી. જેમાં કેટલાક નામો નક્કી કરવામાં આવ્યા છે. જો કે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પ્રદેશ સંગઠન સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં થશે. રાષ્ટ્રીય સંયોજક દ્વારા સહમતી મળ્યા બાદ આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે. 10 હજારથી વધુ સીટોને લઈને વિચારણા ચાલી રહી છે આમ આદમી પાર્ટીએ સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પોતાની અલગ રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી ચાલતા, પરંતુ અમારી પોતાની રણનીતિથી આગળ વધીએ છીએ અને સૌથી પહેલાં ઉમેદવારો જાહેર કરવાની દિશામાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. સ્ક્રિનિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ બીજા તબક્કામાં પણ અનેક સીટો માટે ચર્ચા ચાલી રહી છે. અંદાજે 10 હજારથી વધુ સીટોને લઈને વિચારણા ચાલી રહી છે, જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી બાપ-બેટાની રાજનીતિ કરે છે વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત સામાન્ય નાગરિકોને તક આપવા માટે ખુલ્લી પ્રક્રિયા અપનાવી છે. ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી અનેક લોકો ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે. જેમાં કોઈ પણ સામાન્ય નાગરિક પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી બાપ-બેટાની રાજનીતિ કરે છે. ભાજપ નેતાઓ પોતાના પરિવારજનોને આગળ ધપાવે છે. આમ આદમી પાર્ટી યોગ્ય લાયકાત ધરાવતા લોકોને ટિકિટ આપશે. આમ આદમી પાર્ટી કોઈ ગઠબંધન વગર પોતાની શક્તિ પર ચૂંટણી લડશે. તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. વિવિધ સ્થળોએ જનસભાઓ અને રેલીઓને સંબોધિત કરશે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, 25મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 26મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. જે ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. 27મી તારીખે દાહોદ ખાતે પણ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ વિવિધ સ્થળોએ જનસભાઓ અને રેલીઓને સંબોધિત કરશે. દાહોદમાં પણ અંદાજે 50થી 70 હજાર લોકોની વિશાળ રેલી યોજાશે.
    Click here to Read More
    Previous Article
    પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ.12 લાખનો ગાંજો ઝડપાયો:સુરત રેલવે પોલીસના ચેકિંગમાં વિમલનો થેલો મળી આવ્યો; આરોપી ફરાર
    Next Article
    નવસારી મનપાનું બીજું બજેટ આવતીકાલે રજૂ થશે:શહેર વિકાસ માટે ₹1000 કરોડ ફાળવણીની શક્યતા, નાગરિકોના સૂચનોનો સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment