Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગરિકો પોતાની ફરિયાદ CMને કરી શકશે:ગાંધીનગરમાં 22 જાન્યુઆરીએ રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

    23 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ કરાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી છે. જાન્યુઆરી, 2026ના રાજ્ય સ્વાગત માટે નાગરિકો ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8.00થી 11.00 કલાક દરમિયાન ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ રજૂઆતો કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોકના ગુનામાં કુખ્યાત કીટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:15 મહિનાથી ફરાર અઝહર કીટલીને જુહાપુરાથી દબોચ્યો, એક ગાડી, રોકડ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી, VIDEO:રાજકોટ-ગાંધીનગર વચ્ચે આજથી AC સીટર બસનો પ્રારંભ, સમય અને ટિકિટની સંપૂર્ણ માહિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment