Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમલેથા ગામમાં દીપડાએ મારણ કર્યુ:બંધ ઓરડીમાં બાંધેલી પશુપાલકની 4 બકરીઓનો શિકાર કર્યો, એકને ઉઠાવી ગયો

    1 week ago

    નર્મદા જિલ્લાના આમલેથા ગામે દીપડાએ હુમલો કરી પશુપાલકની ચાર બકરીઓનો શિકાર કર્યો છે. આ ઘટનામાં બે બકરીઓ ઘાયલ પણ થઈ હતી. દીપડો એક બકરીને ઉઠાવીને લઈ ગયો હતો. આમલેથા ગામના પશુપાલક દેવા હરિલાલ વસાવાના ઘરની આગળ બંધ ઓરડીમાં બાંધેલી છ બકરીઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર બકરીઓ મૃત્યુ પામી હતી, જ્યારે બે બકરીઓ ઘાયલ થઈ હતી. દીપડો એક બકરીને મારણ બનાવીને ખેંચી ગયો હતો. આમલેથા ગામમાં છેલ્લા દસ દિવસથી દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. ગ્રામજનો દ્વારા વન વિભાગને દીપડા ફરતા હોવાના વીડિયો સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી. ગામના આગેવાન અને નાંદોદ તાલુકા કોંગ્રેસના મુકેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગત ૬ જૂનના રોજ આમલેથા ગામ વિસ્તારમાં ખેતરમાં દીપડો દેખાયો હોવાની જાણ વીડિયો સાથે વન વિભાગને કરવામાં આવી હતી. તેમણે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરી હતી, પરંતુ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મુકેશભાઈ વસાવાએ વન વિભાગને આમલેથા ગામ વિસ્તારમાં મારણ મૂકી પાંજરા ગોઠવવા અને આ પશુપાલકને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત કરી છે. નર્મદા જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં વધારો થતાં વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગાંજાનું વેચાણ ઝડપાયું:પોલીસે ઓટો રિક્ષા સાથે ₹2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
    Next Article
    હાથીખાનામાં 10થી વધુ દુકાનોમાં તસ્કરોનો હાથફેરો, CCTV:11.70 લાખની ચોરી, રાત્રે પોલીસનું કોમ્બિંગ અને બાદમાં દુકાનોના તાળા તોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment