Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુરૈનામાં ટ્રેનની ટક્કરથી 4 મુસાફરોનાં મોત:તેમાં 3 મહિલાઓ, એક બાળક; આગની અફવાને કારણે નીચે ઉતર્યા, બીજી ટ્રેનની અડફેટે આવ્યા

    1 week ago

    મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં ટ્રેનની અડફેટે આવતા 4 લોકોના મોત થયા છે. આગ લાગવાની અફવા બાદ ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાંથી નીચે ઉતરેલા ચાર મુસાફરો બીજી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ગ્વાલિયર તરફથી મુરૈના જઈ રહેલી ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં કોઈ કારણસર આગ લાગવાની અફવા ફેલાઈ હતી. આ દરમિયાન નજીકના ટ્રેક પર ધોલપુર તરફથી પાતાલકોટ એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને બીજી લાઇન પર ઝડપથી આવી રહેલી પાતાલકોટ એક્સપ્રેસનો અંદાજ ન લાગી શક્યો. ત્રણ મહિલાઓ અને એક બાળક ટ્રેનની અડફેટે આવી ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. અકસ્માત સંબંધિત તસવીરો જુઓ… ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અકસ્માત બાદ રેલવે ટ્રેક પર અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને લોકોએ તરત જ રેલવે અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ જીઆરપી (GRP), આરપીએફ (RPF) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ કરવાની અને તેમના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રેલવે અને પોલીસ પ્રશાસન સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહ્યા છે. સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડ કપમાં નવમી વખત IND vs PAK:ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ લીધી; ભારત ત્રણ સ્પિનર્સ સાથે મેદાને ઉતરી
    Next Article
    વડોદરાના દખેડા પાસે ડમ્પરે બાઈક સવાર દંપતીને કચડ્યું:પતિ-પત્ની બંન્નેના ઘટનાસ્થળે જ મોત, માંસના લોચા રોડ પર ફેલાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment