Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 મહિના ધક્કા ખાધા પણ રોયલ્ટી ન મળી:નવસારીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી ખનન માટે પરવાનગી અને નજીકના જ સચવાતા હોવાનો કોન્ટ્રાક્ટરનો વીડિયો વહેતો થયો

    2 days ago

    નવસારીમાં માઇનિંગ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.રોહિત શેઠિયા નામના એક કોન્ટ્રાક્ટર યુવાને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી ખાણ- ખનીજ વિભાગ પર પોતાની મનમાનીનો આક્ષેપ લગાવ્યો છે. કોન્ટ્રાક્ટરનો આક્ષેપ છે કે માઇનિંગ વિભાગ દ્વારા તેમને જાણીજોઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને અમુક ચોક્કસ વ્યક્તિઓને જ ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાકટરે જણાવ્યું છે કે, તેમણે ડિસેમ્બર 2024માં વેસ્મામાં ટેન્ડરિંગ દ્વારા કામ મેળવ્યું હતું પરંતુ, નિયમોનું પાલન કરવા છતાં, તેમને છેલ્લા 4 મહિનાથી યોગ્ય રોયલ્ટી આપવામાં આવી નથી. ખાણ ખનીજ વિભાગના અધિકારીના ખાસ વ્યક્તિનું કામ પડઘામાં ચાલુ હોવાથી તેના કામમાં વિક્ષેપ ન પડે તે માટે રોયલ્ટીથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી ત્યારે માંડ એક રોયલ્ટી મળી હતી પરંતુ ત્યારબાદ પણ પ્રક્રિયામાં જાણીજોઈને વિલંબ કરવામાં આવ્યો છે. તેનો આક્ષેપ છે કે અધિકારીઓ જાણીજોઈને ફાઇલ ક્લોઝ કરતા નથી અને વારંવાર નવા બહાના કાઢીને હેરાન કરે છે. તેમના ખાસ લોકોનું કામ અવિરત ચાલુ રહે તે માટે અન્ય લોકોને નિશાન બનાવવામાં આવે છે. જો તપાસ કરવામાં આવે તો 40 થી વધુ ફાઇલો ખુલ્લી હોવા છતાં, કોઈ પણ માપણી કરવામાં આવતી નથી.દરેક તળાવમાંથી અંદાજિત 20 ગાડી ગેરકાયદે માટી વહન થયું છે. ​હવે જોવાનું એ રહે છે કે, વાયરલ થયેલા આ વીડિયો બાદ માઇનિંગ વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, કે પછી આ મામલો માત્ર કાગળ પર જ દબાઈ જશે. ભાસ્કરનું રિયાલિટી ચેક : તમામ તળાવો પાણીથી છલોછલ કોન્ટ્રક્ટર રોહિત શેઠીયાના વહેતા થયેલા વીડિયોમાં તળાવોમાં થતાં ગેરકાયદે ખનનનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં ભટ્ટાઇ અને ખડસુપા ગામના તળાવ અંગેનો પણ ઉલ્લેખ કરી 50થી 60 ફૂટ ઊંડુ ખોદી દેવાયાનો આક્ષેપ કરાયો હતો. જે અંગે ભાસ્કરે રિયાલીટી ચેક કરતા આ બંને સ્થળે તળાવ પાણીથી છલોછલ ભરેલા જણાયા હતા. જેને લઇ કેટલાય પ્રશ્નો ઉભા થયા છે. કોન્ટ્રાક્ટરે વરસાદ પહેલા તળાવ ચેક કરાવવા તાકીદ કરી હતી. પરંતુ હવે આ ચકાસણી થાય તેવી શક્યતા નહીંવત છે. સ્થાનિકો પણ આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી જેથી આ તપાસનો પ્રશ્ન વધુ પેચિદો બને તેમ છે. જે આક્ષેપો કરાયા છે તે ખોટા છે છેલ્લા ત્રણ વર્ષમાં 15 જેટલી આ પરમીટ આપવામાં આવી છે. છેલ્લા 4 પરમીટ એવી છે જેમાં પરમીટ એવી છે જેમાં એક વર્ષ કરતા વધુ સમય વિતવા છતાં પેનલ્ટી બાકી બોલતી હતી. વારંવાર નાણાં ભરી દેવાની ખાત્રી આપવામાં આવી છે છતાં તે ભરપાઇ ન કરાતા પરમીટ અટકાવી દેવામાં આવી છે. ઉપરાંત કોન્ટ્રાક્ટર સામે ગેરકાયદે ખનન અંગે ફરિયાદ મળી હતી. જેની નોટિસ પાઠવી હતી. 3 લાખ મેટ્રીક ટન ગેરકાયદે ખાણ કામ અંગેની નોટિસ પરત આવતા કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેમને સાંભળવા જરૂરી હોવાથી બીજી નોટિસ વોટ્સએપથી મોકલી હતી. હાઇકોર્ટનો પણ આદેશ છે કે ગેરકાયદે ખનની પ્રક્રિયામાં સમયનો બગાડ થવો ન જોઇએ. જેથી આ ઝડપથી કાર્યવાહી કરાઇ હતી. સંભત: કાયદેસરની નોટિસ મળતા કોન્ટ્રાક્ટરને ખોટુ લાગી આવી શકે. પક્ષપાત પણ કરાયો નથી. માત્ર આ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. તેમના કોઇ સંબંધિનું નિધન થતા તેઓ હાજર રહ્યાં ન હતા. જેથી તેમને પુરતો સમય અપાયો છે. વાયરલ વીડિયોમાં કરાયેલ આક્ષેપ પાયોવિહોણો છે. હાલમાં આ મામલો નોટિસ સ્ટેજ પર છે. કોન્ટ્રાક્ટર દ્વારા રજુ કરવામાં આવનાર પક્ષ અને રિવ્યુને ઓફિસ સ્તરે યોગ્ય કરી ચકાસવામાં આવશે. ત્યારબાદ ખરાઇ કરી આખરી નિર્ણય લેવાશે. તે પછી દંડની વસુલાત પણ કરાશે.> પ્રવિણ ખાંભલા, ખાણ ખનીજ વિભાગના અધિકારી.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકા મેયર સમક્ષ વિસ્તારના અગ્રણીઓની વેદના‎:જલાલપોરમાં ઇન્સ્ટાગ્રામ જાહેરાતથી અને ગણદેવીમાં APK ફાઈલથી જિલ્લામાં બે સાથે 85 હજારની ઠગાઇ
    Next Article
    મંડળીએ આપેલ વિનામૂલ્યે જમીન બદલામાં કામો કરવાના હતા:જલાલપોરના રિંગરોડ, સ્મશાનભૂમિ વગેરે કામો પાલિકા, મનપાએ ન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment