Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના હાઈવે રકત રંજિત, છ લોકોનાં મોત:ગોધરામાં 4 વાહન વચ્ચેની ભીષણ ટક્કરે બેનો જીવ લીધો, સાણંદ હાઈવે પર અને દાંતીવાડામાં ચાર જીવતા ભૂંજાયા

    13 hours ago

    ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઈકાલની રાત કાળમુખી સાબિત થઈ છે. સાણંદ-વિરમગામ હાઈવે, ગોધરા-વડોદરા હાઈવે પર અને દાંતીવાડામાં સર્જાયેલા ત્રણ અલગ-અલગ ભીષણ અકસ્માતોમાં કુલ 6 વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ત્રણેય ઘટનાએ હાઈવે પરની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. 1. સાણંદ: વળાંક લેતાં ટ્રક, ટેન્કર અને થાર વચ્ચે ભીષણ ટક્કર બાદ વાહનો ભડભડ સળગ્યા કેવી રીતે સર્જાયો અકસ્માત? એક કપચી ભરેલી ટ્રક હાઈવે પર વળાંક લઈ રહી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતાં દૂધના ટેન્કર સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે, બાજુમાં રહેલી થાર કાર પણ તેની અડફેટે આવી ગઈ હતી. ત્રણેય વાહનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ ત્રણેય વાહનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં વાહનો આગનો ગોળો બની ગયા હતા. આ દુર્ઘટનામાં થાર કારમાં સવાર વ્યક્તિ અને ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સાણંદ અને વિરમગામ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, થાર કારમાં સવાર પાર્થ મનોજભાઈ કોળીપટેલ (ઉંમર 24)નું મૃત્યુ થયું છે, જેે સાણંદના અમથાપુરાનો વતની છે. જ્યારે અન્ય મૃતક પરપ્રાંતીય છે. 2. ગોધરા-વડોદરા હાઈવે: ફરજ પરના TRB જવાન અને વાનચાલકનું મોત બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે ચાર વાહન (કન્ટેનર, આઈશર, ટ્રેલર અને વાન) વચ્ચે શૃંખલાબદ્ધ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફરજ પર તૈનાત 32 વર્ષીય TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડાના 30 વર્ષીય વાન ચાલક અશરફ રશીદ પઠાણનું કરુણ મોત નીપજ્યું છે. લુણાવાડાનો એક જ પરિવાર વાનમાં સવાર થઈ ગોધરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત નડ્યો હતો. પરિવારના 9 સભ્ય (4 બાળક, 4 મહિલા અને 1 પુરુષ) ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યા છે. મૃતકોની વિગત આ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યા છે: જગદીશ મફતભાઈ બારિયા (ઉં.વ. 32): જેઓ વેજલપુર ખાતે TRB જવાન તરીકે ફરજ બજાવતા હતા. અશરફ રશીદ પઠાણ (ઉં.વ. 30): જેઓ લુણાવાડાના રહેવાસી હતા અને વાન ચલાવી રહ્યા હતા. દાંતીવાડામાં અકસ્માતમાં બે લોકો જીવતા ભૂંજાયા બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામની સીમમાં વહેલી સવારે. પૂરપાટ ઝડપે જતી એક કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે અથડાતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કાર અગનગોળો બની જતાં તેમાં સવાર બે વ્યક્તિઓ જીવતા ભુંજાઈ ગયા હતા. હાલમાં મૃતકોના શરીર સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. ત્રણેય ઘટનાસ્થળે સ્થાનિક પોલીસકાફલો પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર સતત વધતા અકસ્માતોને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં મધરાતે ધરા ધણધણી:2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સ્થાનિકોમાં ભયનો માહોલ
    Next Article
    Is Mojtaba Khamenei Recovering At A Hospital In Moscow? What Russia Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment