Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે 4 મહિના બંધ:ચોમાસામાં વન્યજીવોના સંવનનકાળને લીધે આગામી 15 ઓક્ટોબર સુધી બંધ

    11 hours ago

    વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટમાં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મુલાકાતીઓ માટે આગામી તા.16 ને મંગળવારથી ચાર મહિના સુધી સુધી બંધ રહેશે. ભાવનગર થી માત્ર 45 કિલો મીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, મદદનીશ વન સંરક્ષક કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર દ્વારા આગામી વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) મા કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે આગામી તા.16/6/2024 થી તા.15/10/2024 સુધી બંધ રાખવામાં આવશે, જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંધ લેવા જણાવ્યું છે. 7 હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિચરે છે ભાવનગરથી માત્ર 45 કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. બ્લેકબગ એટલે કે કાળીયાર હરણની એક પ્રજાતિ માટે ખુલ્લા ઘાસના મેદાન અને સમતલ જગ્યા સ્વર્ગ સમાન છે. આજે વેળાવદર ખાતે ઉદ્યાનમાં અને બહાર મળી કુલ 7 હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિચરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહિયાં કાળીયાર સાથે લગભગ 100 કરતા વધુ પ્રજાતિના પક્ષી, વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું અનુમાન છે વરુઓની ઉંમર અંદાજે બે વર્ષની આસપાસની છે ભારતમાં અંદાજે 3000 હજાર જેટલા વરુઓ છે તેની સામે ભાવનગરમાં જ 100 થી વધુ વસવાટ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત:બેટી રામપર ગામે ટેન્કરની ટક્કરે ઈકો કારનો કૂરચો, ટ્રકે પલટી મારી; ચારનાં મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન
    Next Article
    રમત-રમતમાં માસૂમ ગ્રીલ વચ્ચે પહોંચ્યો ને બારી લોક:સુરતમાં ફાયર જવાનનો 5 વર્ષનો દીકરો સ્લાઇડિંગ બારી અને લોખંડની ગ્રીલ વચ્ચે ફસાયો, રૂમ પણ અંદરથી લોક થતાં પરિવારમાં દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment