Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પરિવારના પાંચ સભ્યને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની દીકરીનું મોત:શીતલ રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી જમ્યા બાદ તબિયત લથડી; દંપતી અને બે દીકરી સારવારમાં

    1 day ago

    સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે, જેમાં એક 5 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે 'શીતલ રેસ્ટોરન્ટ'માંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ એકબાદ એક તમામની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 ઓગસ્ટની રાતે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું છે, જ્યારે માતા-પિતા અને બે પુત્રી સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્થિતી ગંભીર છે. દિવ્ય ભાસ્કર રેસ્ટોરન્ટ પહોંચ્યું ત્યારે ચાલુ હાલતમાં હતું. અંદર લોકો જમી રહ્યા હતા. ત્રણ દિવસ બાદ જાણ થતા પાલિકાનું આરોગ્ય વિભાગ પણ રેસ્ટોરન્ટ પર પહોંચી ગયો હતો. અંદર સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા હતા. રસોડાની અંદર ગંદકી પણ જોવા મળી હતી. આ સાથે ભોજન બનાવવાની સામગ્રી પણ ખરાબ હોવાનું જણાયું હતું. દાળમાં ફૂગ થઈ ગઈ હતી તો અંદર એસિડના કેરબા પણ હતા. ખરાબ હાલતમાં બધું મૂકવામાં આવેલું હતું. દિવ્ય ભાસ્કર પહોંચ્યા બાદ અને આ બધી બેદરકારી અંગે સવાલ કર્યા બાદ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યું હતું. સુરત પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર સેજલ વ્યાસે કહ્યું કે, અમને ફૂડ પોઈઝનિંગની જાણ થતા તુરંત ટીમ સાથે રેસ્ટોરન્ટમાં પહોંચ્યાં છે. અહીં અમને ખબર પડી કે બાળકીનું મોત થયું છે. હાલમાં સેમ્પલ લેવાની અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કામગીરી કરાઈ રહી છે. અમને આજે જ ઘટનાની જાણ થઈ છે. રાત્રે જમ્યા બાદ મોડી રાત્રે અચાનક તબિયત લથડી અશોકભાઈ પિતરાઈ ભાઈ ભાવેશભાઈ કળસરિયાએ જણાવ્યું કે, 15 ઓગસ્ટની રાત્રે અશોકભાઈ ચકુરભાઈ કળસરિયા અને તેમનો પરિવાર રેસ્ટોરન્ટમાંથી લાવેલું પંજાબી શાક જમ્યા હતા. 16 ઓગસ્ટના રોજ વહેલી સવારે 4 વાગ્યે અશોકભાઈ અને તેમની એક દીકરીને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. સવારે 9 વાગ્યે સ્થાનિક ક્લિનિકમાંથી દવા લીધા બાદ બોટલ ચડાવ્યા છતાં તકલીફ શમી નહોતી અને બપોર પછી પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવા લાગી હતી. 15-20 મિનિટમાં જ માસૂમે દમ તોડ્યો પરિવારની તબિયત વધુ બિગડતાં 5-7 તબીબોની ટીમ દ્વારા તેમને તાત્કાલિક સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ઈમરજન્સીમાં લાવ્યાના આશરે 15થી 20 મિનિટમાં જ 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું હતું. પરિવારની હાલત અને તબીબી તપાસ અશોકભાઈ, તેમનાં પત્ની (જેઓ બીપીના દર્દી પણ છે) અને તેમની બે મોટી પુત્રીઓ સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં દાખલ ચારેય દર્દીઓના તબીબી રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું સામે આવ્યું છે. હાલ તમામની સારવાર ચાલી છે. પરિવારે કરી ન્યાય અને કડક કાર્યવાહીની માગ પીડિત પરિવારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અપીલ કરી છે કે આ સમગ્ર ઘટના અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને ખોરાકની ગુણવત્તામાં બેદરકારી દાખવનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી કળસરિયા પરિવારને યોગ્ય ન્યાય અપાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ દ્વારા રક્તદાન કેમ્પ:યુવાનોના ઉત્સાહથી જીવરાજ મહેતા હોસ્પિટલમાં યોજાયો
    Next Article
    Watch: Etiquette Coach Shows How To Eat Dosa At A 5-Star Hotel, Internet In Disbelief

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment