Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા-રાજકોટ સહિત 5 મનપાના પદાધિકારીઓના નામ જાહેર:ભાવનગરમાં ઉષાબેન તલરેજા મેયર, પાટીલ અને સંઘવીના સુરતમાં જ મેયર પદ માટે ભારે લોબિંગ

    1 सप्ताह पहले

    ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના પદાધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી. જ્યારે આજે વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદ-કરમસદ અને રાજકોટના પદાધિકારીઓની જાહેરા થઈ ગઈ છે. વલસાડ-વાપી અને સુરત મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે. જો કે સી.આર, પાટીલ અને હર્ષ સંઘવીના સુરતમાં બપોરના 12 વાગવા છતાં મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા નથી. હરિફ જૂથો વચ્ચે ભારે લોલિંબ ચાલી રહ્યું છે. આ પણ વાંચો: 8 મનપાના 26મીએ જાહેર થયેલા મેયર સહિતના પદાધિકારીઓની ફોટો સાથેની યાદી રાજકોટ મહાનગર પાલિકામાં 76 દિવસ પદાધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. આજે રાજકોટને 23માં મેયર, 35માં ડેપ્યુટી મેયર અને 35માં સ્ટેન્ડિંગ ચેરમેન મળ્યા છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણુંક માટે આટલું વિલંબ ક્યારેય નથી થયો. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરી ચીમનભાઈ શુકલા(પૂર્વ સાંસદ)ના પુત્ર નેહલ શુકલાએ બાજી મારી છે. નેહલ શુકલાએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી હતી અને પોતે આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું. એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોબિંગને તોડી દઈ મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાયું છે. આણંદ-કરમસદ મનપાના પ્રથમ મેયર પદે દિપીકાબેન પટેલની સર્વ સંમતિથી નિમણૂક કરવામાં આવી છે. ડે. મેયરના પદે કમલેશ ડાભી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે મયુર સુથારની નિયુક્તિ થઈ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન નીખિલભાઈ ચાંપાનેરી, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા અને પક્ષના નેતા પિન્ટુબેન અસાણીયાની નિમણૂંક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્વિશા કેસ-CBI સાસુ ગિરિબાલાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે:હાઈકોર્ટે ગઈકાલે આગોતરા જામીન રદ કર્યા; કહ્યું-ટ્રાયલ કોર્ટે કેસ ડાયરી અને પુરાવા તપાસ્યા નથી
    Next Article
    આણંદ મનપાના પ્રથમ મેયર તરીકે દિપીકાબેન પટેલની સર્વાનુમતે નિમણૂક:ડે. મેયર કમલેશ ડાભી, કારોબારી ચેરમેન મયુર સુથાર, જુઓ મનપાના હોદ્દેદારોનું ફોટો સાથેનું લીસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment