Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી:જૂના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ માટે નડતરૂપ ઓસરીનો 4 મીટર સુધીનો ભાગ તોડાશે

    1 day ago

    અમરેલીમાં 1912માં આઝાદી કાળ બનેલા જૂના રેલવે સ્ટેશનને આમ તો યથાવત સાચવી રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ રેલવે પ્લેટફોર્મ માટે નડતરૂપ 4 મીટર જેટલો ઓસરીનો ભાગ હવે તોડી નખાશે. જો કે બાકીનો ભાગ યથાવત રહેવા દેવાશે. અમરેલી જિલ્લામાં એક મોટા વર્ગની માંગણી પણ એવી હતી કે આ ઐતિહાસીક ધરોહરને સાચવી લેવામાં આવે જેને પગલે રેલવે દ્વારા આ જૂનું સ્ટેશન નહી તોડવાનો નિર્ણય લેવાયો હતો. જો કે હાલમાં મીટર ગેજનું કામ ચાલુ છે. તેવા સમયે જૂના સ્ટેશનની ઓસરીનો કેટલોક ભાગ નડતરરૂપ બની રહ્યો છે. 6 મીટર ઓછરી માંથી 4 મીટર જેટલો ભાગ તોડી પાડવાનો નિર્ણય કરાયો છે અને આ દિશામાં કામ શરૂ કરાયું છે. જો કે શહેરમાં કેટલાક લોકો આ જૂનું બિલ્ડીંગ યથાવત રાખવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. રેલવેના હાલના બ્રોડગેજ ટ્રેકની ઉંચાઈ વધારે છે. જ્યારે જૂનું રેલવે સ્ટેશન ઘણું નીચું છે. અગાઉ અમે જ જૂનું બિલ્ડીંગ યથાવત રાખવા કહ્યું હતું અગાઉ અમે જ જૂનું બિલ્ડીંગ યથાવત રાખવા માંગણી કરી હતી. જો કે સ્થળ નિરીક્ષણ બાદ આ બિલ્ડીંગ અડચણરૂપ લાગી રહ્યું છે. જેથી હવે તેને દૂર કરવું જોઈએ. > રાજેશભાઈ ગાંધી, અમરેલીમાં બ્રોડગેજ સમિતિના પ્રમુખ
    Click here to Read More
    Previous Article
    રસ્તાનું ખોદકામ ચાલતું હોવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા‎:અમરેલીના હનુમાનપરામાં રસ્તાના ખોદકામથી રાહદારીઓ ત્રાહિમામ
    Next Article
    ઉમેદવારોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે:અમરેલીમાં 4 ઓગસ્ટે મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment