Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહને બેને કચડ્યા:અન્ય વાહનોના ટાયર ફરી વળતા માર્ગ પર માંસના લોચા વિખેરાયા, છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતમાં 4 જિંદગી હોમાઈ

    13 hours ago

    30 એપ્રિલની મોડી રાત્રે કલોલના છત્રાલમાં પ્રેસ્ટિજ હોટલ પાસે હાઈવે ક્રોસ કરી રહેલા બે પરપ્રાંતિય શ્રમિકોને અજાણ્યો વાહન ચાલક કચડીને ફરાર થઈ જતાં બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અંધારાને કારણે રોડ પર પટકાયેલા મૃતદેહો પરથી અન્ય વાહનો ફરી વળતા અત્યંત બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. કલોલ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને શ્રમિક સ્કોડા કંપનીની કોલોનીમાં મજૂરી કામ કરતા અકસ્માતનો ભોગ બનનાર બંને વ્યક્તિઓ મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની હતા અને કડીના રાજપુર પાસે આવેલી સ્કોડા કંપનીની કોલોનીમાં મજૂરી કામ કરતા હતા. મૃતકોની ઓળખ 56 વર્ષીય ક્રિષ્ણા ચંદ્રદેવ ઠાકુર અને 53 વર્ષીય ધુપનારાયણ બદ્રી રજત તરીકે થઈ છે. રાત્રિના સમયે રસ્તો ઓળંગતી વખતે કોઈ અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ માર્ગ પર ફેંકાયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે 'મોતનો માર્ગ' બની ગયો સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અમદાવાદ-મહેસાણા હાઈવે હવે 'મોતનો માર્ગ' બની ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ચોથી અકસ્માતની ઘટના છે, જેમાં કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈવે પર લાઈટો હોવા છતાં તે લાંબા સમયથી બંધ હોવાથી રાત્રે ઘોર અંધારું રહે છે. GRICL કંપની અને માર્ગ-મકાન વિભાગની નિષ્ક્રિયતાને કારણે રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે. હાઈવે પર વધતા જતા બ્લેક સ્પોટ, ગેરકાયદેસર કટ અને દબાણો અકસ્માત નોતરી રહ્યા હોવાના મુખ્ય કારણો જવાબદાર હોવાનું મનાય છે. પોલીસે માનવ અવશેષો એકત્ર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો ઘટનાની જાણ થતા જ છત્રાલ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે માર્ગ પરથી માનવ અવશેષો એકત્ર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં ફરાર વાહન ચાલકને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ વેટરનરી દિવસ 2026:ફૂડ સેફ્ટી અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે કોંગ્રેસ મંથન કરશે:2થી 6 મે સુધી ઝોનવાઈઝ પ્રદેશ પ્રમુખ અને પ્રભારીઓની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક, નેતાઓ રિઝલ્ટનું એનાલિસિસ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment