Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલા બાદ યુવકના શરીરની 4 સાવજોએ મિજબાની માણી?:વનવિભાગને શંકા- 'જો ચારેયએ થોડું થોડું માંસ ખાધું હશે તો ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિ પર હુમલો કરી શકે'; રિપોર્ટની રાહ

    16 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક પરપ્રાંતીય યુવકના મોત બાદ વનવિભાગે ચાર સિંહોને પાંજરે પૂર્યા છે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી, જેમાં યુવકનો માત્ર માથું જ મળી આવ્યું હતું. વનવિભાગે માનવભક્ષી સિંહોને ઓળખવા માટે સેમ્પલ સાસણ મોકલ્યા છે. જેનો રિપોર્ટ 24 કલાકમાં આવશે. ત્યારબાદ નક્કી થશે કે આ 4 સિંહોમાંથી માનવભક્ષી સિંહ કોણ છે? બપોરે બે અને મોડી રાત્રે અન્ય બેનું રેસ્ક્યુ આ ઘટના બાદ રાજુલા અને જાફરાબાદ વનવિભાગ દ્વારા સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં બે મોટા સિંહોને ટ્રાન્ક્વીલાઈઝ કરીને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. ત્યારબાદ મોડી રાત્રે વધુ બે પાઠડા સિંહોને પણ મોટા રિંગ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા હતા. આમ, કુલ ચાર સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યા છે. એક નહીં ચાર સિંહોએ મેજબાની માણી હોઈ શકે સામાન્ય રીતે માનવ મૃત્યુના બનાવોમાં એક કે બે સિંહોને પાંજરે પૂરવામાં આવે છે. જોકે, આ કિસ્સામાં ઘટનાસ્થળથી અડધા કિલોમીટર દૂર રહેલા ચારેય સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વનવિભાગના અધિકારીઓને શંકા છે કે યુવકનો શિકાર માત્ર એક સિંહે નહીં, પરંતુ ચારેય સિંહોએ કર્યો હોઈ શકે છે, અથવા એક સિંહ દ્વારા શિકાર કરાયા બાદ અન્ય સિંહોએ પણ માંસ ખાધું હોઈ શકે છે. ચારેય સિંહો એનિમલ કેર સેન્ટરમાં જો સિંહોએ માનવ માંસ આરોગ્યું હોય, તો તેઓ ભવિષ્યમાં ફરીથી કોઈ વ્યક્તિ પર હુમલો કરી શકે છે. આ જોખમને ટાળવા માટે વનવિભાગે કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે. તેથી, ચારેય સિંહોને પાંજરે પૂરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. 24 કલાકમાં રિપોર્ટ આવવાની શક્યતા રેસ્ક્યુ કરાયેલા સિંહોમાંથી, બે મોટા સિંહોને ઉલટી થતાં તેમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે પાઠડા સિંહોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ચારેય સેમ્પલ આજે સાસણ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટના આધારે જ કયા સિંહો માનવભક્ષી છે તે નક્કી થશે. આ રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. જો કોઈ સિંહ નિર્દોષ જણાશે, તો તેને ફરીથી મુક્ત કરવામાં આવશે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેમજ ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલા સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો. સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે સૂચના અપાઈ: વનમંત્રી અર્જુન મોઢવાડીયા આ સમગ્ર ઘટના અંગે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉચૈયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. એની સાથે જે નાના બચ્ચાં હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    ગીર પંથકમાં વરસાદ ખેંચાતા વાવણી અટકી,:ગીર પંથકમાં ચોમાસું મોડું થતાં ખેડૂતો મુશ્કેલીમાં: બિયારણ-ખાતર તૈયાર પણ વરસાદ વિના ખેતરો કોરા, સિંચાઈના અભાવે પશુપાલન પર સંકટ,જગતનો તાત ચિંતાતુર બન્યો.
    Next Article
    સાવકા પિતાને 7 વર્ષની કેદ:સગીર દીકરી પર જાતીય હુમલો કર્યો, પાડોશીએ સગીરાને હિંમત આપી હેરાનગતિનો બનાવેલો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment