Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર વર્ષથી ફરાર લુટેરી દુલ્હનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી:લગ્નના 4 જ દિવસમાં દાગીના-રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી, ઉંમરલાયક છોકરાને કરતી ટાર્ગેટ કરતી

    1 day ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લુટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલી આ આરોપી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી. લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી. અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. લગ્નના માત્ર ચાર દિવસમાં જ દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થતી માનવી લગ્નની વાત નક્કી કરી યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈ થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી. આવા જ એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી. પહેલાં ટોળકીના 3ને પોલીસે દબોચ્યા હતા જેથી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આખું એક ટોળકી સક્રિય હતી. પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આઈપી મિશન ચર્ચ પાસેમાંથી લૂંટેરી દૂલ્હનને ઝડપી લેવાઈ લાંબા સમય સુધી અલગ-અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસેમાંથી માનવીને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે. નિર્દોષને લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નવા ભોગ બનેલા લોકો અને અન્ય સાગરીતોના નામો સામે આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    લક્‍ઝરી કાર સેલ્‍ફ ડ્રાઈવિંગમા ભાડે મેળવી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ:7500 ભાડું આપી વિશ્વાસ કેળવતા, આણંદનો શખ્સ GPS કાઢી રાજ્ય બહાર વહેંચી દેતો
    Next Article
    વાંકાનેર રોડ પર બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા:વાહનોને નુકસાન, લોકોએ ભારે જહેમત બાદ છૂટા પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment