Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમિકોને ઘરઆંગણે વિનામૂલ્યે મળશે‎ સારવાર:જિલ્લાના શ્રમિકો માટે વધુ 4 ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 4 નવા ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મેંદરડાના દાત્રાણા ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અગાઉ જિલ્લામાં 3 રથ કાર્યરત હતા, જે હવે વધીને 7 થયા છે. આ રથ મેંદરડા, માણાવદર, માંગરોળ અને જૂનાગઢ શહેર સહિતના વિસ્તારોને આવરી લેશે. આ સુવિધા દ્વારા શ્રમિકોને બાંધકામ સાઇટ, કડિયાનાકા કે વસાહતો પર જ સ્થળ પર નિદાન અને પ્રાથમિક સારવાર મળી રહેશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે રથમાં ઉપલબ્ધ તબીબી સાધનોનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બાંધકામ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા વર્કશોપ યોજાઈ:પેટન્ટથી લઈને જીઆઇ ટેગ સુધી: લો કોલેજમાં છાત્રોને માર્ગદર્શન અપાયું
    Next Article
    ભાસ્કર વિશેષ:જૂનાગઢ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 3031 કેસોનો નિકાલ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment