Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ, ચાણસ્મા અને રાધનપુરમાં જાહેરનામાનો ભંગ:ભંગારના 4 વાડાના સંચાલકો અને ગેસ્ટ હાઉસ મેનેજર સામે રજીસ્ટર ન નિભાવવા અને ઓનલાઈન એન્ટ્રી ન કરવા બદલ ગુનો નોંધાયો

    1 day ago

    પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ અર્થે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ ચાર ભંગારના વાડાના સંચાલકો અને એક ગેસ્ટ હાઉસના મેનેજર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ કાર્યવાહી પાટણ શહેર, ચાણસ્મા અને રાધનપુર વિસ્તારોમાં કરવામાં આવી હતી. ભંગારના વાડાના સંચાલકો સામે ખરીદ-વેચાણનું રજીસ્ટર ન નિભાવવા બદલ ગુના નોંધાયા છે, જ્યારે ગેસ્ટ હાઉસના મેનેજર સામે ગ્રાહકોની વિગતો ઓનલાઈન અપલોડ ન કરવા બદલ કાર્યવાહી થઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે ભંગારના વેપારીઓ માટે ખરીદ-વેચાણનું રજીસ્ટર નિભાવવું ફરજિયાત બનાવ્યું છે. એસ.ઓ.જી.ની ટીમે પાટણ સીટીના પદમનાથ વિસ્તારમાં વિજય હનુમાન મંદિર સામે આવેલા આરીફભાઈ મેમણ (ઉં.વ. 36)ના ભંગારના વાડામાં તપાસ કરતા કોઈ રજીસ્ટર મળ્યું ન હતું. આથી પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તેવી જ રીતે, ચાણસ્મા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ભંગારનો વાડો ચલાવતા વિજયભાઈ દેવીપૂજક (ઉં.વ. 50, રહે. મોતીસા, પાટણ)ના વાડામાં પણ રજીસ્ટર ન હોવાથી ચાણસ્મા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. રાધનપુરમાં વારાહી હાઇવે રોડ પર આવેલા ભંગારના બે અલગ-અલગ વાડાઓ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અસલમ ધાંચી (ઉં.વ. 27) અને સલીમભાઈ ધાંચીના વાડામાંથી પણ સર-સામાનના ખરીદ કે વેચાણ અંગેના કોઈ સત્તાવાર રજીસ્ટર મળી આવ્યા ન હતા. આથી રાધનપુર પોલીસ મથકે આ બંને વેપારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભંગારના વાડાઓ ઉપરાંત, એસ.ઓ.જી. શાખા દ્વારા રાધનપુર વારાહી હાઇવે રોડ પર આવેલી ગેલેક્સી હોટેલ/ગેસ્ટ હાઉસમાં પણ ચેકિંગ કરાયું હતું. જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ, હોટેલમાં રોકાતા ગ્રાહકોની વિગતો ઓનલાઈન પથિક સોફ્ટવેરમાં અપલોડ કરવી ફરજિયાત છે. જોકે, ગેસ્ટ હાઉસના મેનેજર પ્રવિણજી (ઉં.વ. 25, તા. સરસ્વતી) એ ગ્રાહકોની ઓનલાઈન એન્ટ્રી ન કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આથી તેમની સામે પણ રાધનપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    SOGએ ગેરકાયદેસર દેશી બંદૂક સાથે એક શખસ ઝડપ્યો:સમીના શેખસલા તલાવડી પાસે પોલીસે ₹2500નું હથિયાર જપ્ત કર્યું
    Next Article
    કાર્યક્રમ:કચરાના યોગ્ય નિકાલ માટે ‎રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment