Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વડાલા-કાસારવડવલી મેટ્રો-4ના કારશેડ માટે માર્ગ ખુલ્યો

    11 hours ago

    વડાલા-થાણે-કાસારવડવલી-ગાયમુખ મેટ્રો-4 અને 4એ રૂટ માટે મોઘરપાડા ખાતેના કારશેડ તરફ જતો રસ્તો અને સ્પર લાઈન બાંધવા માટે જરૂરી 0.39 હેકટર મેનગ્રોવ્ઝ વનક્ષેત્ર એમએમઆરડીએને હસ્તાંતરિત કરવાનો નિર્ણય મહેસૂલ અને વન વિભાગે લીધો છે. આ પ્રસ્તાવને કેન્દ્રિય પર્યાવરણ, વન અને હવામાન ફેરફાર મંત્રાલયના નાગપુર પ્રાદેશિક કાર્યાલય તરફથી આ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી. એ પછી જરૂરી શરતોની પૂર્તી થયાનો અહેવાલ રજૂ કર્યા પછી અંતિમ મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયના લીધે મેટ્રો કારશેડ તરફ અવરજવર કરવા જરૂરી રસ્તાના કામનો માર્ગ ખુલ્યો છે. થાણે મેટ્રો પ્રકલ્પ માટે મોઘરપાડા ખાતે મેટ્રો કારશેડ ઊભો કરવા જરૂરી ભૂસંપાદન પ્રક્રિયા પૂરી થઈ છે. આ કારશેડ સુધી પહોંચવા 65 મીટર લાંબો એપ્રોચ રોડ, લિન્ક રોડ તેમ જ સંબંધિત બાંધકામ વિકસિત કરવામાં આવશે. આ જમીન એમએમઆરડીએના માધ્યમથી વાપરવાની હોવાથી એનું હસ્તાંતરણ જરૂરી હતું. જો કે આ પરિસરમાં મેનગ્રોવ્ઝ હોવાથી વન વિભાગ તરફથી આ જમીન હસ્તાંતરિત કરવી પડી. કેન્દ્ર સરકાર તરફથી મેળવેલી મંજૂરી તમામ શરતોનું પાલન કરવાના તેમ જ મેનગ્રોવ્ઝ કક્ષ તરફથી નિયમિત દેખરેખ રાખવાની શરતે આ હસ્તાંતરણ કરવામાં આવ્યું. મુંબઈને થાણે શહેર સાથે જોડતો મેટ્રો-4 રૂટ 32.32 કિલોમીટર લાંબો છે. ગ્રીન લાઈનના કારણે શહેરના પૂર્વ ઉપનગરોને જોડાણ મળશે. વડાલાથી કાસારવડવલી સુધી જોડતા આ રૂટને લીધે એલબીએસ રોડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ ઓછો થવામાં મદદ થશે. કાસારવડવલીથી ગાયમુખ સુધી મેટ્રો-4એ તૈયાર કરવામાં આવશે. આ કામ પૂરું થતા મેટ્રો-4બીનું બાંધકામ શરૂ કરવામાં આવશે. ઓગસ્ટ 2026 સુધી આ રૂટ શરૂ થાય એવી શક્યતા છે. મેટ્રો-4 રૂટના કુલ 32 સ્ટેશન મેટ્રો-4 રૂટ પર કુલ 32 સ્ટેશન છે. ભક્તિ પાર્ક, વડાલા ટીટી, અનિકનગર બસ ડેપો, સમુનનગર, સિદ્ધાર્થ કોલોની, અમરમહાલ જંકશન, ગરોડિયા નગર, પંતનગર, લક્ષ્મીનગર, શ્રેયસ થિયેટર, ગોદરેજ કંપની, વિક્રોલી, સૂર્યનગર, ગાંધીનગર, નેવલ હાઉસિંગ, કાંજુરમાર્ગ પશ્ચિમ, શાંગ્રિલા, સોનાપુર, મુલુંડ અગ્નિશમન કેન્દ્ર, મુલુંડ નાકા, તીન હાથ નાકા, થાણે આરટીઓ, મહાપાલિકા રોડ, કેડબરી જંકશન, માજીવાડા, કાપુરબાવડી, માનપાડા, ટીકુજીની વાડી, ડોંગરીપાડા, કાસારવડવલી જેવા સ્ટેશનનો સમાવેશ છે. મેટ્રો-4એ રૂટ પર ગોવણીપાડા અને ગાયમુખ એમ બે સ્ટેશન હશે.
    Click here to Read More
    Previous Article
    મહાયુતિ તરફથી વિધાન પરિષદમાં ઉપાધ્યક્ષપદની ઉમેદવા:હવે ઠાકરેના વિશ્વાસુ સચિન આહિર પણ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા
    Next Article
    500થી વધુ રોકાણકારો સાથે 100 કરોડની ઠગાઈ:રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી અંગે ત્રણની જામીન અરજી ફગાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment